SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ વગેરે ધાન્યને થાય છે, પરન્ત તે મનુષ્યોના ઉપયોગમાં આવતાં નથી. જે ત્યાંની પૃથિવી છે તે સાકરથી પણ અનન્તગુણ માધુર્યવાળી છે અને કલ્પવૃક્ષોના પુષ્પ અને ફલોના જે આસ્વાદ છે તે ચક્રવર્તીના ભોજનથી પણ અધિક ગુણવાળો છે. કહ્યું છે 3-"तेसि णं भंते ! पुष्फफलाणं केरिसए आसाए पन्नत्ते? गोयमा! जे से जहानामए रन्नो वाउरंतस्स चक्कवट्टिस्स कल्लाणे भोयणजाए सयसहस्स निष्फन्ने वन्नोवए रसोवए फासोवए आसायणिज्जे दप्पणिज्जे मयणिज्जे बिंहणिज्जे સલ્વેન્દ્રિય પત્કાગિન્ને આરાણ પુનત્ત, પત્તોવિ તરીપ વેવ પન્ના" હે ભગવન્! તેઓના પુષ્પફલોનો કેવો સ્વાદ કહ્યો છે? હે ગૌતમ! જેમ કોઈ ચાર દિશા પર્યન્ત પૃથિવીના સ્વામી ચક્રવર્તીનું કલ્યાણકારક અને લાખો રૂપિઆના વ્યયથી તૈયાર થયેલું, સુંદર વર્ણયુક્ત, ગન્ધયુક્ત, રસયુક્ત, સ્પર્શયુક્ત, આસ્વાદનીય, દર્પ ઉત્પન્ન કરે એવું, મદ ઉત્પન્ન કરે એવું, પુષ્ટિકારક અને સર્વ ઇન્દ્રિય અને ગાત્રને પ્રસન્નતા આપે એવું ભોજન આસ્વાદ વડે હોય છે, તેથી પણ વધારે ઈષ્ટ આસ્વાદ વડે કહેલું છે. તેથી પૃથિવી અને કલ્પવૃક્ષના પુષ્પો અને ફળો તેઓનો આહાર હોય છે. તેવા પ્રકારનો આહાર કરીને પ્રાસાદ વગેરેની આકૃતિવાળા ઘરના આકાર જેવા કલ્પવૃક્ષો છે તેમાં સુખપૂર્વક રહે છે. તે ક્ષેત્રમાં શરીરને ઉપદ્રવ કરનારા ડાંસ, મચ્છર, જૂ, માંકણ અને મક્ષિકાદિ જન્તુઓ ઉત્પન્ન થતા નથી. સર્પ, વાઘ, સિંહાદિ ઉત્પન્ન થાય છે તે પણ મનુષ્યોને બાધાપીડા કારક થતા નથી. અને તેઓ પણ પરસ્પર હિંસ્ય-હિંસક ભાવમાં વર્તતા નથી, કારણ કે તેઓ ક્ષેત્રના પ્રભાવથી રૌદ્ર પરિણામ-હિંસાના પરિણામ રહિત છે. મનુષ્યયુગલો છેવટના સમયે (છ મહિના આયુષ્ય બાકી હોય ત્યારે) એક યુગલનો જન્મ આપે છે, અને ઓગણાશી દિવસ સુધી તે યુગલનું પાલન કરે છે. તેઓના શરીરની ઉંચાઈ આઠસો ધનુષ છે, અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્ય છે. કહ્યું છે કે “મન્તલી, નર ઘણુસિયામસિયા સયા મુક્યા પાનંતિ मिहुणधम्म पल्लस्स असंखभागाऊ ॥१॥ चउसट्टि पिट्ठकरंडयाणि मणुयाण तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य પાલીવિજ્ઞાન પાના રાં" – “અન્તરદ્વીપના મનુષ્યો આઠસો ધનુષ ઉંચા, સદા મુદિત-પ્રસન્ન અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા મિથુનધર્મનું પાલન કરે છે. તે મનુષ્યોને ચોસઠ પાંસળીઓ હોય છે અને તેઓનો આહાર એક દિવસ ગયા બાદ હોય છે અને તેઓ ઓગણાશી દિવસ સુધી સંતાનનું પાલન કરે છે.' તેઓ થોડા કષાયવાળા અને થોડા પ્રેમના અનુબંધવાળા હોવાથી મરીને સ્વર્ગે જાય છે. તેઓનું મરણ માત્ર બગાસા, ખાંસી કે છીંક વગેરેની ક્રિયાપૂર્વક થાય છે, પરન્તુ શરીરની પીડાપૂર્વક હોતું નથી. એ અન્તરદ્વીપના મનુષ્યો કહ્યા. ll૧૧ से किं तं अकम्मभूमगा? अकम्मभूमगा तीसविहा पन्नत्ता। तंजहा-पंचहिं हेमवएहि,पंचहिं हिरण्णवरहिं, पंचहिं हरिवासेहिं, पंचहिं रम्मगवासेहि, पंचहिं देवकुरूहिं, पंचहिं उत्तरकुरूहिं। से तं अकम्मभूमगा Iટૂ-રા. (મૂળ) અકર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? અકર્મભૂમિના મનુષ્યો ત્રીશ પ્રકારના છે. તે આ પ્રમાણે-પાંચ હેમવત, પાંચ હરણ્યવત, પાંચ હરિવર્ષ પાંચ રમ્યફવર્ષ, પાંચ દેવકુફ્ટ અને પાંચ ઉત્તરકુરુ વડે ત્રીશ પ્રકારના છે. એમ અકર્મભૂમિના મનુષ્યો કહ્યા. //૬૨/ (20) હવે અકર્મભૂમિના મનુષ્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે-અકર્મભૂમિના મનુષ્ય કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે કે-અકર્મભૂમિના મનુષ્યો ત્રીશ પ્રકારના છે. તે ત્રીશ પ્રકાર ક્ષેત્રના ભેદથી થાય છે, તે પ્રમાણે કહે છે-“હિં દેવર્દિ' ઇત્યાદિ. પાંચ હૈમવતવડે, પાંચ હરણ્યવત વડે, પાંચ હરિવર્ષ વડે, પાંચ રમ્યવર્ષ વડે, પાંચ દેવમુરુ વડે અને પાંચ ઉત્તરકુરુ વડે ભેદ કરતાં ત્રીશ પ્રકારના થાય છે. કેમકે છને પાંચે ગુણતાં ત્રીશ સંખ્યા થાય છે. તેમાં પાંચ હૈમવત અને પાંચ હરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યો ગાઉ પ્રમાણ શરીરની ઉંચાઈવાળા, પલ્યોપમના આયુષ્યવાળા, વજ>&ષભ નારાચસંહનનવાળા "અને સમચતુરસ્ત્ર સંસ્થાનયુક્ત હોય છે. તેઓ ચોસઠ પાંસળીઓવાળા, એક દિવસ પૂરો થયા પછી આહાર ગ્રહણ કરનારા અને 75
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy