________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा કહેવા. બધા મળીને છપ્પન અન્તરદ્વીપો થાય છે. તેમાં રહેલા મનુષ્યો પણ ઉપચારથી એજ નામવાળા કહેવાય છે. કેમકે ‘તાશ્ચાદયપદેશ' તેમાં રહેલા હોવાથી તેનો વ્યવહાર થાય છે–એ જાય છે. જેમ પંચાલ દેશનિવાસી પુરુષો પંચાલ કહેવાય છે. તે મનુષ્યો વજઋષભનારાચસંઘયણવાળા, કંક પક્ષીના જેવા પરિણામપાચન શક્તિવાળા, અનુકુલ વાયુના વેગવાળા અને સમચતુરસસંસ્થાનવાળા હોય છે. તે આ પ્રમાણે–સુપ્રતિષ્ઠિત અને કૂર્મના જેવા સુંદર ચરણવાળા, સુકુમાર, નરમ થોડા રોમવાળી અને કુરુવિન્દના સરખી ગોળ બે અંધાવાળા, ગુપ્ત અને સુબદ્ધ સંધિવાળા જાનુ-ઢીંચણ જેઓના છે એવા, જેઓની સાથળ હસ્તિની સુંઢ સમાન ગોળ છે, જેની કેડ સિંહના સદશ છે, જેઓનો મધ્યભાગ વજના સમાન છે, જેઓનું નાભિમંડલ દક્ષિણાવર્તયુક્ત છે, જેઓની છાતી શ્રીવત્સના ચિહ્નવાળી વિશાલ અને પુષ્ટ છે, જેઓના બાહુ નગરના દરવાજાના ભોગળ સમાન લાંબા છે એવા, સુશ્લિષ્ટ-સુશોભિત મણિબન્ધવાળા, જેઓના હાથ-પગના તળીઆ રાતા કમળના જેવાં લાલ છે, જેઓની ડોક ચાર આંગળ પ્રમાણ સરખી ગોળાકાર શંખના જેવી છે, જેનું મુખ શરદના ચંદ્રના જેવું સૌમ્ય છે એવા, છત્રના આકાર જેવા માથાવાળા, અસ્ફટિત-વળેલા સ્નિગ્ધ કાન્તિવાળા અને સુંવાળા કેશો જેઓના છે એવા, ૧ કમંડલું રે કલશ, ૩યૂપ, ૪ સ્તૂપ, ૫ વાવ, ૬ ધ્વજા, ૭ પતાકા, ૮ સ્વસ્તિક, ૯જવ, ૧૦મસ્ય, ૧૧ મકર, ૧૨ કૂર્મ, ૧૩ શ્રેષ્ઠ રથ, ૧૪ સ્થાલ, ૧૫ અંશુક-વસ્ત્ર, ૧૬ અષ્ટાપદ, ૧૭ અંકુશ, ૧૮ સુપ્રતિષ્ઠક (શરાવસંપુટ), ૧૯ મોર, ૨૦ ફૂલની માળા, ૨૧ અભિષેક, ૨૨ તોરણ, ૨૩ પૃથિવી, ૨૪ સમુદ્ર, ૨૫ શ્રેષ્ઠ ભવન, ૨૬ આદર્શ, ૨૭ પર્વત, ૨૮ હાથી, ૨૯ વૃષભ, ૩૦ સિંહ, ૩૧ છત્ર અને ૩૨ ચામર રૂપ પ્રશસ્ત અને ઉત્તમ બત્રીસ લક્ષણ ધારણ કરનારા હોય છે.
સ્ત્રીઓ પણ ઉત્તમ સવાંગ સુંદર અને સર્વ પ્રકારના સ્ત્રીઓના ગુણસહિત હોય છે. પરસ્પર મળેલી આંગળીવાળા અને પની પાંખડીના જેવા કોમળ તેમજ કૂર્મના જેવા મનોહર ચરણોવાળી, જેઓની જંઘાઓ રોમરહિત અને પ્રશસ્ત લક્ષણવાળી છે એવી, ગુપ્ત અને પુષ્ટ ઢીંચણવાળી, કેળના સ્તંભ જેવા સંહત, સુકુમાર અને પુષ્ટ સાથળવાળી, મુખની લંબાઈના પ્રમાણથી, ત્રણગુણા, પુષ્ટ અને વિશાલ જઘન (કેડની આગળનો ભાગ)ને ધારણ કરનારી, સ્નિગ્ધ કાન્તિવાળી, સુંદર રચનાવાળી મૃદુનરમ રોમરાજિ જેઓની છે એવી, જેનું નાભિમંડલ દક્ષિણાવર્તના તરંગયુક્ત છે, જેનું ઉદર પ્રશસ્ત લક્ષણ સહિત છે, જેના પડખા બરોબર સંગત-સરખા છે, જેના સ્તનો સુવર્ણના કલશ જેવા સંહત-મળેલા, અતિ ઉંચા, ગોળ આકૃતિવાળા અને પુષ્ટ છે એવી, સુકુમાર બાહુલતાવાળી, સ્વસ્તિક, શંખ અને ચક્રાદિની આકૃતિવાળી રેખા વડે સુશોભિત હસ્તતલ અને પાદતલ જેના છે એવી, મુખના ત્રીજા ભાગની ઉંચાઇવાળી પુષ્ટ અને શંખલા જેવી ડોકવાળી, પ્રશસ્ત લક્ષણવાળી અને પુષ્ટ હડપચી જેઓની છે એવી, જેના અધરોષ્ઠ દાડિમના ફૂલ જેવા લાલ છે, જેના તાલે અને જીભ રક્ત કમળ જેવા છે, જેના લોચન વિકસિત કુમુદની પાંખડી જેવા લાંબા અને સુંદર છે, જેની ભૂલતા-ભૂકુટી ચડાવેલા ધનુષ્પષ્ટની આકૃતિ જેવી સુસંગત છે, જેઓનું લલાટ પ્રમાણયુક્ત છે, જેઓના કેશ સ્નિગ્ધ, મનોહર અને સુંવાળા છે એવી, પુરુષથી કંઈક ન્યૂન ઉંચાઇવાળી અને સ્વભાવથી જ ઉદાર શૃંગાર અને સુંદર વષવાળી છે. તેમજ સ્વભાવથી જ હાસ્યયુક્ત વચનો અને વિલાસના વિષયમાં અત્યન્ત નિપુણતાવાળી છે.
તથા પુરુષો અને સ્ત્રીઓ અને સ્વભાવથી જ સુગંધીવદનવાળા, સ્વલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, તેમજ સંતોષી, સુક્યરહિત, નમ્રતા અને સરલતા યુક્ત હોય છે. મહત્વનું કારણભૂત મણિ, કનક અને મોતી વગેરે મનોહર વસ્તુઓ છતાં પણ મમત્વના આગ્રહરહિત, સર્વથા વૈરાનુબન્ધ વિનાના, હાથી, ઘોડા, ઉંટ, ગાય, ભેંસ-ઇત્યાદિ છતાં તેના પરિભોગની ઇચ્છા રહિત હોય છે. તેઓ પગે ચાલનારા, વરાદિરોગ, યક્ષ, ભૂત, પિશાચાદિ, ગ્રહ અને મરકીના ઉપદ્રવથી રહિત હોય છે. પરસ્પર સ્વસ્વામિભાવથી રહિત હોવાને લીધે બધા અહમિન્દ્રો-સ્વતંત્ર છે. તેને ચોસઠ પાંસળીઓ હોય છે, અને એકાન્તર-એક દિવસ ગયા બાદ આહાર ગ્રહણ કરે છે. તેઓનો આહાર પણ શાલિ વગેરે ધાન્યનો નથી, પરન્ત પૃથિવીની માટી અને કલ્પવૃક્ષોના પુષ્પો અને ફલો હોય છે. તે આ પ્રમાણે-તે ક્ષેત્રમાં સ્વભાવથી જ શાલિ, ઘઉં, અડદ, મગ,
74