SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा समुच्छिमा य गब्भवक्कन्तिया या तत्थ णं जे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ णं जे ते गब्भवक्कंतिया ते तिविहा पन्न्ता। तं जहा-इत्थी, पुरिसगा, नपुंसगा। एएसि णं एवमाइयाणं थलयरपंचिन्दियतिरिक्खजोणियाणं पज्जत्ता-पज्जत्ताणं दस जाइकुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवन्तीति मक्खायं। से तं चउप्पयथलयरपंचिन्दियतिरिक्ख-जोणिया।।सू०-५३।। (મૂળ) સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના કહ્યા છે? સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયચયોનિકો અને પરિસર્પ પંચેન્દ્રિય તિયચયોનિકો. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ એકઝરીવાળા, ૨ બે ખરીવાળા, ૩ ગંડીપદો અને ૪ સનખપદ-નખયુક્ત પગવાળા. એકબરીવાળા કેટલા પ્રકારના કહ્યા છે? એક ખરીવાળા અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-અશ્વ, અશ્વતર(ખચ્ચર), ઘોડા, ગર્દભ (ગધેડા), ગોરક્ષર, કંદલગ, શ્રીકંદલગ, આવર્તગ, તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે, એમ એકખરીવાળા કહ્યા. બે ખરીવાળા કેટલા પ્રકારના કહ્યા છે? બે ખરીવાળા અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-ઊંટ, ગાય, ગવય (રોઝની. એક જાતિ), રોઝ, પય, મહિષ (પાડો), મૃગ (હરણ), સંબર (સાબર), વરાહ, બકરા, ઘેટાં, રુરુ (એક જાતનું હરણ), શરભ (અષ્ટાપદ), ચમર (હરણનો એક પ્રકાર), કુરંગ (હરણ) અને ગોકણદિ (હરણની જાતિ અથવા સર્પ). તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ બે ખરીવાળો કહ્યા. ગંડીપદો કેટલા પ્રકારના કહ્યા છે? ચંડીપદો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-હસ્તી, હસ્તીપૂયણગ, મંકુણહસ્તી, બગ્ગી-ગેંડાની જાત, ગંડ-ગેંડા, અને બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ ગંડીપદો કહ્યા. સનખપદ-નખસહિત પગવાળા કેટલા પ્રકારના કહ્યા છે? નબસહિત પગવાળા અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સિંહ, વાઘ (વાઘ), દ્વીપી-દીપડા, અચ્છ-રીંછ, તરચ્છ-તરસ, પરસ્સર, શૃંગાલ-શિયાળ, બિડાલ-બીલાડા, શુનક-કૂતરા, કૌલશનુક-ઘરના કૂતરા, કોકંતિકા-લોંકડી, શશક-સસલા, ચિત્રક-ચિતરા, ચિલ્લલગા, અને તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ નખસહિત પગવાળા કહ્યા. તે સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે–સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્છાિમ છે તે બધા ય નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકે સ્ત્રી, પુરુષ અને નપુંસક. એ પ્રકારે એ પર્યાપ્તા અને અપર્યાપ્ત સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના દસ લાખ ક્રોડ જાતિકુલો યોનિથી ઉત્પન્ન થયેલાં હોય છે એમ કહ્યું છે. એમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. //all (ટી) હવે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોનું સ્વરૂપ કહેવાનાં ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે-જેને ચાર પગ હોય તે ચતુષ્પદ અશ્વ વગેરે જાણવા, ઉરસા-છાતી વડે તથા ભજાત્યાં બે હસ્ત (હાથ) વડે પરિસર્પત્તિ-ચાલે તે પરિસર્પ સાપ. નોળીયા વગેરે જાણવા. ત્યાર બાદ સ્થળચર તિર્યગ્લોનિકપદની સાથે વિશેષણસમાસ કરવો. ચ શબ્દ પ્રત્યેકના પોતપોતાના અનેક ભેદોનો સૂચક છે. તે અનેક ભેદનું ક્રમથી પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે-“હે વ ત' ઈત્યાદિ, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે–ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. જેમકે–એકખરીવાળા' ઈત્યાદિ. તેમાં દરેક પગે એક એક ખરી જેઓને છે તે અશ્વાદિ એક ખરીવાળા કહેવાય છે. દરેક પગે બબ્બે ખરીઓ જેઓને છે તે ઊંટ વગેરે બે ખરીવાળા જાણવા. સુવર્ણકારની અધિકરણી–એરણને ગંડી કહે છે તેના જેવા પગવાળા હસ્તી (હાથી) વગેરેને ગંડીપદ કહે છે. સMયા-સન પતા:-દીર્ઘ નખયુક્ત પગવાળા જાનાદિક (કૂતરા વગેરે) કહેવાય છે. પ્રાકૃત હોવાથી સૂત્રમાં સગયા' એવો નિર્દેશ છે. હવે એક ખરીવાળા ચતુષ્પદોના ભેદો બતાવે છે તે વિત ઇત્યાદિ. બાકી બધું સુગમ છે. પરન્તુ અહીં કેટલા એક જીવના ભેદો અપ્રસિદ્ધ છે તે લોકથી જાણી લેવા. સ્થલચર પંચેન્દ્રિય 64
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy