________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ઓગણાએશી દિવસ સુધી અપત્યનું પાલન કરવાવાળા હોય છે. કહ્યું છે કે-“T૩મુન્ની પત્તિવમાડો વર્નાસિહસંયTI हेमवएरए अहमिंदनरा मिहुणवासी ॥१॥ चउसट्ठी पिट्ठकरंडयाण मणुयाण तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य ગુગલગિડવ પાતળયા રા"-હેમવત અને હરણ્યવત ક્ષેત્રમાં એક ગાઉ ઉંચા, પલ્યોપમના આયુષ્યવાળા અને વજ8ષભનારાચસંઘયણવાળા અહમિન્દ્ર-સ્વતન્ન મિથુનવાસી મનુષ્યો હોય છે. મનુષ્યોને ચોસઠ પાંસળીઓ અને તેઓનો આહાર ચતુર્થભક્ત-એક દિવસ અતિક્રમ્યા પછી હોય છે. તેઓ ઓગણાશી દિવસ સુધી અપત્ય-સંતતિનું પાલન કરનારા હોય છે.'
પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક ક્ષેત્રને વિષે બે પલ્યોપમના આયુષ્યવાળા, બે ગાઉ પ્રમાણ શરીરની ઉંચાઇવાળા, વજઋષભનારાચસંઘયણવાળા અને સમચતરસ સંસ્થાન સહિત હોય છે. તેઓ બે દિવસ ગયા બાદ આહાર ગ્રહણ કરે છે. તેઓને એકસો અઠ્યાવીશ પાંસળીઓ હોય છે. અને તેઓ ચોસઠ દિવસ સુધી સંતતિનું પાલન કરે છે. કહ્યું છે કે-“રવાસરમ્પ
आउपमाणं सरीरमुस्सेहो। पलिओवमाणि दोन्नि उ दोन्नि उ कोसुस्सिया भणिया ॥१॥ छठुस्स य आहारो વડવિનrfખ પાપા સિ પિલાળ સાથે બાવી મુળયā રા ‘હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રને વિષે આયુષ્યનું પ્રમાણ બે પલ્યોપમ અને શરીરની ઉંચાઈ બે કોશની કહેલી છે. તેઓ બે દિવસે આહાર કરે છે અને ચોસઠ દિવસ સુધી સંતતિનું પાલન કરે છે. તેઓની પાંસળીઓ એકસો અઠ્યાવીશ જાણવી.'
પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુને વિષે મનુષ્યો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ ગાઉ પ્રમાણ શરીરની ઉંચાઇવાળા, સમચતુરસ સંસ્થાનવાળા અને વજઋષભનારા સંઘયણયુક્ત હોય છે. તેઓને બસો છપ્પન પાંસળીઓ છે. તેઓ ત્રણ દિવસ ગયા બાદ આહાર ગ્રહણ કરે છે અને ઓગણપચાસ દિવસ અપત્યની પાલના કરે છે. કહ્યું છે કે-“તો વિ વાણુ મનુયા तिपल्लपरमाउणो तिकोसुच्चा। पिट्ठिकरंडसयाई दो छप्पन्नाई मणुयाणं ॥१॥ सुसमसुसमाणुभावं अणुभवमाणाणऽवच्चगोवणया. લડાઇવિધા મનપત્તરસમાહારે રા'-બન્ને કુરુક્ષેત્રમાં મનુષ્યો ત્રણ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, અને ત્રણ કોશ ઉંચા હોય છે. તેઓને બસો છપ્પન પાંસળીઓ હોય છે.” તેઓ સુષમાસુષમા કાળના પ્રભાવને અનુભવતા ઓગણ પચાસ દિવસ સુધી સંતતિનું પાલન કરે છે. તેમજ તેઓને ત્રણ દિવસે આહાર હોય છે.
આ બધા ક્ષેત્રોમાં અન્તરદ્વીપની પેઠે મનુષ્યોને કલ્પવૃક્ષોએ આપેલા ભોગો હોય છે, પરન્તુ અન્તરદ્વીપની અપેક્ષાએ પાંચ હૈમવત અને પાંચ હૈરણ્યવતને વિષે મનુષ્યોના ઉત્થાન–બલ-વીયદિ અને કલ્પવૃક્ષોના ફળોનો આસ્વાદ તથા પૃથિવીનું માધુર્યપણું વગેરે ભાવો પર્યાયને આશ્રયી અનન્તગુણાં જાણવા. તેનાથી પણ પાંચ હરિવર્ષ અને પાંચ રચકવર્ષમાં અનન્તગુણા ભાવો છે. તેથી પણ પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુને વિષે અનન્તગુણ ભાવો છે. એમ અકર્મભૂમિના મનુષ્યો કહ્યા.દરા से किं तं कम्मभूमगा? कम्मभूमगा पन्नरसविहा पन्नत्ता। तं जहा-पंचहिं भरहेहिं, पंचहिं एरवरहिं, पंचहिं
महाविदेहेहि। ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-आ[यारिया य 'मिलक्खू या सू०-६३।। (મૂળ) કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? કર્મભૂમિના મનુષ્યો પંદર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પાંચ ભરત, પાંચ
એરવત અને પાંચ મહાવિદેહ વડે. તિના પંદર પ્રકાર થાય છે.] તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–
આર્યો અને પ્લેચ્છો. /૬૩. (ટી) કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે કે પંદર પ્રકારના કહ્યા છે. તેના પંદર પ્રકાર ક્ષેત્રના ભેદથી થાય છે, તે પ્રમાણે સૂત્રકાર કહે છે “પંહિં અરવિં' ઇત્યાદિ. પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ વડે ભેદ કરતાં પંદર પ્રકારના થાય છે. તે પંદર પ્રકારના હોવા છતાં પણ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–આર્ય અને સ્વેચ્છ. તેમાં
૧. ‘મિનિq' રૂતિ સર્વત્ર પાઠઃ (અ.સ.)
76.