SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ વરસનો હોય છે. ઉત્કૃષ્ટ બન્નેનો પર્યાય દેશથી ધૂન પૂર્વકોટી વર્ષ પ્રમાણ છે.' . ૬. આગમાર—પરિહારવિશુદ્ધિક અપૂર્વ-નવીન આગમનું અધ્યયન કરતો નથી, કારણ કે તે કલ્પને આશ્રયી ગ્રહણ કરેલા ઉચિત યોગના આરાધનથી જ કૃતકૃત્ય થાય છે. પરન્તુ પૂર્વે અધ્યયન કરેલું વિસ્મરણ ન થાય તે માટે હમેશાં એકાગમનવાળો. થઈ પ્રાયઃ સારી રીતે તેનું સ્મરણ કરે છે. કહ્યું છે કે “ પુર્વ સાહિબ્બરૂ ના મેમેરો પડુત્ર તૈ | નમુવિ પત્રિનો IRIઢાબો चेव कयकिच्चो ॥१॥ पुव्वाहीयं तु तयं पायमणुसरइ निच्चमेवेस। एगग्गमणोसम्म विस्सोयसिगाइखयहेऊ ॥२॥"આ (પરિહારવિશુદ્ધિક) હમેશાં એકાગમનવાળો થઈને વિસ્મરણાદિ ન થાય માટે પૂર્વે ભણેલું સમ્યગ રૂપે પ્રાયઃ સ્મરણ કરે છે.” ૭. વેદદ્વાર–વેદને આશ્રયી પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રવૃત્તિકાળે પુરુષવેદ હોય કે નપુંસક વેદ હોય, પણ સ્ત્રીવેદન હોય, કેમકે સ્ત્રીને પરિહારવિશુદ્ધિ ચારિત્રના કલ્પની પ્રાપ્તિ હોતી નથી. પરન્તુ અતીતનયને-ભૂતકાળને આશ્રયી પૂર્વ પ્રતિપનનો (પૂર્વે જેણે પરિહારવિશુદ્ધિ કલ્પ અંગીકાર કરેલો છે તેનો) વિચાર કરતા તે વેદસહિત હોય કે વેદરહિત હોય. તેમાં શ્રેણીની પ્રાપ્તિના અભાવમાં વેસહિત હોય છે અને ઉપશ્રમ શ્રેણિની પ્રાપ્તિમાં કે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં વેદરહિત હોય છે. કહ્યું છે કે“વે પવિત્તિને લ્હીવનો હો ગયો પુત્રપડિવનો પુળ હોન્ન સલો મો વા શા"-પ્રવૃત્તિકાળે સ્ત્રી સિવાયના બે વેદમાંથી એક વેદ હોય અને પૂર્વ પ્રતિપન્ન વેદસહિત હોય કે વેદરહિત હોય.” ૮. કલ્પદ્રાર_આ ચારિત્રવાળો સ્થિતકલ્પમાં હોય છે, પણ અસ્થિત કલ્પમાં હોતો નથી. “ડિયપ્પમ નિયમા' કેમકે સ્થિત કલ્પમાં અવશ્ય હોય છે –એવુ શાસ્ત્ર વચન છે. અચેલકપણા આદિ દશે કલ્પમાં રહેલા સાધુઓનો કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે. જેઓ શય્યાતર પિંડાદિ અસ્થિત કલ્પમાં રહેલા છે, બાકીના અચેલકાદિ છ કલ્પમાં રહેલા નથી તે સાધુઓનો કલ્પ અસ્થિત કલ્પ કહેવાય છે. કહ્યું છે કે “દિયયારિયો ૩ ખો માનલિફિનું ટાળે સબૈ કિયા પઢનો રસ દિવ્ય [ ગરિયા વીમો શા"-સ્થિતકલ્પ, અને અસ્થિતકલ્પ એમ બે પ્રકારનો કલ્પ છે. તેમાં માત્વાતિ બધા સ્થાનકમાં રહેલા હોય તે પ્રથમ સ્થિતકલ્પ. પણ ચાર સ્થાનકમાં સ્થિત હોય અને છ સ્થાનકમાં અસ્થિત હોય તે બીજો અસ્થિત કલ્પ.' અચલકત્વાદિ દશ સ્થાનકો આ પ્રમાણે છે-૧ અચલકપણું, ૨ ઔદેશિક, ૩ શય્યાતરપિંડ, ૪ રાજપિંડ, ૫ કૃતિકર્મ, ૬ વ્રત, ૭ જયેષ્ઠ, ૮ પ્રતિક્રમણ, ૯ માસકલ્પ અને ૧૦ પર્યુષણાકલ્પ. ચાર અવસ્થિત કલ્પ આ પ્રકારે છે-૧ શય્યાતરપિંડ, ૨ ચાતુર્યામચાર મહાવ્રત, ૩ પુરુષષ્ઠ, ૪ કૃતિકર્મકરણ-એ ચાર અવસ્થિત કલ્પો છે.” ૯. લિંગદ્વાર–આ ચારિત્ર દ્રવ્યલિંગ અને ભાવલિંગ-એ બન્ને પ્રકારના લિંગને વિષે હોય છે. કારણ કે બન્ને પ્રકારના લિંગમાંથી એક પણ લિંગ સિવાય પરિહારવિશુદ્ધિ કલ્પને યોગ્ય સામાચારીનો અસંભવ છે. - ૧૦.લેશ્યાલાર–તેજોલેશ્યા પ્રમુખ પછીની ત્રણ વિશુદ્ધ લશ્યામાં પરિહારવિશુદ્ધિક કલ્પનો સ્વીકાર કરે છે. પૂર્વપ્રતિપનપરિહાર વિશુદ્ધિને પૂર્વે પ્રાપ્ત થયેલો તો સર્વ લેશ્યાઓમાં કથંચિત્ વર્તતો હોય છે. તેમાં પણ અત્યંત સંક્લિષ્ટ એવી બીજી અવિશુદ્ધ લશ્યામાં રહેતો નથી. તેવી લેણ્યામાં રહે તો પણ તે લાંબા કાળ સુધી રહેતો નથી, પરન્તુ થોડો કાળ રહે છે. કારણ કે તે પોતાના સામર્થ્યથી જલદી તેથી નિવૃત્ત થાય છે. પ્રવતો પ્રથમથી જ તે અશુદ્ધ વેશ્યાઓમાં કેમ પ્રવર્તે છે? ઉ૦-કર્મને વશવર્તી હોવાથી પ્રવર્તે છે. કહ્યું છે કે “તેલા વિદ્ધાનું પડવન્નડું તીતુ ન ૩ળ સેના પુત્ર પડિવનો પુખ હોન્ના सव्वासुवि कहंचि ॥१॥ णऽच्चंत संकिलिट्ठासु थोवं कालं स हंदि इयरासु। चित्ता कम्माण गई तहा विवरीयं(वि વિNિ) ai હે રા” “વિશુદ્ધ એવી ત્રણ લેશ્યામાં તે કલ્પનો સ્વીકાર કરે છે. પણ બાકીની અવિશુદ્ધ વેશ્યાઓમાં સ્વીકાર કરતો નથી. પૂર્વ પ્રતિપન્ન-તે કલ્પને પૂર્વે પ્રાપ્ત થયેલો તો સર્વ વેશ્યાઓમાં કથંચિત્ હોય છે. અત્યંત સંક્લિષ્ટ એવી A. ઉપશમ શ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં પણ નવમા ગુણ સ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે વેદનો ઉપશમ કે ક્ષય કરે છે ત્યારે વેદરહિત થાય છે, તે પહેલાં વેદસહિત હોય છે. 93.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy