________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा સમાસ કરવો, તેથી નપુંસકનો નિર્દેશ કર્યો છે. “મહિપવિત્યાર' ઇતિ. (૬-૭) અધિગમરુચિ અને વિસ્તારરુચિ અધિગમ વિશિષ્ટ પરિજ્ઞાન, નય અને પ્રમાણદ્વારા થતું જ્ઞાન, તેથી જે તત્ત્વરુચિ થાય તે અધિગમરુચિ. વિસ્તાર–સંપૂર્ણ બાર અંગોનું નિયો વડે પર્યાલોચન-વિચાર કરવો, તે વડે વૃદ્ધિગત થયેલી રુચિ જેને છે તે વિસ્તારરુચિ. (૮) વિકરિયા-સંવેવમરુ' ઈતિ. અહીં પણ રુચિ શબ્દ પ્રત્યેકની સાથે જોડવો. ક્રિયા-સંયમનું સમ્યક પાલન કરવું, તેમાં જેને રુચિ છે તે ક્રિયારુચિ (૯) સવિસ્તાર તત્ત્વનું જ્ઞાન નહિ હોવાથી સંક્ષેપ-જિનેવર ભગવંતે કહેલા તત્ત્વનું સંગ્રહાત્મક સામાન્ય જ્ઞાન, તેમાં જેને રુચિ છે તે સંક્ષેપરુચિ. (૧૦) ધર્મ-અસ્તિકાયધર્મ-ધમસ્તિકાયાદિને વિષે અથવા શ્રતધર્માદિને વિષે જેને રુચિ છે તે ધર્મરુચિ. એ. ' રીતે ગાથાનો સંક્ષિપ્ત અર્થ કર્યો. હવે વિસ્તારથી સૂત્રકાર સ્વયં પોતે તેની વ્યાખ્યા કરે છે
મૂયથેન ઇત્યાદિ. ‘મૂયથેન' એ ભાવપ્રધાન નિર્દેશ છે, તેથી ભૂતાર્થપણે સત્યરૂપે “આ પદાર્થો સદ્ભૂત-પરમાર્થરૂપ છે એ પ્રમાણે જેણે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર અને ૨' શબ્દથી બન્ધાદિકને ‘સહસંમુફઝા' સંમત્યાઆત્માની સાથે રહેલી સંગત-સ્વાભાવિક મતિ વડે-પરોપદેશ સિવાય જાતિસ્મરણ અને પ્રતિભારિરૂપ મતિ વડે સત્યરૂપે પરિજ્ઞાત-જાણેલા છે, એટલું જ નહિ પરન્તુ જે જીવાદિ પદાર્થોને અનુભવે, તેના ઉપર રુચિ કરે અને તત્ત્વરૂપે આત્મમય પરિણમાવે—એ નિસર્ગ–નિસર્ગરુચિ જાણવો. એ જ અર્થને વધારે સ્પષ્ટ કરે છે નો નિદ્દેિ ભાવે' ઇત્યાદિ. જે જિનેશ્વર ભગવંતોએ જાણેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદથી અથવા નામ-સ્થાપનાદિના ભેદથી ચાર પ્રકારના ભાવોને સ્વયમેવકોઈના ઉપદેશ સિવાય પોતાની મેળે ‘પવમેવ હત'–જિનેશ્વર ભગવંતોએ જે પ્રમાણે જીવાદિ તત્ત્વ જાણેલાં છે તે પ્રમાણે જ છે, અન્યથા નથી' એમ શ્રદ્ધા કરે તે નિસર્ગરુચિ જાણવો. હવે ઉપદેશરુચિ સંબંધે કહે છે ઇ વેવ' ઇત્યાદિ. પર– જિનેશ્વર ભગવંતે અથવા છદ્મસ્થ ભગવંતે ઉપદેશ કરેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરે એ ઉપદેશરુચિ જાણવો. આજ્ઞારુચિ સંબંધે કહે છે- નો દેવમંગાવંતો' ઇત્યાદિ. જે વિવક્ષિત અર્થના સાધક હેતુને નહિ જાણતો આજ્ઞાથી જ [અહીં સુશબ્દ નિશ્ચયાર્થક છે] પ્રવચન ઉપર શ્રદ્ધા કરે કે જિનેશ્વર ભગવંતોએ કહેલાં પ્રવચનોનો અર્થ એમ જ છે, અન્યથા નથી' એ આજ્ઞારુચિ જાણવો. સૂત્રરુચિ સંબંધે કહે છે નો સુ' ઇત્યાદિ. જે સૂત્ર અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યનું અધ્યયન કરતો તેજ અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય કૃત વડે સમ્યક્ત પામે તે સૂત્રરુચિ. હવે બીજરુચિનું વર્ણન કરે છે પણ રૂ' ઇત્યાદિ. જીવાદિ તત્ત્વના એક પદવડે ‘મનેનિ પનિ' અનેક જીવાદિ પદોને વિષે [પ્રાકૃત હોવાથી અહીં સપ્તમી વિભક્તિનો અર્થ સમજવો.] ધર્મ અને ધર્મીનો અભેદોપચાર હોવાથી જે સમ્યક્ત-સમ્યક્તવાળો આત્મા ઉદકમાં તૈલબિંદુની પેઠે પ્રસરે, કેવી રીતે? જેમ પાણીના એક ભાગમાં રહેલું છતાં તેલનું બિંદુ સર્વભાગને વાત કરે, તેમ જીવાદિ તત્ત્વના એક અંશમાં ઉત્પન્ન થયેલી સચિવાળો છતાં પણ આત્મા તથાવિધ ક્ષયોપશમને લીધે બાકીના બધા તત્ત્વોમાં સચિવાળો થાય એવા પ્રકારનો બીજરુચિ જાણવો. અધિગમરુચિ સંબંધે કહે છે-“તો હો' ઇત્યાદિ. જેણે શ્રુતજ્ઞાન-અગિયાર અંગો, ઉત્તરાધ્યયનાદિ, પઈના, દેષ્ટિવાદ અને (ચ શબ્દથી) ઉપાંગો અર્થથી જાણેલા છે તે અધિગમરુચિ કહેવાય છે. વિસ્તારરુચિનું વર્ણન કરે છે
વ્યાપ' ઇત્યાદિ જેણે ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના પણ સર્વ ભાવો-પર્યાયોને યથાયોગ્ય રીતે પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણો વડે અને નૈગમાદિ નયના ભેદો વડે જાણેલા છે તે વિસ્તારરુચિ જાણવો, કારણ કે સર્વ દ્રવ્યપર્યાયને જાણવાથી તેની રુચિ અત્યન્ત નિર્મલ થયેલી હોય છે. ક્રિયારૂચિ સંબંધે કહે છે 'હંસળ' ઇત્યાદિ. ક્રિયારુચિ-દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય સર્વ સમિતિ-ઈર્યાસમિતિ વગેરે સર્વ સમિતિઓમાં અને મનોમિ વગેરે બધી ગુણિઓમાં ક્રિયાભાવની રુચિ હોય, તાત્પર્ય એ છે કે જેને દર્શનાદિ આચારનું પાલન કરવામાં રુચિ છે–તે ક્રિયારુચિ કહેવાય છે. સંક્ષેપરુચિ સંબંધે કહે છે મહિય' ઇત્યાદિ. મનમહિતશુષ્ટિ-જેણે કોઈ પણ કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, જે જિનેશ્વર ભગવંત પ્રણીત પ્રવચનને વિષે અકુશલ છે અને જે શેષ-બાકીના કપિલાદિ પ્રણીત પ્રવચનને વિષે અનભિગૃહિત છે એટલે જેણે કપિલાદિ દર્શન અભિમુખતાથી ઉપાદેયરૂપે સ્વીકાર્યું નથી, જાણ્યું નથી એવા પ્રકારનો સંપરુચિ જાણવો. ['મનખાદીત દિ:' એ વિશેષણથી બીજા
82