SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ કહ્યું છે કે-‘પદ્માવેક્ નસો અનં ઢિત્તિ જાઽળા''-‘કલ્પની સ્થિતિ સમજીને તે કોઇને પ્રવ્રજ્યા આપતો નથી, કારણ કે કલ્પની તેવી મર્યાદા છે.’ પરન્તુ યથાશક્તિ ઉપદેશ આપે છે. ૧૫. મુંડાપનદ્વાર—પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો કોઇને મુંડતો નથી. પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી અવશ્ય મુંડન હોય છે, તેથી પ્રવ્રજ્યાના ગ્રહણ વડે મુંડનનું ગ્રહણ થાય છે તો શા માટે જુદું દ્વાર કહ્યું? ઉપરનો પ્રશ્ન અયુક્ત છે. પ્રવ્રજ્યા દ્વારમાં અવશ્ય મુંડન હોય તેમ સંભવિત નથી, કારણ કે અયોગ્યને કોઇ પણ રીતે પ્રવ્રજ્યા-દીક્ષા આપી હોય, છતાં પણ અયોગ્યતાનું જ્ઞાન થાય તો તેને મુંડનનો સંભવ નથી, માટે જુદું દ્વાર કહ્યું છે. ૧૬. પ્રાયશ્ચિત્તવિધિદ્વાર—મનથી પણ સૂક્ષ્મ અતિચાર લાગ્યો હોય તો તેને ચતુર્ગુરુક (ઉપવાસ) પ્રાયશ્ચિત્ત હોય છે. કારણ કે આ કલ્પ એકાગ્રતા–પ્રધાન છે અને તેના ભંગમાં મોટો દોષ લાગે છે. ૧૭. કારણદ્વાર—કારણ–આલંબન, તે વિશુદ્ધ જ્ઞાનાદિ જાણવાં. તે આ પરિહારવિશુદ્ધિકને હોતાં નથી, જેથી તેને આશ્રયી અપવાદ સેવવો પડે. પરન્તુ આ મહાત્મા સર્વત્ર નિરપેક્ષ થઇને ક્લિષ્ટ કર્મના ક્ષય નિમિત્તે પ્રારંભેલા પોતાના કલ્પને યથોક્ત વિધિથી સમાપ્ત કરે છે. કહ્યું છે કે-‘વાળમાાંવળમો સં પુળ નાળાઅં સુરિમુદ્ધ અહ્મ તં ન વિન્ગર્ફે ટ્વિયં तवसाहणो पायं ॥१॥ सव्वत्थ निरवयक्खो आढत्तं चिय दढं समाणंतो । वट्टइ एस महप्पा किलिट्ठकम्मक्खयनिमित्तं ર્।।''−‘કારણ એટલે આલંબન, તે સુપરિશુદ્ધ જ્ઞાનાદિ જાણવા, તે આલંબન તેને ઉચિત નથી, કારણ કે તે બહુધા તપરૂપ સાધન-આલંબનવાળો છે. આ મહાત્મા સર્વત્ર નિરપેક્ષ થઇને ક્લિષ્ટ કર્મના ક્ષય નિમિત્તે આરંભેલ કલ્પને દૃઢતાપૂર્વક સમાપ્ત કરે છે. ૧૮. નિષ્પતિકર્મતાદ્વાર—શરીરના સંસ્કાર રહિત આ મહાત્મા અક્ષિમલાદિકને પણ કદાચિત્ દૂર કરતા નથી. તેમજ પ્રાણાન્ત કષ્ટ આવી પડે તો પણ બીજું અપવાદ પદ સેવતા નથી. કહ્યું છે કે‘નિ હિમ્મતરીરો ગØિમાવિ નાવળેફ सया। पाणन्तिएऽविय महावसणंमि न वट्टए बीए ॥१॥ अप्पबहुत्तालोयणविसयातीओ उ होइ एसत्ति | अहवा સુહમાવાનો બહુાં યં નાિય રૂમK Iરા''-‘હમેશાં શરીરના સંસ્કાર રહિત તે આંખના મેલ વગેરેને પણ દૂર કરતા નથી. પ્રાણાન્તિક મહાકષ્ટ આવી પડે તો પણ બીજા પદમાં વર્તતા નથી. અલ્પદોષ અને બહુદોષની વિચારણાના વિષયથી રહિત હોય છે. અથવા શુભ ભાવ એજ એને ઘણું છે.’ ૧૯-૨૦. ભિક્ષાદ્વાર (અને બન્ધદ્વાર યા પન્થદ્વાર)ભિક્ષા અને વિહારનો ક્રમ ત્રીજી પૌરુષીમાં–ત્રીજા પહોરમાં હોય છે. બાકીની પૌરુષીમાં કાયોત્સર્ગમાં હોય છે. નિદ્રા પણ તેને અલ્પ હોય છે. જો કોઇ પણ રીતે એમનું જંઘાબલ (ચાલવાનું બળ) ક્ષીણ થયું હોય તો વિહાર નહિ કરવા છતાં પણ મહાભાગ્યશાળી એવા તે અપવાદ સેવતા નથી. પરન્તુ તેજ સ્થળે રહી કલ્પ પ્રમાણે સંયમયોગ સાધે છે. કહ્યું છે કે-‘તયા પોરસીય્ મિવાળાનો વિહારાજો કા સેસાનું સ્સો પાયં अप्पा य निद्दत्ति ॥१॥ जंघाबलंमि खीणे अविहरमाणोवि न परमावज्जे । तत्थेव अहाकप्पं कुणइ उ जोगं महाभागो IRI॥''-‘ત્રીજી પૌરુષીમાં તેઓનો ભિક્ષાકાલ અને વિહારકાળ હોય છે અને બાકીની પૌરુષીમાં પ્રાયઃ કાયોત્સર્ગ હોય છે. નિદ્રા પણ અલ્પ હોય છે. જંઘાબલ ક્ષીણ થવાથી વિહા૨ નહિ કરતા એવા તે મહાભાગ્યશાલી અપવાદ સેવતા નથી, પરન્તુ ત્યાંજ રહી કલ્પની વિધિ પ્રમાણે સંયમયોગ સાધે છે.’ [ટીકામાં ‘વન્યેષ્ટ સત્ત વા ૨૦ '] એમ કૌંસમાં લખેલ છે. બેંગ્લોરથી પ્રકાશિત પૃષ્ઠ ૪૫: આ પરિહારવિશુદ્ધિક બે પ્રકારના છે—ઇત્વર અને યાવત્કથિક. તેમાં જેઓ કલ્પ સમાપ્ત થયા પછી તુરતજ તેજ કલ્પ કે ગચ્છને પ્રાપ્ત થવાના છે તે ઇત્વ૨. જેઓ કલ્પની સમાપ્તિ થયા પછી તુરતજ જિનકલ્પને અંગીકાર કરવાના છે તે યાવત્કથિક જાણવા. કહ્યું છે કે-‘‘રૂત્તરિય થેરખે નિળબ્વે આવત્તિયક્ત્તિા''-‘ઇત્વર સ્થવિરકલ્પમાં અને યાવત્કથિક જિનકલ્પમાં જાણવા,' અહીં સ્થવિરકલ્પનું ગ્રહણ (અન્ય કલ્પનું) ઉપલક્ષણ (બોધક) છે, તેથી પોતાના કલ્પને વિષે રહેનારા પણ ઇત્વર 95
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy