________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ૧૭ અશ્વકર્ણ, ૧૮ હરિકર્ણ, ૧૯ અકર્ણ, ૨૦ કર્ણપ્રાવરણ, ૨૧ ઉલ્કામુખ, ૨૨ મેઘમુખ, ૨૩ વિધુનુખ, ૨૪ વિધુદત્ત, ૨૫ ઘનદત્ત, ૨૬ લષ્ટદંત, ૨૭ ગૂઢદન્ત અને ૨૮ શુદ્ધદત્ત. એ પ્રમાણે અત્તરદ્વીપગ મનુષ્યો કહ્યા.
//૬૧/. (ટી) પશ્ચાનુપૂર્વી ન્યાયને જણાવવા માટે પ્રથમ અન્તદ્વીપના મનુષ્યોનું પ્રતિપાદન કરે છે- જે જિં -ઇત્યાદિ. તે કેટલા પ્રકારના છે ઈત્યાદિ પાઠ સુગમ છે. પરન્તુ તે અઠ્યાવીશ પ્રકારના છે. યદ્યપિ જેવા પ્રકારના, જેટલા પ્રમાણવાળા, જેટલા અંતરવાળા અને જે નામના અંતરદ્વીપો હિમવાનું પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલા છે તેવા પ્રકારના, તેટલા પ્રમાણના, તેટલા અંતરવાળા અને તે નામના જ શિખરી પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલા છે, તેથી છપન અત્તર દ્વિીપો થાય છે, તો પણ અત્યન્ત સરખા હોવાને લીધે વ્યક્તિભેદની અપેક્ષા કર્યા સિવાય અઠ્યાવીશ પ્રકારના જ કહ્યા છે. અને તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો પણ અઠ્યાવીશ પ્રકારના કહ્યા છે. હવે અંતરદ્વીપના નામનો નિર્દેશ કરી બતાવે છે તે નહીંપોરયા' ઇત્યાદિ. તે આ પ્રમાણે–એકોરુક વગેરે. એની સંખ્યા અઠ્યાવીશ હોવાથી સાત ચતુટ્ય થાય છે. એ પ્રત્યેક હિમવાનું અને શિખરી પર્વત ઉપર છે. તેમાં પ્રથમ હિમવાનું પર્વત ઉપર રહેલા અન્તરદ્વીપનો વિચાર કરીએ છીએ..
આ જંબૂદ્વીપમાં ભારત અને હૈમવત ક્ષેત્રની મર્યાદા બતાવનાર હિમવાનું નામ પર્વત છે. તે ભૂમિમાં પચીશ યોજન ઉડો, સો યોજનની ઉંચાઇવાળો, ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળો, સુવર્ણમય, અને ચીનના વસ્ત્ર જેવા વર્ણવાળો છે. તેના બને પડખાં અનેક વર્ણવાળા અને વિશિષ્ટ કાન્તિવાળા મણિના સમૂહથી સુશોભિત છે. તે બધે ય સરખા વિસ્તારવાળો અને ગગનમંડળને સ્પર્શ કરનારા રત્નમય અગિયાર શિખરો વડે વિરાજિત છે. જેનું તળ વજય છે અને જેનો તટભાગ વિવિધ પ્રકારના મણિથી અને સુવર્ણથી શોભિત છે, એવા દસ યોજન ઉંડા અને પૂર્વ-પશ્ચિમ હજાર યોજન લાંબા તથા દક્ષિણ અને ઉત્તરે પાંચસો યોજનાના વિસ્તારવાળા પદ્ધહૂદ વડે તેના શિખરનો મધ્યભાગ સુશોભિત છે. તે ચોતરફ કલ્પવૃક્ષની શ્રેણિ વડે. રમ્ય અને પૂર્વ અને પશ્ચિમના છેડા વડે લવણ સમુદ્રના જળને સ્પર્શ કરે છે. તે હિમવાનું પર્વતને લવણ સમુદ્રના જળના સ્પર્શથી આરંભી પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રત્યેકને ગજદન્તના આકારવાળી બબ્બે દાઢાઓ નીકળેલી છે. તેમાં ઈશાન કોણમાં જે દાઢા નીકળેલી છે તેના ઉપર હિમવાનું પર્વતના પર્યન્ત ભાગથી આરંભી ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે અહીં ત્રણસો યોજન લાંબો અને પહોળો તથા કંઈક ન્યૂન-નવસો ઓગણપચાસ યોજન પરિધિવાળો એકોક નામે દ્વીપ છે. આ દ્વીપ પાંચસો ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી પદ્મવરવેદિકાથી ચોતરફ સુશોભિત છે. તે પદ્મવરવેદિકાનું વર્ણન જીવાભિગમસૂત્રની ટીકામાં કહ્યા પ્રમાણે જાણવું. તે પદ્મવરવેદિકા ચારે તરફ સર્વથા વનખંડ વડે વીંટાયેલી છે. વનથી વનખંડની આ વિશેષતા છે–પ્રાયઃ ઘણા સમાન જાતિના વૃક્ષોનો સમુદાય તે વન, જેમકે અશોકવન, ચંપકવન, અને અનેક જાતના ઉત્તમ વૃક્ષોનો સમુદાય તે વનખંડ. જીવાભિગમની મૂળ ટીકામાં કહ્યું છે કે-“પાનાફદ્ધિ વર્દિ વાં, ગળાના રોહિં વણસંકે', એક જાતના વૃક્ષો વડે વન અને અનેક જાતના ઉત્તમ વૃક્ષો વડે વનખંડ કહેવાય છે. ચક્રવાલ-ગોળાકારે રહેલા તે વનખંડનો વિસ્તાર કંઈક ન્યૂન બે યોજનાનો છે અને પરિધિ પદ્મવરવેદિકાના જેટલી છે. આ વનખંડનું વર્ણન કરેલું છે તે અત્યંત વિસ્તૃત છે માટે બતાવ્યું નથી, પરન્તુ જીવાભિગમની ટીકાથી જાણી લેવું. હવે તે હિમવાનું પર્વતના છેડાથી આરંભી દક્ષિણપૂર્વ-અગ્નિકોણમાં ત્રણસો યોજન લવણ સમુદ્રમાં પ્રવેશ કરીએ એટલે અહીં બીજી દાઢા ઉપર એકોક દ્વીપના જેટલા પ્રમાણવાળો આભાસિક નામે દ્વીપ છે. તથા તે હિમવાનું પર્વતની પશ્ચિમ દિશાને વિષે તેના છેડાથી આરંભી દક્ષિણ-પશ્ચિમનૈઋત્ય કોણમાં ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે ત્રીજી દાઢા ઉપર પૂર્વોક્ત પ્રમાણવાળો વૈષાણિક નામે દ્વીપ છે. તથા તે હિમવાનું પર્વતની પશ્ચિમ દિશામાં તેના છેડાથી આરંભી પશ્ચિમોત્તર-વાયવ્ય કોણને વિષે લવણ સમુદ્રમાં ત્રણસો ૧. જુઓ જીવાભિગમટીકા (અ.સ.) પૃ. ૧૮૧-૧૮૩; ૨. વાભિગમટીકા (અ.સ.) પૃ. ૧૮૩-૧૯૮
72.