________________
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा
श्री प्रज्ञापना सूत्र भाग १
યોજન ઓળંગીને જઈએ ત્યારે ચોથી દાઢા ઉપર પૂર્વોક્ત પ્રમાણવાળો નાગોલિક નામે દ્વીપ છે. એમ ચારે દ્વીપો હિમવાનું પર્વતની ચારે વિદિશામાં તુલ્ય પ્રમાણવાળા રહેલા છે. કહ્યું છે કે “વૃત્ત'–લઘુ હિમવાનું પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ વિદિશામાં ત્રણસો યોજન જઈએ ત્યારે ત્રણસો યોજન વિસ્તારવાળા અત્તરદ્વીપો હોય છે, તેઓની કંઈક ન્યૂન નવસો ઓગણપચાસ યોજન પરિધિ છે. તેના આ નામો છે.-૧ એકોક, ૨ આભાસિક, ૩ વૈષાણિક અને ૪ નાંગોલિક.
ત્યાર બાદ એકોકાદિ ચારે દ્વીપની આગળ અનક્રમે ઈશાનાદિ વિદિશામાં ચારસો ચારસો યોજન ઓળંગીને જઈએ ત્યારે ચારસો યોજન લાંબા અને પહોળા તથા કંઈક ન્યૂન બારસો પાંસઠ યોજન પરિધિવાળા, ઉપર કહ્યા પ્રમાણે પદ્યવર વેદિકા અને વનખંડ વડે જેનો આસપાસનો ભાગ સુશોભિત છે એવા અને જંબુદ્વીપની વેદિકાથી ચારસો યોજના અન્તરવાળા હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શખુલીકર્ણ નામે ચાર દ્વીપો છે. તે આ પ્રમાણે-એકોકની પછી હયકર્ણ, આભાસિકની પછી ગજકર્ણ, વૈષાણિકની પછી ગોકર્ણ અને નાંગોલિકની પછી શખુલીકર્ણ છે.
હવે એ હયકદિ ચારે લીપની પછી ફરીને પણ અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી પાંચસો પાંચસો યોજન જઈએ ત્યારે પાંચસો યોજનની લંબાઈ અને વિસ્તારવાળા પંદરસો એકાશી યોજનની પરિઘિવાળો પદ્મવરવેદિકા અને વનખંડ વડે જેનો બાહ્ય ભાગ સુશોભિત છે એવા, જેબૂદીપની વેદિકાથી પાંચસો યોજન પ્રમાણ અન્તરવાળા ૧ આદર્શમુખ, ૨ મેંઢમુખ, ૩ અયોમુખ અને ૪ ગોમુખ નામના ચાર દ્વીપો છે. તે આ પ્રમાણે-હકર્ણની પછી આદર્શમુખ, ગજકર્ણની પછી મેંઢમુખ, ગોકર્ણની પછી અયોમુખ અને શખુલીકર્ણની પછી ગોમુખ છે. એમ આગળ પણ વિચાર કરવો.
એ આદર્શમુખાદિ ચારે દ્વીપોની પછી ફરીથી પણ અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી છસો છસો યોજન જઇએ એટલે છસો યોજન લાંબા અને પહોળા તથા અઢારસો સત્તાણું યોજન પરિધિવાળા, ઉપર કહેલા પ્રમાણવાળી પાવરવેદિકા અને વનખંડ વડે જેની આસપાસનો પ્રદેશ સુશોભિત છે એવા, જેબૂદીપની વેદિકાથી છસો યોજનના અન્તરવાળા અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ નામના ચાર દીપો છે.
એ અશ્વમુખાદિ ચાર દ્વીપની પછી અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક કીપથી સાતસો યોજન જઇએ ત્યારે સાતસો યોજન લાંબા અને પહોળા, બાવીસી તેર યોજનની પરિધિવાળા, પૂર્વે કહ્યા પ્રમાણે પ્રમાણવાળી પદ્મવરવેદિકા અને વનખંડથી વીંટાયેલ, જંબૂદ્વીપની વેદિકાથી સાતસો યોજન પ્રમાણ અન્તરવાળા અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણ અને કર્ણપાવરણ નામે ચાર દીપો છે.
ત્યારબાદ અશ્વકર્ણાદિ ચાર દીપોની પછી અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી આઠસો આઠસો યોજન અતિક્રમ્યા પછી આઠસો યોજન લાંબા અને પહોળા પચીસસો ઓગણત્રીસ યોજનની પરિધિવાળા યથોક્ત પ્રમાણવાળી પદ્મવરવેદિકા અને વનખંડવડે જેનો બાહ્ય પ્રદેશ સુશોભિત છે એવા, જંબૂઢીપની વેદિકાથી આઠસો યોજન પ્રમાણ અન્તરવાળા ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિદ્યુદત્ત નામે ચાર દ્વીપો છે.
. તે પછી આ ઉલ્કામુખાદિ ચાર દ્વીપોની આગળ અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી નવસો નવસો યોજન જઈએ ત્યારે નવસો યોજન લાંબા અને પહોળા તથા અઠ્યાવીસસો પસતાવીશ યોજનની પરિધિવાળા, પૂર્વોક્ત પ્રમાણવાળી પદ્ધવરવેદિકા અને વનખંડ વડે યુક્ત, જંબુદ્વીપની વેદિકાથી નવસો યોજન પ્રમાણ અંતરવાળા, ઘનદત્ત, લદત્ત, ગૂઢદન્ત અને શુદ્ધદત્ત નામે ચાર અન્તરદ્વીપો છે. એવી રીતે આ દ્વીપો હિમવાનું પર્વત ઉપર ચારે વિદિશામાં રહેલા છે અને બધા મળીને અઠ્યાવીશ દ્વીપો થાય છે.
એ પ્રમાણે હિમવાનું પર્વતના સમાનવર્ણ અને પ્રમાણવાળા, તથા પદ્યહૂદના સમાન લાંબા પહોળા અને ઉંડા પુંડરીક હૃદ વડે સુશોભિત શિખરી પર્વતને વિષે પણ લવણ સમુદ્રના જલના સ્પર્શથી આરંભી ઉપર કહ્યા પ્રમાણે અત્તરવાળા, ચારે વિદિશાને વિષે રહેલા એકોકાદિ દ્વીપોના સમાન નામવાળા, બરાબર અત્તર, લંબાઈ અને વિસ્તારવાળા અઠ્યાવીશ દ્વીપ
73