________________
बीयठाणपयं पुढवीकायठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १ અને ઉત્તરરૂપ સૂત્રની રચના કરે છે. (૩) અથવા ગણધર ગૌતમસ્વામીને છબસ્થ હોવાથી અનાભોગ (અનુપયોગ) નો સંભવ છે. કહ્યું છે કે “જે દિ નામનામોમાછદ્મસ્થચ્ચેદ વિદ્ નાતિ જ્ઞાનાવરણ ાિં જ્ઞાનાવરણપ્રતિ સર્ષ શા''અહીં કોઈ છદ્મસ્થને અનાભોગ ન હોય એમ નથી, કેમકે તેને જ્ઞાનને આવરવાના સ્વભાવવાળું જ્ઞાનાવરણીય કર્મ હોય છે.” માટે ગૌતમસ્વામીને સંશય ઉત્પન્ન થયો હોવાથી પૂછે છે, તેથી કોઇપણ પ્રકારનો દોષ—વિરોધ નથી. “ગૌતમ” એ લોકપ્રસિદ્ધ મહાવિશિષ્ટ ગોત્રનો પ્રતિપાદક આમન્ત્રણ શબ્દ છે. “હે ગૌતમ ગોત્રવાળા' એ તેનો ભાવાર્થ છે. સ્વસ્થાનને આશ્રયી, જ્યાં પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો રહે છે, અને જ્યાં રહીને તેનો વર્ણાદિના વિભાગ વડે વ્યવહાર કરી શકાય છે એટલે અમુક વર્ણાદિવાળા છે એમ કહી શકાય છે તે સ્વસ્થાન કહેવાય છે. સ્વસ્થાનનું ગ્રહણ ઉપપાત અને સમુદ્યાતના સ્થાનનું જુદાપણું બતાવવા માટે છે, તેથી સ્વસ્થાનને આશ્રયી આઠે પૃથિવીઓમાં બધે ય પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો છે. તે આઠે પૃથિવીઓના નામનો ઉચ્ચાર કરીને કહે છે-“તે જહા' ઇત્યાદિ. રત્નપ્રભામાં અને યાવત્ આઠમી ઇષ~ામ્ભારા-સિદ્ધશિલા પૃથિવીમાં તથા અધોલોકમાં વડવામુખ વગેરે પાતાલકલશોમાં, ભવનપતિનિકાયના આવાસરૂપ ભવનોમાં, ભવનની ભૂમિરૂપ ભવનપ્રસ્તટોમાં, અહીં ભવનના ગ્રહણથી કેવળ ભવનોનું ગ્રહણ કરવું, અને ભવનોના પ્રસ્તટોના ગ્રહણથી ભવનોની વચ્ચે રહેલી ભૂમિકાનું ગ્રહણ કરવું તથા નરકોમાં એટલે છૂટા છૂટા નારકાવાસોમાં, નરકાવલિઓમાંઆવલીકાબદ્ધ નરકાવાસોમાં, નરકની ભૂમિરૂપ નરક પ્રસ્તટોમાં, અહીં પણ નરક અને નરકાવલીના ગ્રહણથી કેવળ નરકાવાસોનું જ ગ્રહણ કરવું અને નરક પ્રસ્તટના ગ્રહણથી નરકની વચ્ચે રહેલી ભૂમિકા ગ્રહણ કરવી. ઊર્ધ્વલોકમાં કલ્પમાં–સૌધર્માદિ બાર દેવલોકોમાં, વિમાનોમાં-છૂટા છૂટા રૈવેયક સંબંધી વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં-આવલિકાબદ્ધ રૈવેયકાદિ વિમાનોમાં, વિમાનની ભૂમિકારૂપ વિમાનના પ્રસ્તટોમાં, અહીં પણ પ્રસ્તટનું ગ્રહણ વિમાનની વચ્ચેના ભાગમાં યથાસંભવ રહેવાવાળા પર્યાપ્ત બાદરપૃથિવીકાયિકોના સ્થાનના ગ્રહણ માટે છે. તેમજ તીરછા લોકમાં સંકોમાં-ટુંકોમાં, છિન્ન કંકોમાં, સિદ્ધાયતન પ્રમુખ કૂટોમાં, શૈલોમાં-શિખરરહિત પર્વતોમાં, શિખરીઓમાં-શિખરયુક્ત પર્વતોમાં, પ્રામ્ભારોમાં-કઈક નીચા પર્વતોમાં, કચ્છાદિ વિજયોમાં, વિદ્યુપ્રભાદિ વક્ષસ્કાર પર્વતોમાં, ભરતાદિ વાસક્ષેત્રોમાં, વર્ષધરોમાં હિમવત્ વગેરે પર્વતોમાં, વેલાઓમાંસમુદ્રાદિના પાણીની રમણભૂમિમાં, ભરતી વગેરેના પાણીની ભૂમિમાં, જંબુદ્વીપની જગતી આદિની વેદિકાઓમાં, વિજયાદિ તારોમાં, અને દ્વારાદિ સંબંધી તોરણોમાં, બહુ શું કહેવું, પણ બધા દ્વીપો અને સમુદ્રોમાં, એ બધા સ્થળે પર્યાપ્યા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો મેં તેમજ બીજા તીર્થકરોએ કહેલાં છે. ‘૩વવા' ઇત્યાદિ. ઉપપાત-ઉત્પત્તિ, પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના જે હમણાં જ સ્થાનો કહ્યા તે સ્થાન પ્રાપ્તિને અભિમુખ હોય પણ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલાં ન હોય એ ભાવાર્થ છે. તે ઉપપાતને આશ્રયી પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો ચૌદ રજૂપ્રમાણ આ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. અહિં કોઈ આચાર્યો આ સૂત્રની એવી વ્યાખ્યા કરે છે–“જુસૂત્ર નય વિચિત્ર છે, તેથી જ્યારે પૂલ ઋજુસૂત્ર નયની દૃષ્ટિથી પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોનો વિચાર કરીએ ત્યારે જેઓ ઉત્પત્તિ સ્થાને આવી આહારાદિ પર્યાદ્ધિઓ પૂર્ણ કરી વિશિષ્ટ વિપાકથી પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકનું આયુષ્ય અનુભવે છે તે જ ગ્રહણ કરવા, પરન્તુ અન્તરાલ ગતિમાં વર્તતા હોય તે ન લેવા. કારણ કે તેઓ તે વખતે વિશિષ્ટ વિપાકયુક્ત આયુષ્યનો અનુભવ કરતા નથી. માટે તેઓનું સ્વસ્થાન રત્નપ્રભા વગેરે બધા મળીને પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે માટે ઉપપાતને આશ્રયી પણ લોકનો અસંખ્યાતમો ભાગ જાણવો.” બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે–“પર્યાપ્તા બાદરપૃથિવીકાયિકો બીજા બધાથી થોડા છે, તેથી અન્તરાલ ગતિમાં વર્તતા હોય તેને પણ ગ્રહણ કરતાં તેઓ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે માટે એમાં કોઈ પણ દોષ નથી. તથા સમુદ્ધાતને આશ્રયી પણ લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે. એમ સૂત્રકાર કહેશે. એમ નહિ માનો તો સમુઘાતની અવસ્થામાં સ્વસ્થાન સિવાય બીજા ક્ષેત્રમાં રહેવાનો સંભવ હોવાથી સમદુઘાતને આશ્રયી લોકનો અસંખ્યાતમો ભાગ ઘટી શકશે નહીં.” અહીં તત્ત્વ શું છે
101