SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा અવિશુદ્ધ લશ્યામાં પ્રવર્તતો નથી, અવિશુદ્ધ લેશ્યાઓમાં પ્રવૃત્તિ કરે તો થોડા કાળ સુધી કરે છે, કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. તો પણ વીર્ય-સામર્થ્ય ફળ આપે છે. ૧૧. ધ્યાનદ્વાર–વૃદ્ધિ પામતા ધર્મધ્યાન વડે પરિહાર વિશુદ્ધિક કલ્પનો સ્વીકાર કરે છે. અને પૂર્વપ્રતિપન-પૂર્વે તે કલ્પને પ્રાપ્ત થયેલો તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં પણ હોય છે. પરંતુ તે પ્રાયઃ ધ્યાન નિરનુબન્ધ-પરંપરા રહિત હોય છે. કહ્યું છે કે “જ્ઞામિ વિ ઉખેળ પડવમ્ભર્ સો પવમાગે રેવિ ફાસુ પુષ્યપવનો સિદ્ધો શા પર્વ ૨ જ્ઞાનનો ઉદ્દામે તિવ્ર મેળામાં રોÈસુવિ માવો રૂમ પાર્વ નિરyવો રા'-ધ્યાનમાં-વૃદ્ધિ પામતા ધર્મધ્યાન વડે તે કલ્પનો સ્વીકાર કરે છે, પૂર્વપ્રતિપન્ન તો ઈતર ધ્યાનમાં હોય તો તેનો પ્રતિષેધ નથી. એ પ્રમાણે ઉત્કટ ધ્યાનયોગ છતાં તીવ્ર કર્મના પરિણામથી રૌદ્ર અને આર્ત ધ્યાનમાં પણ એનો સદ્ભાવ છે, પરંતુ પ્રાયઃ તે દુર્બનના અનુબન્ધપરંપરા રહિત હોય છે.” ૧૨. ગણનાહારજઘન્યથી ત્રણ ગણો અને ઉત્કર્ષથી સો ગણો આ ચારિત્રનો સ્વીકાર કરે છે. પૂર્વપ્રતિપન તો જઘન્યથી અને ઉત્કર્ષથી સેંકડો ગણરૂપ હોય છે. પુરુષની ગણનાવડે જઘન્યથી આ કલ્પનો સ્વીકાર કરનાર સત્યાવીશ અને ઉત્કૃષ્ટ હજાર પુરુષો હોય છે. અને પૂર્વપ્રતિપન્ન જઘન્યથી સેંકડો અને ઉત્કર્ષથી હજારો હોય છે. કહ્યું છે કે “નમો તિને गणा जहन्न पडिवत्ति सहस उक्कोसा। उक्कोस जहन्नेणं सयसोच्चिय पुव्वपडिवन्ना ॥१॥ सत्तावीस जहन्ना સદગુણો ય પવવત્ત સંયો હતો વા ડિવન નહનોના રાજઘન્યથી ત્રણ ગણ અને ઉત્કર્ષથી સો ગણ આ કલ્પનો સ્વીકાર કરે છે. અને પૂર્વપ્રતિપન્ન તો ઉત્કૃષ્ટ અને જઘન્યથી સેંકડો ગણ હોય છે. જઘન્યથી સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજાર અને પૂર્વપ્રતિપન તો જઘન્યથી સેંકડો ઉત્કૃષ્ટથી હજારો હોય છે. વળી જ્યારે પૂર્વપ્રતિપન્ન કલ્પથી કોઈ એક નીકળી જાય અને અન્ય પ્રવેશ કરે ત્યારે આ કલ્પની પ્રતિપત્નિમાં સ્વીકાર કરવામાં એક ન્યૂન થયો, તેને ઉમેરતા, કોઈ, વખતે એક પણ હોય કે પૃથક્ત ઘણા પણ હોય છે. પૂર્વપ્રતિપન પણ એ પ્રમાણે વિકલ્પથી એક હોય કે પૃથક્વ-ઘણા હોય. કહ્યું છે કે “પડિવામાં આવી હોન્ગ પ્રોવિઝા પવષે પુત્રપડિવનયાવિ ય મફગા પ્રશ્નો પુદુત્તવા Inશા" એક ન્યૂન થયો તેને ઉમેરતાં પ્રતિપદ્યમાન (સ્વીકાર કરનાર) ગણનાએ વિકલ્પ એક પણ હોય. [અને ઘણા હોય.] તથા પૂર્વપ્રતિપન્ન વિકલ્પ એક હોય કે પૃથક્વ-ઘણા હોય.' ૧૩. અભિગ્રહદ્વાર–અભિગ્રહો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે–૧ દ્રવ્યાભિગ્રહ, ૨ ક્ષેત્રાભિગ્રહ, ૩ કાલાભિગ્રહ અને ૪. ભાવાભિગ્રહ. આ અભિગ્રહો સંબંધમાં અન્યત્ર ચર્ચા કરી છે માટે ફરી અહીં તેની ચર્ચા કરતા નથી. તેમાં પરિહારવિશુદ્ધિને આ અભિગ્રહો હોતા નથી, કારણ કે તેનો કલ્પજ ઉક્ત સ્વરૂપના અભિગ્રહરૂપ છે. કહ્યું છે કે-“બ્રાઝ જાહ विचित्तरूवा न होंति पुण केइ। एअस्सजीअकप्पो कप्पोच्चिअभिग्गहो जेणं ॥१॥ एयंमि गोयराई नियया नियमेण નિરવવાવાયા તપાતાં વિય પરં વિદ્ધતા તુ રા"-વિચિત્ર સ્વરૂપવાળા કોઈ પણ દ્રવ્યાદિ અભિગ્રહો એને હોતા નથી. કેમકે એનો જીતકલ્પ જ કલ્પને ઉચિત અભિગ્રહરૂપ છે. આ કલ્પને વિષે ગોચરી વગેરે આચારો નિયત અને અવશ્ય અપવાદ રહિત હોય છે, અને તેનું પાલન કરવું એજ એને વિશુદ્ધિનું સ્થાનક છે.' ૧૪. પ્રવજ્યાદ્વાર–પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો એવા પ્રકારની કલ્પની મર્યાદા હોવાથી કોઇને દીક્ષા આપતો નથી. ૧. ગણનાદ્વારમાં પ્રતિપદ્યમાન જઘન્યથી ત્રણ ગણ અને ઉત્કૃષ્ટ સો ગણ કહ્યા અને પુરુષગણનામાં જઘન્યથી સત્યાવીશ અને ઉત્કૃષ્ટ હજાર કહ્યા છે. તો જઘન્ય ત્રણ ગણ હોવાથી સત્યાવીશ સંખ્યા ઘટે છે, પણ ઉત્કૃષ્ટ સો ગણ હોવાથી પુરુષગણનામાં નવસો થાય છે, પણ હજાર સંખ્યા ઘટી શકતી નથી. પરિણારવિશુદ્ધિકને રોગાદિનો સંભવ છે, તેથી કદાચ વૈયાવચ્ચ કરનારામાંથી કોઈ એક રોગાદિ કારણે વૈયાવચ્ચે કરવા અસમર્થ હોય અને તેના બદલે અન્ય પ્રવેશ કરે, અને એ રીતે સો ગણમાં એક એક વધારતા સો વધે. અથવા બધા મળીને પણ સો સંખ્યા વધે તો એ રીતે હજાર સંખ્યા થાય, પરન્તુ આ કલ્પનાનું સાધક પ્રમાણ હજી કોઇ મળ્યું નથી. તત્ત વતિ ગ્ય. 94
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy