________________
प्रथम पद -साहारण सरीर बादर वणस्सइकाइय जीव पत्रवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
તે આ પ્રમાણે–નિગોદના જીવોની ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત કાળની સ્થિતિ કહી છે, અને ત્યારબાદ વધતા તે પ્રત્યેકરૂપે થાય છે. ‘સમકં' એક કાળે ઉત્પન્ન થયેલા સાધારણ વનસ્પતિકાયિકોની–એક કાળે શરીરની ઉત્પત્તિ થાય છે, એક સાથે પ્રાણાપાનગ્રહણ–શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે, ત્યાર બાદ એક કાળે ઉચ્છ્વાસ-નિઃશ્વાસ હોય છે (૫૩). એક સાધારણવનસ્પતિકાયિક જીવને જે આહારાદિ પુદ્ગલોનું ગ્રહણ થાય છે તેજ ઘણા સાધારણ જીવોને સમજવું. તાત્પર્ય એ છે કે જે આહારાદિકને એક જીવ ગ્રહણ કરે છે તેના શરીરને આશ્રયી રહેલા બાકીના ઘણા જીવો પણ તેજ આહારાદિ ગ્રહણ કરે છે, અને ઘણા જીવોને જે આહારાદિનું ગ્રહણ થાય છે તે સંક્ષેપથી–એક શ૨ી૨માં સમાવેશ હોવાથી એકને પણ ગ્રહણ થાય છે (૫૪). ઉ૫૨ કહેલી બાબતનો ઉપસંહાર કરતા કહે છે–‘સાધારણ' ઇત્યાદિ. એક શરીરાશ્રિત બધાય જીવોનો ઉપર કહ્યા પ્રમાણે જે સાધારણ આહાર–આહાર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ, સાધારણ શ્વાસોચ્છ્વાસયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ, ઉપલક્ષણથી સાધારણ ઉચ્છ્વાસ–નિઃશ્વાસ અને સાધારણ શરીરની ઉત્પત્તિ તે સાધારણ જીવોનું લક્ષણ જાણવું (૫૫). હવે એક નિગોદશરીરને વિષે અનન્ત જીવો પરિણત થયેલા હોય છે તેમ જે રીતે પ્રતીતિમાં આવે તેવી રીતે પ્રતિપાદન કરે છે–જેમ તપાવેલા લોઢાનો ગોળો તપ્ત સુવર્ણની જેમ બધી અગ્નિથી પરિણત થાય છે. તેમ નિગોદના જીવોને જાણો. એટલે તેવી રીતે નિગોદરૂપ પણ એક એક શરીરમાં તે શરીરૂપે પરિણત થયેલા અનન્ત જીવોને જાણો (૫૬). એમ છતાં એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાતા અને (વા શબ્દથી) અસંખ્યાતા નિગોદ જીવોના શરીરો જોઈ શકવા યોગ્ય નથી, કારણ કે તેવા પ્રકારના શરીરોનો અભાવ છે. એક, બે, ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા જીવોએ ગ્રહણ કરેલા અનન્ત વનસ્પતિકાયિકના શરીરો નથી પણ અનન્ત જીવોના પિંડરૂપ હોય છે. તો પછી શી રીતે દેખી શકાય? તેના ઉત્તરમાં કહે છે–‘દીસંતી' ઇત્યાદિ–બાદર અનન્ત નિગોદ જીવોના શરીરો દેખી શકાય છે, પણ સૂક્ષ્મ નિગોદજીવોના શરીરો દેખાતા નથી. કેમકે તેઓના શરીરો અનન્ત જીવોના સંઘાતરૂપ હોવા છતાં પણ દેખી શકાય તેવા સ્વભાવવાળાં નથી. કારણ કે તેવા પ્રકારના સૂક્ષ્મ પરિણામ વડે પરિણત થયેલાં છે. પ્ર–શી રીતે જાણી શકાય કે નિગોદરૂપ શરીરો અનન્ત જીવોના પરિણામથી પરિણત થયેલાં છે? ગુરુ કહે છે કે જિનવચનથી જ જાણી શકાય છે. અને તે આ પ્રમાણે છે-‘‘ગોતા હૈં અસંવેગ્ગા દોતિ નિયોયા અસંહયા ગોતા પોળો ય નિોો અનંતનીવો મુળેયળો'' અસંખ્યાતા ગોળા છે, એ ગોળામાં અસંખ્યાતી નિગોદો છે અને એક એક નિગોદ· અનન્ત જીવાત્મક જાણવી.
હવે એ નિગોદના જીવોનું પ્રમાણ બતાવે છે–એક એક લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદનો જીવ સ્થાપન કરવો. એ રીતે માન કરતાં નિગોદના જીવો અનન્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ થાય છે. હવે પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ કહે છે—એક એક લોકાકાશના પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિના જીવનો સ્થાપન કરવો. અને એ રીતે માન કરતાં પ્રત્યેક વનસ્પતિના જીવો અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ થાય છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ જીવોનું પ્રમાણ બતાવે છે–ઘનરૂપે કલ્પેલા લોકની પ્રત૨ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો હોય તેટલા પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયિક જીવો છે, અને અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિના જીવો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ
૧. સાધારણ વનસ્પતિના શ૨ી૨ને નિગોદ કહે છે.
૨.‘‘વસરનૂં તોો બુદ્ધિવો હોફ સત્તરનુષનો તીહ પણ્ણા સેઢી પયો ય તત્વો''' લોક ઉંચાઇમાં ચૌદ રજ્જુ-રાજ પ્રમાણ
છે અને નીચે કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ પહોળો છે. અને પછી ઘટતો ઘટતો તીરછા લોકના મધ્ય ભાગમાં તેનો વિસ્તાર એક રજ્જુ પ્રમાણ છે. ત્યાર બાદ ક્રમશઃ વૃદ્ધિ પામતો બ્રહ્મલોકના મધ્ય ભાગમાં પાંચ રજ્જુ પહોળો છે અને પછી ઘટતો ઉ૫૨ લોકાન્તે એક રજ્જુ પ્રમાણ છે. તેથી તેની આકૃતિ કેડ ઉપર હાથ મૂકી પહોળા પગ કરી ઉભા રહેલા પુરુષના જેવી થાય છે, આ પ્રકારના લોકનો બુદ્ધિથી– કલ્પનાથી ઘન કરતા ચતુષ્કોણ લંબાઇ, પહોળાઇ અને જાડાઇમાં સાત રજ્જુ પ્રમાણ થાય છે. એ પ્રમાણે ઘનીકૃત લોક પ્રમાણ દીર્ઘ-લાંબી એક એક આકાશ પ્રદેશની પંક્તિ તે સૂચિ શ્રેણિ કહેવાય છે. અને તે સૂચિ શ્રેણિનો વર્ગ ક૨વો એટલે સૂચિ શ્રેણિના આકાશ પ્રદેશોને તેટલી સંખ્યાએ ગુણવા એટલે પ્રતર કહેવાય છે. જેમ કે અસત્કલ્પનાએ ત્રણ પ્રદેશની સૂચિ શ્રેણિને ત્રણે ગુણતાં નવ પ્રદેશનો પ્રત૨ થાય છે. જુઓ-કર્મગ્રંથ શતક ગા. ૯૭.
57