________________
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा
श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રકારના છે? સામાયિક ચારિત્રાય બે પ્રકારના છે. તે આ પ્રમાણે–ઈ–રિક સામાયિક ચારિત્રાર્યો અને યાવત્રુથિક સામાયિક ચારિત્રાર્યો. એમ સામાયિક ચારિત્રાર્યો કહ્યા. છેદોપસ્થાપનીય ચારિત્રાર્થો કેટલા પ્રકારે છે? તેઓ બે પ્રકારના છે. તે આ પ્રમાણે–સાતિચાર છેદોપસ્થાપનીય અને નિરતિચાર છેદોપસ્થાપનીય. એમ છેદોવસ્થાનીય ચારિત્રાર્યો કહ્યા. પરિહારવિશુદ્ધિક ચારિત્રાર્થો કેટલા પ્રકારના છે? તેઓ બે પ્રકારના છે. તે આ પ્રમાણે નિર્વિશમાનક પરિહારવિશુદ્ધિક ચારિત્રાર્યો અને નિર્વિષ્ટકાયિક પરિહારવિશુદ્ધિક ચારિત્રાય. એમ પરિહારવિશુદ્ધિક ચારિત્રાર્યો કહ્યા.
સૂક્ષ્મસંપરા ચારિત્રાય કેટલા પ્રકારના કહ્યા છે? સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સંક્લિશ્યમાન સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્યો અને વિશુદ્યમાન સૂક્ષ્મસંપરા ચારિત્રાર્યો. એમ સૂક્ષ્મસંપરા ચારિત્રાર્યો કહ્યા.
યથાખ્યાત ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? યથાખ્યાત ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-છદ્મસ્થ યથાખ્યાત ચારિત્રાર્યો અને કેવલી યથાખ્યાત ચારિત્રાર્યો. એમ યથાવાત ચારિત્રાર્યો કહ્યા. એમ ચારિત્રાર્યો, અવૃદ્ધિપ્રાપ્ત
ઋદ્ધિને નહિ પ્રાપ્ત થયેલા આર્યો કહ્યા, કર્મભૂમિના મનુષ્યો કહ્યા, ગર્ભજ મનુષ્યો કહ્યા અને મનુષ્યો કહ્યા. ૭૭ll (ટી.) દર્શનાર્યના ભેદો કહીને હવે ચારિત્રાર્યના ભેદો કહે છે-“શે કિં તે' ઇત્યાદિ. ‘તે ચારિત્રાર્થો કેટલા પ્રકારના છે – ઇત્યાદિ પાઠ યાવ-અથવા ચારિત્રાર્યો પાંચ પ્રકારના છે–ત્યાંસુધી સુગમ છે. જે આ ઉપશાન્તકષાયત્વાદિ વિશેષતાના પ્રથમ સમયે વર્તે છે તે પ્રથમસમયવર્તી અને તેથી દ્વિતીયાદિ સમયને વિષે વર્તતા હોય તે અપ્રથમસમયવર્તી જાણવા. તથા તેજ ઉપશાન્તકષાયત્વાદિ વિશેષતાના છેલ્લા સમયે વર્તતા હોય તે ચરમસમયવર્તી અને તેના પહેલાં 'દ્વિચરમ, ત્રિચરમસમયાદિને ' વિષે વર્તતા હોય તે અચરમસમયવર્તી કહેવાય છે. - સામાયિકાદિ ચારિત્રનું સ્વરૂપ આ પ્રમાણે છે-“સમ-રાગદ્વેષરહિત હોવાથી સમભાવપૂર્વક આય-ગમન, પ્રવૃત્તિ તે સમાય. આ બીજી પણ સાધુઓની ક્રિયાઓનું ઉપલક્ષણ-સૂચક છે. કારણ કે સાધુઓની બધી ક્રિયા રાગદ્વેષરહિત છે. તે સમયરાગદ્વેષરહિત પ્રવૃત્તિ વડે થયેલું, અથવા તેમાં થયેલું તે સામાયિક. અથવા સમ-જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આય-લાભ તે સમાય, તેજ સામાયિક. (વિનયાદિની પેઠે અહીં સ્વાર્થમાં ઇક પ્રત્યય થયો છે જેમકે વૈનાયિક.) તે સામાયિક ચારિત્ર સર્વસાવદ્યહિંસાદિ પાપવ્યાપારના ત્યાગરૂપ છે. જો કે બધા ચારિત્રો (પાપવ્યાપારના ત્યાગરૂપ હોવાથી) સામાયિકરૂપ છે; તો પણ છેદાદિ વિશેષણો વડે વિશિષ્ટ થતાં અર્થથી અને નામાન્તરથી તેના જૂદા જૂદા ભેદો થાય છે, અને પ્રથમ ચારિત્ર વિશેષણરહિત હોવાથી તેને “સામાયિક એવા સામાન્ય શબ્દરૂપે વ્યવહાર થાય છે. તે સામાયિક બે પ્રકારનું છે-ઇત્વર અને યાત્મથિક. ઇત્વર-થોડા કાળનું અને યાવત્રુથિક-જીવન પર્યન્ત. તેમાં ઇવર સામાયિક ભરત અને એરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જેણે ફરીથી મહાવ્રતો ગ્રહણ કર્યા નથી એવા પ્રથમ દીક્ષિતને હોય છે. અને યાવસ્કથિક સામાયિક - પ્રવ્રજ્યાના ગ્રહણ સમયથી માંડી જીવનપર્યન્ત હોય છે. તે ભારત અને એરાવત ક્ષેત્રના મધ્યમ બાવીશ તીર્થકરના તીર્થમાં રહેલા તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકરના તીર્થમાં રહેલા સાધુને જાણવું. કારણ કે તેને ઉપસ્થાપન (વડી દીક્ષા)-ફરીથી મહાવત ગ્રહણ કરવાનું હોતું નથી. કહ્યું છે કે “સબૂમાં સમાય છેયાવિલિયે પુજા વિધિને વિલે સામાફિય चियमिह सामन्नसन्नाए ॥१॥ सावज्जजोगविरइत्ति तत्थ सामाइयं दुहा तं च। इत्तरमावकहंति य पढमं पढमंतिमजिणाणं |રા તિર્થે મોવિયવય સેહરૂ થવાની સેનામાવહિયં તિબ્બેસુ વિહયા = રૂા" સર્વ પ્રકારના ચારિત્ર એ સામાયિકરૂપ છે, પરન્તુછેદાદિ વિશેષણો વડે વિશિષ્ટ કરાય ત્યારે જુદા જુદા ચારિત્ર કહેવાય છે. અને અવિશેષિતછેદાદિ વિશેષણરહિત ચારિત્ર “સામાયિક એવી સામાન્ય સંજ્ઞારૂપે રહે છે. તેમાં સાવઘ યોગનો ત્યાગ કરવારૂપ સામાયિક ૧. દ્વિચરમ-છેલ્લા સમયની પહેલાનો સમય, ત્રિચરમ-છેલ્લાની પહેલાના બે સમયો; ૨, જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૩૪૩૭
89