________________
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा
श्री प्रज्ञापना सूत्र भाग १
દર્શનના સ્વીકારનો પ્રતિષેધ કર્યો, અને બીજા ‘અનભિગૃહીત’ વિશેષણથી અન્ય દર્શનના જ્ઞાનનો પણ પ્રતિષેધ કર્યો.] ધર્મસૂચિ સંબંધે કહે છે—‘નો અસ્થિાય' ઇત્યાદિ. જે જીવ જિનેશ્વર ભગવંતે કહેલા અસ્તિકાય-ધર્માસ્તિકાયાદિના ધર્મ– ગતિક્રિયામાં સહાય આપવા વગેરે સ્વભાવની અથવા શ્રુતધર્મ કે ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો. એ પ્રમાણે નિસર્ગાદિ વિશેષતાને લીધે રુચિરૂપ સમ્યગ્દર્શન દસ પ્રકારે કહ્યું.
હવે જે લિંગ-ચિહ્નો વડે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયેલું છે એમ નિશ્ચય કરાય તે લિંગ-ચિન્હો બતાવે છે–‘૫૨મત્થ સંથવો વા‘ ઇત્યાદિ. પરમાર્થસંસ્તવપરમ-તાત્ત્વિક અર્થ-જીવાદિ પદાર્થોનો સંસ્તવ-પરિચય-તત્પરતા વડે બહુમાનપૂર્વક જીવાદિ પદાર્થને જાણવાનો અભ્યાસ, સુદૃષ્ટપરમાર્થસેવના—જેણે યથાર્થરીતે જીવાદિ પદાર્થોને જાણેલા છે તેની પર્યાપાસના, યથાશક્તિ તેમના વૈયાવૃત્ત્વમાં પ્રવૃત્તિ કરવી, તથા જેઓ દર્શનથી ભ્રષ્ટ થયેલા છે એવા નિવાદિ તથા કુત્સિત દર્શન જેઓનું છે એવા બૌદ્ધાદિ કુદર્શનીનો ત્યાગ કરવો, તેઓનો પરિચય ન કરવો અને સમ્યક્ત્વની શ્રદ્ધા કરવી—એ ૫૨માર્થસંસ્વાદિ ચિન્હો વડે ‘સમ્યક્ત્વ છે’ એમ નિશ્ચય કરાય છે.
આ સમ્યગ્દર્શનના આઠ આચારો છે. તેનું યથાર્થપણે પાલન કરવું. કેમકે તેના ઉલ્લંઘનથી સમ્યગ્દર્શનનો અતિક્રમઉલ્લંધન થાય છે. માટે તે આચારો બતાવે છે–‘નિસ્યંયિ' ઇત્યાદિ. શંકિત-શંકા, તે બે પ્રકારની છે–દેશ શંકા અને સર્વ શંકા. દેશશંકા અને સર્વશંકા રહિત નિઃશંકિત કહેવાય છે. તેમાં દેશશંકા-જીવપણું સમાન છે, છતાં એક ભવ્ય અને બીજો અભવ્ય કેમ હોય? સર્વશંકા—બધા સિદ્ધાન્તો પ્રાકૃત ભાષામાં રચેલા હોવાથી કલ્પિત હશે. આ પ્રમાણે દેશશંકા કે સર્વશંકા કરવી યોગ્ય નહી. કારણ કે ભાવો બે પ્રકારના છે–હેતુગ્રાહ્ય અને અહેતુગ્રાહ્ય. તેમાં આત્માનું અસ્તિત્વ વગે૨ે હેતુગ્રાહ્ય ભાવો છે. કારણ કે તેના સાધક અનુમાનાદિ પ્રમાણો છે. અભવ્યત્વાદિ ભાવો અહેતુગ્રાહ્ય છે, અમારા જેવાની અપેક્ષાએ તેના સાધક પ્રમાણનો અભાવ છે, કારણ કે તેના હેતુઓ વિશિષ્ટ જ્ઞાનનો વિષય છે. સિદ્ધાન્તની પ્રાકૃત રચના તે બાલ વગેરેના ઉપકાર માટે છે. કહ્યું
છે કે
‘વાલ-સ્ત્રી-મૂહ-મૂળનાં મૂળાં પારિત્રાદ્િક્ષળામાં અનુપ્રજ્ઞાર્થ તત્ત્વજ્ઞ: સિદ્ધાન્ત: પ્રાકૃત: સ્મૃતા''
ચારિત્રની ઇચ્છાવાળા બાળ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ મનુષ્યોના ઉપકારને માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાન્તની રચના કરી છે. વળી પ્રાકૃત રચના પણ પ્રત્યક્ષ અને અનુમાનથી અવિરોધી છે, માટે તે પરિકલ્પિત હશે એવી અવાન્તર કલ્પનાની શંકા કરવી અયોગ્ય છે. કારણ કે સર્વજ્ઞ સિવાય પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી અવિરોધી વચનનો અસંભવ છે. અર્હત્ના શાસનને પ્રાપ્ત થયેલો જીવ જ દર્શનનું આચરણ કરતો હોવાથી તેના પ્રાધાન્યની વિવક્ષાથી નિઃશંકિત દર્શનાચાર કહેવાય છે. એથી સમ્યક્ દર્શન અને સમ્યગ્દર્શનસહિત આત્માનો કંથચિત્ અભેદ બતાવ્યો. જો એકાન્ત ભેદ હોય તો દર્શનરહિત આત્માની પેઠે તેને દર્શનના ફળનો સંબન્ધ નહિ થવાથી મોક્ષના અભાવનો પ્રસંગ થાય. એ રીતે પછીના ત્રણે ય પદોનો વિચાર કરવો. નિ:ાક્ષિત કૃતિ. કાંક્ષિત-કાંક્ષા, તે જેનાથી ગઇ છે તે નિઃકાંક્ષિત-દેશ કાંક્ષા અને સર્વકાંક્ષા રહિત. તેમાં દેશકાંક્ષા–દિગંબરાદિ દર્શનોની ઇચ્છા કરે, સર્વકાંક્ષા-‘સર્વ દર્શનો સારાં છે' એવો વિચાર કરે. આ બન્ને પ્રકારની કાંક્ષા અયુક્ત છે. કારણ કે બાકીના દર્શનોમાં અસત્ય પ્રરૂપણા અને છ જીવનિકાયની પીડાનો સંભવ છે. ‘નિવિવિત્સિ’-ઇતિ. વિચિકિત્સા–મતિવિભ્રમ, અથવા ફલનો સંશય, આવા પ્રકારની વિચિકિત્સા રહિત હોય તે નિર્વિચિકિત્સ કહેવાય. જિનશાસન તો ઉત્તમ છે, પણ તેથી તેમાં પ્રવૃત્ત થયેલા મને ફળ મળશે કે નહી. કારણ કે કૃષીવલ-ખેડૂત વગેરેની ક્રિયા સફળ અને નિષ્ફળ બન્ને પ્રકારની જણાય છે. ખેડૂતને કૃષીનું ફળ કદાચ મળે છે અને કદાચ મળતું નથી. આવા પ્રકારના વિકલ્પ–સંશય રહિત હોય. કેમકે સંપૂર્ણ કારણ એ કાર્યને સિદ્ધ કરનાર નથી હોતું એમ નથી, પણ અવશ્ય સિદ્ધ કરે છે—એવો જેને નિશ્ચય થયેલો છે તે નિર્વિચિકિત્સફળના સંદેહ રહિત કહેવાય. એટલા અંશે નિઃશંકિતથી આ ભિન્ન છે. અથવા ‘નિવિવુંછો' એવો પાઠ પણ છે. એટલે ‘નિર્વિંદન્તુનુવ્સઃ’-વિદ્વાન–સાધુની જુગુપ્સારહિત. સાધુની જુગુપ્સામાં શ્રાવકની પુત્રી ઉદાહરણ છે, તથા ‘અમૂદષ્ટિ:’
83