SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद तिरिक्खजोणिय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ કાલોદધિ સમુદ્રમાં તેની ઉત્પત્તિ થતી નથી, એમ પ્રતિપાદન કર્યું. ‘નિવ્વાષાĪ'-ઇત્યાદિ. જ્યારે નિર્વ્યાઘાત–પ્રતિબંધનો અભાવ હોય ત્યારે એટલે પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રોમાં સુષમસુષમાદિરૂપ અને દુઃષમાદિરૂપ કાળ વ્યાઘાત– પ્રતિબંધનું કારણ હોવાથી વ્યાઘાત-પ્રતિબન્ધરૂપ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે. અને ‘વ્યાષાત પ્રતીત્ય'વ્યાઘાતને આશ્રયી, એટલે કે—પાંચ ભરત અને પાંચ એરવતમાં તેવા પ્રકારના કાળરૂપ પ્રતિબંધ હોય ત્યારે પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં ઉત્પન્ન થાય છે. એ વડે ત્રીશે ય કર્મભૂમિમાં આસાલિકાની ઉત્પત્તિ થતી નથી’ એમ જણાવ્યું. પંદર કર્મભૂમિમાં કે પાંચ મહાવિદેહમાં બધે ય તેની ઉત્પત્તિ થતી નથી, પણ ચક્રવર્તીની છાવણીમાં [અહીં વા શબ્દ વિકલ્પાર્થક છે] વાસુદેવની છાવણીમાં, માંડલિક—અલ્પ ઋદ્ધિવાળા સામાન્ય રાજાની છાવણીમાં, મહામાંડલિક–અનેક દેશના અધિપતિ રાજાની છાવણીમાં, ‘ગ્રામનિવેશેલુ’–ઇત્યાદિ. પ્રસતિ બુયાવીર્ મુળાન્—બુદ્ધચાદિ ગુણોનો ગ્રાસ કરે તે ગ્રામ, અથવા ડાળાં મ્ય:-જ્યાં શાસ્ત્ર પ્રસિદ્ધ અઢાર કરો લેવાતા હોય તે ગ્રામ, જ્યાં ઘણા વિણવર્ગનો આવાસ હોય તે નિગમ, ધૂળના કિલ્લાથી વીંટાયેલું હોય તે ખેટ, નાના કિલ્લાથી વીંટાયેલું તે કર્બટ, જેની આસપાસ અઢી ગાઉની અંદર બીજાં ગામ ન હોય તે મંડબ, પટ્ટન અથવા પત્તન, પ્રાકૃત હોવાથી બન્નેય શબ્દોમાં એકજ સરખો નિર્દેશ થાય છે. જ્યાં નૌકાદ્વારા જ જવાય તે પટ્ટન બેટ જેવું, અને જ્યાં ગાડાં, ઘોડા અને નૌકાદ્વારા જવાય તે પત્તન. જેમકે ભરૂચ. એ સંબંધે કહ્યું છે કે—પત્તન તે કહેવાય કે જ્યાં ગાડાં, ઘોડા અને નૌકાથી જવાય, અને જ્યાં નૌકાથી જ જવાય તે પટ્ટન કહેવાય છે. ‘દ્રોણમુખ–જ્યાં જળનું નિર્ગમ અને પ્રવેશ સ્થાન હોય તે. આકર– સુવર્ણ વગેરેની ખાણો, આશ્રમ-તાપસના આવાસયુક્ત આશ્રય, સંબાધ-જ્યાં યાત્રાએ આવેલા ઘણા મનુષ્યોનો નિવાસ હોય તે, રાજધાની–જે નગ૨માં રાજા રહેતો હોય તે. ચક્રવર્તીની છાવણી વગેરે એ બધાનો વિનાશ થવાનો હોય ત્યારે ‘એત્વ ણું’ એ ચક્રવર્તીની છાવણી વગેરે સ્થાનોમાં, આસાલિકા ઉત્પન્ન થાય છે. અને તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અવગાહનાવાળા શરી૨ વડે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણ ઉત્પત્તિના પ્રથમ સમયે જાણવું. ઉત્કૃષ્ટથી બાર યોજન અને બાર યોજન પ્રમાણ લંબાઇને યોગ્ય વિષ્ફભ વિસ્તાર અને બાહલ્ય-જાડાઇ વડે ‘મૂમિ વૃત્તિત્તાનં' ભૂમિ વિદારીને–ભૂમિમાંથી નિકળીને ઉત્પન્ન થાય છે. તે ચક્રવર્તીની છાવણી વગેરેની નીચે ઉત્પન્ન થાય છે—એ ભાવાર્થ છે. તે આસાલિકા સંમૂચ્છિમ હોવાથી અસંશી છે અને મિથ્યાદૃષ્ટિ છે, કારણ કે તેને સાસ્વાદન સમ્યક્ત્વનો પણ અસંભવ છે. એ માટે અજ્ઞાની છે. અને તે અન્તર્મુહૂર્તના આયુષ્યવાળી તે આયુષ્ય પૂર્ણ કરી કાળ' કરે છે. એ પ્રમાણે બીજા આગમમાં રહેલું સૂત્ર કહીને હવે સૂત્રકાર ઉપસંહાર કહે છે—એ પ્રમાણે આસાલિકાનું સ્વરૂપ કહ્યું. से किं तं महोरगा ? महोरगा अणेगविहा पन्नत्ता । तं जहा - अत्थेगइआ अंगुलं पि, अंगुलपुहुत्तिया वि, वियत्थिं पि, વિવસ્થિપુજ્ઞત્તિયા વિ, ચિિપ, ચળિવુદ્ઘત્તિયા વિ, વ્ઝિ પિ, વ્હિપુહત્તિયા વિ, ધનુંત્તિ, અનુવુત્તિયા વિ, માયં પિ, કયવુદ્ઘત્તિયા વિ, ગોયાં પિ, ખોયાપુદ્ઘત્તિયા વિ, ગોયળસયં પિ, ખોયાપ્તયપુહુત્તિયા વિ, जोयणसहस्सं पि। ते णं थले जाता, जलेऽवि चरंति थलेऽवि चरन्ति, ते णत्थि इहं, बाहिरएसु दीवेसु समुद्दएसु हवन्ति, जे यावऽन्ने तहप्पगारा । से त्तं महोरगा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा-समुच्छिमा य गब्मवक्कतिया य । तत्थ णं जे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ णं जे ते गब्मवक्कंतिया ते णं तिविहा पन्नत्ता । तं जहा- इत्थी, पुरिसगा, नपुंसगा। एएसि णं एवमाइयाणं पज्जत्तापज्जत्ताणं उरपरिसप्पाणं दसजाइकुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवन्तीति मक्खायं । से तं उरपरिसप्पा। सू०-५६।। (મૂળ) મહોરગો કેટલા પ્રકારના છે? મહોરગો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—કેટલા એક અંગુલપ્રમાણ, અંગુલપૃથક્વ ૧. તે આસાલિકા કાળ કર્યા પછી તેને સ્થાને મોટી ભયંકર ગર્તાખાડ પડે છે અને ચક્રવર્તીની છાવણી વગેરે બધાનો ગ્રાસ કરી જાય છે. જીવસમાસમાં તો આસાલિકાને ‘બેઇન્દ્રિય’ કહેલ છે. એ સંબંધી જુઓ લોકપ્રકાશ સર્ગ ૬ શ્લોક૦ ૯૨. 67
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy