SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं पुढवीकायठाणाई ટ્વીયનાળવયં| || વુઢવીવાયનાબાડું|| कहिणं भंते ? बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! सट्ठाणेणं अट्ठसु पुढवीसु, तं जहा - १ રયળખનાર, સરખમાર, રૂવાળુયવ્થમા, ૪ પંખમાર, બે ધૂમઘ્યમા, ૬ તમબમાર, છ તમતમધ્વમાર્, ફ્(૬)સીપ્પન્મારા; અહોતો પાયાલેસુ, મવળેસુ, મવાપત્યકેતુ, નિષ્ણુ, નિયાવલિયાસુ, નિયપત્થહેતુ; ફૂલોર પ્લેસું, વિમાનેસુ,વિમાળાવલિયાસુ, વિમાળપત્થડેનું, ત્તિરિયલો, સંતુ, જૂડેતુ, તેતેસુ, સિહરીસુ, પદ્મારેસુ, વિનત્તુ, વવવારેસુ, વાસેતુ, વાતહરપળ્વસુ, વેલાસુ, વેડ્વાસુ, વરેલુ, તોરખેલુ, રીવેલું, સમુદ્દેપુ, एत्थ णं बायरपुढवीकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्टाणेणं लोगस्स असंखेज्जइ भागे ।। सू. - १ ।। ७९ ।। ૨ સ્થાનપદ (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો ક્યાં કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનને-પોતાને રહેવાના સ્થાનને આશ્રયી આઠે પૃથિવીઓમાં હોય છે. તે આ પ્રમાણે—૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પૈકપ્રભા, પ ધૂમપ્રભા, ૬ તમ:પ્રભા, ૭ તમઃતમઃપ્રભા, અને ૮ ઇષત્પ્રાક્ભારા–સિદ્ધશિલામાં છે, અધોલોકમાં, પાતાલકલશો, ભવનો, ભવનપ્રસ્તટો, નરકો, નરકાવલિઓ અને નરકપ્રસ્તટોમાં હોય છે. ઊર્ધ્વલોકમાં કલ્પો, વિમાનો, વિમાનાવલિકાઓ અને વિમાનપ્રસ્તટોમાં હોય છે. તિર્યંગ્લોકમાં ટંકો, કૂટો, શૈલો-પર્વતો, શિખરી-શિખરયુક્ત પર્વતો, પ્રાક્ભારો–કંઇક નીચા પર્વતો, વિજયો, વક્ષસ્કારો, વર્ષક્ષેત્રો, વર્ષધર પર્વતો, વેલાઓ, વેદિકાઓ, દ્વારો, તોરણો, દ્વીપો અને સમુદ્રોમાં, અહીં પર્યામા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત-ઉત્પત્તિને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે, સમુદ્દાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. ।।૧||૭૯|| ૨ સ્થાનપદ (ટી૦) એમ પ્રથમ પદની વ્યાખ્યા કરી, હવે બીજા પદનો પ્રારંભ કરીએ છીએ. તેનો આ પ્રમાણે સંબંધ છે. પ્રથમ પદમાં પૃથિવીકાયાદિક જીવોની પ્રરૂપણા કરી અને અહીં તેઓના સ્થાનાદિની પ્રરૂપણા કરે છે. તેનું આ પ્રથમ સૂત્ર છે. ‘ભદન્ત’ એ ૫૨મ ગુરુ તીર્થંકરનું સંબોધન છે. ‘હે ભદન્ત! પર્યામા બાદર પૃથિવીકાયિકોના સ્વસ્થાન વગેરે ક્યાં કહેલાં છે’? એમ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ વર્ધમાન સ્વામી ‘હે ગૌતમ’ એમ ગૌતમ સ્વામીને સંબોધી ઉત્તર આપે છે—સઠાણેણં’ ઇત્યાદિ. જેનું કુશલનું મૂળ ઉપચિત–વૃદ્ધિ પામ્યું છે એવા ભગવાન્ ગૌતમ પણ ગણધર છે અને તીર્થંકરે કહેલા ‘ઉપ્પન્ને વા વિગમે વા ધ્રુવે વા” (કથંચિત્ ઉત્પન્ન થાય છે, કથંચિત્ નાશ પામે છે અને કચિત્ ધ્રુવ-નિત્ય છે) એ માતૃકાપદ— વર્ણાક્ષરોના માત્ર શ્રવણથી જેમને અત્યંત શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થયો છે એવા, ચૌદ પૂર્વને ધારણ કરનારા અને સર્વક્ષરોના સંનિપાત—સંયોગને જાણનારા છે, તેથી વિવક્ષિત પૂછવા યોગ્ય અર્થના જ્ઞાનસહિત છે, તો શા માટે પૂછે છે? કેમકે ચતુર્દશ પૂર્વધર અને સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિવાળાને પ્રજ્ઞાપનીય કહેવા યોગ્ય કોઈપણ વસ્તુ અવિદિત નથી. કહ્યું છે કે-‘સંગ્રા′′ વિ મને સાહફ ગં ના પરોડ પુલ્ઝેન્ગા ન ય ાં અાસેસી વિયાળ સ છમત્યો ।।।''-‘‘જો પર પૂછે તો (વિશિષ્ટ જ્ઞાની છદ્મસ્થ) અસંખ્ય ભવોને પણ કહે, પરન્તુ સાતિશય વિશિષ્ટ જ્ઞાન રહિત છદ્મસ્થ તેને જાણતો નથી'. તો વિશિષ્ટ શ્રુતજ્ઞાની ભગવાન્ ગૌતમ શા માટે પ્રશ્ન ક૨ે છે? (ઉ) તમારું કથન બરોબર છે. (૧) પરન્તુ કેવળ જાણવા છતાં ભગવાન્ ગૌતમ સ્વામી પૂર્વે અન્ય સમયે શિષ્યોને કહેલ અર્થની ફરીથી તેમ પ્રતીતિ કરાવવા માટે વિવક્ષિત અર્થ પૂછે છે. (૨) અથવા પ્રાયઃ સૂત્રોની રચના સર્વત્ર ગણધરના પ્રશ્ન અને તીર્થંકરના ઉત્ત૨રૂપ છે, માટે ભગવાન્ આર્યશ્યામાચાર્ય પણ એ પ્રમાણે પ્રશ્ન 100
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy