________________
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा
श्री प्रज्ञापना सूत्र भाग १ જાણવો. પારણાને દિવસે આયંબિલ હોય છે. અને ભિક્ષામાં પાંચ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે. તેમાં બે ભિક્ષાનો અભિગ્રહ હોય છે. કલ્પસ્થિતાદિ-વાચનાચાર્ય વગેરે [અહીં આદિ શબ્દથી અનુપરિહારિક-વૈયાવચ્ચ કરનારા લેવા.] પ્રતિદિવસ આયંબિલ કરે છે. એમ છ માસ સુધીનું તપ કરીને તપ કરનારા વૈયાવૃત્ય કરે છે અને વૈયાવચ્ચ કરનારા પરિહારિક પદમાં રહી છ માસ સુધી તપ કરે છે. પછી કલ્પસ્થિત-વાચનાચાર્ય પણ એમ છ માસ સુધી તપ કરે છે. બાકીના બધા વૈયાવચ્ચ કરે છે અને તેમાંથી એક કલ્પસ્થિત-વાચનાચાર્ય થાય છે. એ પ્રમાણે અઢાર માસ પ્રમાણવાળો કલ્પ સંક્ષેપથી વર્ણવ્યો છે. વિશેષ હકીકત કલ્યાદિ વિશેષસૂત્રથી જાણી લેવી.” પરિહારવિશુદ્ધિ કલ્પની સમાપ્તિ થયા પછી તેઓ ફરીથી પરિહારવિશુદ્ધિ ચારિત્રને, જિનકલ્પને કે ગચ્છને પ્રાપ્ત થાય છે. તે ચારિત્રને અંગીકાર કરવાની ઇચ્છાવાળા તીર્થંકરની પાસે કે તીર્થંકરની પાસે જેણે એ ચારિત્ર પૂર્વે ગ્રહણ કરેલું છે તેની પાસે એ ચારિત્ર લે છે. અન્યની પાસે લેતા નથી. એઓનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે.
હવે એ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કયા ક્ષેત્રમાં અને કયે કાળે હોય છે? એ પ્રશ્નના ઉત્તરમાં ક્ષેત્ર-કાળ વગેરેના નિરૂપણ માટે વીશ દ્વારા કહે છે—૧ ક્ષેત્રદ્વાર, ૨ કાળદ્વાર, ૩ચારિત્રદ્વાર, ૪ તીર્થદ્વાર, ૫ પર્યાયદ્વાર, ૬ આગમાર, ૭ વેદધાર, ૮ કલ્પઢાર, ૯ લિંગદ્વાર, ૧૦લેશ્યાદ્વાર, ૧૧ ધ્યાનદ્વાર, ૧૨ ગણદ્વાર, ૧૩ અભિગ્રહદ્વાર, ૧૪ પ્રવજ્યાદ્વાર, ૧૫ મુંડાપનદ્વાર, ૧૬ પ્રાયશ્ચિત્તદ્વાર, ૧૭ કારણદ્વાર, ૧૮ નિષ્પતિકર્મતાત્કાર, ૧૯ ભિક્ષાદ્વાર, ૨૦બન્ધદ્વાર (પથદ્વાર).
૧. ક્ષેત્રદ્વાર--ક્ષેત્રને વિષે જન્મ અને સદ્ભાવને આશ્રયી બે પ્રકારની માર્ગણા છે. જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છે ત્યાં જન્મને આશ્રયી માર્ગણા અને જે ક્ષેત્રને વિષે કલ્પમાં-પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં વર્તતો હોય, ત્યાં સદ્ભાવને આશ્રયી : માર્ગણા છે. કે
કહ્યું છે કે “પદ અW| ગwળો તિ મળે આ ગમખો નહિ નાતો સંતિભાવો ય નહિ તો શા"-ક્ષેત્રને વિષે જન્મથી અને સદ્ભાવને આશ્રયી બે પ્રકારની માર્ગણા છે. જ્યાં જન્મ્યો છે ત્યાં જન્મથી માર્ગણા અને જ્યાં કલ્પ-ચરિત્ર-પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં વર્તતો હોય ત્યાં સદ્ભાવથી માર્ગણા હોય છે. તેમાં પરિહારવિશુદ્ધિચારિત્રવાળો જન્મથી અને સદ્ભાવથી પાંચ ભરત અને પાંચ એરાવત ક્ષેત્રમાં હોય છે, પણ મહાવિદેહ ક્ષેત્રમાં હોતો નથી. વળી તેઓનું હરણ પણ થતું નથી, જેથી જિનકલ્પિકની પેઠે સર્વ કર્મભૂમિમાં કે સર્વ અકર્મભૂમિમાં પ્રાપ્ત થાય. કહ્યું છે કે-“જેને પહેરવાનું હોંતિ સંહરાવનિયા નિયમા"–તેઓ અવશ્ય સંહરણરહિત ભરત અને એરાવત ક્ષેત્રમાં હોય છે.
૧, સંસ્કૃષ્ટ અને સંસૃષ્ટાદિ સાત પ્રકારની ભિક્ષા છે, તેમાં પ્રથમની સંસ્કૃષ્ટ અને અસંસ્કૃષ્ટ એ બે ભિક્ષા છોડી ઉદ્ધતાદિ પાંચ ભિક્ષા ગ્રહણ કરવાની છે. તેમાં પણ એક ભક્ત સંબંધી અને એક પાણી સંબંધી એમ બેનો અભિગ્રહ હોય છે. એટલે પ્રતિદિન બે જ ભિક્ષા લેવાની
હોય છે.
૨. પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના મુદ્રિત અને લિખિત બધા પુસ્તકોમાં પરિહારવિશુદ્ધિચારિત્રના વર્ણન પ્રસંગે ૨૦ તારોની ગણનામાં “બન્ધદ્વાર'
એવો પાઠ મળે છે, પણ તેના વિવરણ પ્રસંગે બન્ધદ્વારનું વર્ણન મળતું નથી. દેવેન્દ્રસૂરિપ્રણીત પડશિતિ ચોથા કર્મગ્રન્થની ટીકામાં પરિહારવિશુદ્ધિક ચારિત્રના વર્ણન પ્રસંગે પણ છેલ્લા ૨૦ મા બન્ધદ્વારની ગણના કરી છે. અને ભિલાદ્વાર સુધી વિવરણ કર્યું છે, પણ બન્ધદ્વારનું વિવરણ કર્યું નથી. અને છેલ્લા ભિક્ષાદ્વારની સાથે વિહારક્રમનું વર્ણન છે. માતા-પિશાવિહા મથાળ તૂતીય પરિણાં મતિ, શેવા ર ાયો: 'I વળી ભિક્ષાદ્વારના વર્ણનમાં વિહારના ક્રમનું વર્ણન પણ અસંગત લાગે છે. માટે અહીં બન્ધદ્વારને બદલે પથદ્વાર કે પથિદ્વાર હોવું જોઇએ. જેથી પથિદ્વાર કે પન્થદ્વારમાં વિહારના ક્રમનું વર્ણન સંગત થાય છે. આ સંબંધી પ્રવચનસારોદ્ધારની ટીકામાં ખુલાસો છે. 'fમાતા પથારે ૨ fમક્ષાવિહામણાય તૃતીય પોપ્યો તિ'i ભિક્ષાધાર અને પત્થદ્વારમાં ભિક્ષા અને વિહારનો ક્રમ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને ત્રીજા પહોરમાં હોય છે. અને બાકીના પહોરમાં કાઉસ્સગ્ન કરવાનો હોય છે. પછીથી બધેય સરખો પાઠ મળે છે. તેથી “પથિદ્વારે ચ’ એ પાઠ ત્રુટિત થયો હોય એમ સંભવે છે. જુઓ પ્રવચનસારોદ્વાર ગાથા - ૬૦૨-૬૧૦ ટીકા પત્ર ૧૭૨-૧
91