SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बेइंदिय जीव पन्नवणा હોય છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ અનન્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોય છે. ‘ને ચાવને તહપ્પારા' તે સિવાયના બીજા જે અહીં કહ્યા નથી, પરન્તુ તેવા પ્રકારના હોય એટલે પ્રત્યેક વનસ્પતિરૂપે હોય કે સાધારણ વનસ્પતિરૂપે હોય તે પણ વનસ્પતિકાયપણે જાણવા. ‘તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે' ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું. પરન્તુ જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ છે ત્યાં તેને આશ્રયી અપર્યાપ્તા જીવો કદાચિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયિકો સંખ્યાતા કે અસંખ્યાતા હોય છે, અને સાધારણ વનસ્પતિકાયિક તો અવશ્ય અનન્તા હોય છે. આ સાધારણ અને પ્રત્યેકરૂપ અમુક વનસ્પતિની વિશેષતા જણાવનારી આ ગાથાઓ અહીં બતાવે છે–‘કંદા ય’ ઇત્યાદિ ત્રણ ગાથાઓ છે–કન્દ-સૂરણ કંદાદિ, કંદમૂલો અને વૃક્ષમૂલો એ સાધારણ વનસ્પતિવિશેષ છે. ગુચ્છો, ગુલ્મો અને વલ્લીઓ પ્રસિદ્ધ છે. વેણુ-વાંસ, તૃણ-અર્જુનાદિ જાણવા. પદ્મ, ઉત્પલ અને શીંગોડાં વગેરે પ્રસિદ્ધ છે. ‘હઢ’ જલમાં થતી એક જાતની વનસ્પતિ છે. સેવાલ પ્રસિદ્ધ છે. કૃષ્ણ, પનક, અવક, કચ્છ, ભાણી અને કન્તુક એ એક જાતની સાધારણ વનસ્પતિ છે. આ ઉ૫૨ કહેલી ઓગણીશ વનસ્પતિઓમાં કોઇની પણ ત્વચાદિકમાંની કોઇ કોઇ પણ યોનિ (ઉત્પત્તિ સ્થાન) હોય છે. તાત્પર્ય એ છે કે–કોઇની ત્વચા, યોનિ હોય છે, કોઇની છાલ, યાવત્ કોઈનું મૂળ, કોઇનો અગ્રભાગ, કોઇનો મધ્યભાગ અને કોઇનું બીજ યોનિરૂપ હોય છે. ‘સે નં’ ઇત્યાદિ. એ પ્રમાણે ચારે નિગમનો સુગમ છે. એ પ્રમાણે એકેન્દ્રિય જીવો કહ્યા. I૪૫॥ || તેવિયનીવ વળવા || से किं तं बेईदिया? बेइंदिया अणेगविहा पन्नत्ता । [ से किं तं बेइंदियसंसारसमावण्णजीव पण्णवणा ? નેફયિસંસારસમાવાનીવ પાવળા] તેં નહા-પુત્તાવિમિયા, ઋદ્ધિિિમયા, મંજૂથના, ગોલોમા, 'પાવરા, સોમળતા, વંસીમુહા, સૂમુદ્દા, ગોનલોયા, નતોયા, ગાલાયા, સંઘા, સંઘ, ખુલ્લા, ઘુલ્લા, [મુળયા, અંધા] વાડા, સોત્તિયા, મોત્તિયા, તુયા વાસા, ગોવત્તા, ડુગોવત્તા, વિયાવત્તા, સંવુધા, માવાહા, सिप्पिसंपुडा, चंदणा, समुद्दलिक्खा, जे यावऽन्ने तहप्पगारा। सव्वे ते समुच्छिमा नपुंसगा । ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य। एएसि णं एवमाइयाणं बेइंदियाणं पज्जत्तापज्जत्ताणं सत्त जाइकुलकोडिजोणीप्पमुहसयसहस्सा भवंतीति मक्खायं । से त्तं बेइंदिय-संसारसमावन्न - जीवपन्नवणा।। सू० - ૪૬।। (મૂળ) બેઇન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે? બેઇન્દ્રિય જીવો અનેક પ્રકારના કહ્યા છે–તે આ પ્રમાણે-પુલાકિમિયા, કુક્ષિકૃમિ, ગંડૂયલગ–ગંડોલા–મોટા કૃમિ, ગોલોમ, ગ઼ઉર, સોમંગલગ, વંસીમુખ, સૂચિમુખ, ગોજલૌકા, જલૌકા, જાલાય, શંખ, શંખનક–શંખલા, ઘુલ્લા, ખુલ્લા, ગુલયા, ખંધ, વરાટ–કોડા, શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકત આવર્ત, દ્વિધાડઽવર્ત, નંદિકાડડવર્ત, સંબુક્ક-શંબુક, માતૃવાહ, શુક્તિસંપુટ, ચંદનક, સમુદ્રલિજ્ઞા, અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે. તે બધા સંમૂર્છિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. એ પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિયોના સાત લાખ ક્રોડ કુલો યોનિપ્રમુખ–યોનિથી ઉત્પન્ન થયેલાં હોય છે—એમ કહ્યું છે. એ પ્રમાણે બેઇન્દ્રિય સંસારી જીવો કહ્યા. I૪૬॥ (ટી૦) હવે બેઇન્દ્રિય જીવોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–બેઇન્દ્રિય જીવો કેટલા પ્રકા૨ે છે? આચાર્ય ઉત્તર આપે છે કે બેઇન્દ્રિયો અનેક પ્રકારના કહ્યા છે-‘પુત્તાિિમયા' વગે૨ે. પુલાકિમિયા–ગુદાના ભાગમાં ઉત્પન્ન થયેલા કૃમિ. કુક્ષિ– ઉદરમાં ઉત્પન્ન થયેલા તે કુક્ષિકૃમિ. શંખ-સમુદ્રમાં ઉત્પન્ન થયેલા પ્રસિદ્ધ છે. શંખનક—નાના શંખ, જેને શંખલા કહે છે. ૧. ખેડા આ. સ.; ૨. માવાદા 58
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy