SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पत्रवणा લોકાકાશના પ્રતરના અસંખ્યાતમાં ભાગે છે, અપર્યાપ્તા પ્રત્યેક જીવો અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે, અને સાધારણ જીવો અનન્ત લોકાકાશ પ્રમાણ છે (૬૦). એમ પ્રરૂપણા કરેલા તે–બાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે. અને સૂક્ષ્મ જીવો આજ્ઞાગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષુનો વિષય થતા નથી (૬૧). તે સિવાયના બીજા તેવા પ્રકારના પ્રત્યેક કે સાધારણ હોય તે વનસ્પતિકાયપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પર્યાપ્તા છે તેઓના વર્ગાદેશ, ગન્ધાદેશ, રસાદેશ અને સ્પર્શદેશથી હજારો ભેદો થાય છે. તેઓના સંખ્યાતા લાખ યોનિપ્રવાહો છે. પર્યાપ્તાને આશ્રયી અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં કદાચિત્ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત અપર્યાપ્તા હોય છે. એ વનસ્પતિકાયિકના સંબંધમાં આ ગાથાઓ જાણવી ૧ કન્દ, ૨ કન્દમૂલ, ૩ વૃક્ષમૂલ, ૪ ગુચ્છ, ૫ ગુલ્મ, ૬ વલ્લી, ૭ વેણુ-વાંસ, ૮ તૃણ, ૯ પદ્મ, ૧૦ ઉત્પલ, ૧૧ સંઘાટ, ૧૨ હઢ, ૧૩ સેવાળ, ૧૪ કૃષ્ણક, ૧૫ પનક, ૧૬ અવક, ૧૭ કચ્છ, ૧૮ ભાણી અને ૧૯ કંદુક–એઓમાં કોઇ કોઇ વનસ્પતિની ત્વચા, છાલ, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજને વિષે યોનિ હોય છે, એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, વનસ્પતિકાયિકો અને એકેન્દ્રિય જીવો કહ્યા. ૪૫ (ટી૦) હવે સાધારણવનસ્પતિકાયિકનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે—સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે કે—સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે—અવક, પનક–ઇત્યાદિ. તેમાં કેટલા એક સાધારણ વનસ્પતિકાયિકો અતિપ્રસિદ્ધ હોવાથી અને કેટલા એક દેશવિશેષથી સ્વયં જાણવા. ઉપ૨ કહ્યા સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે પણ અનન્તજીવવાળા જાણવા (૧-૭). ‘તૃળ’ ઇત્યાદિ. તૃણનું મૂળ, કન્દનું મૂળ અને વાંસનું મૂળ એઓમાં ક્યાંઇક જાતિભેદથી કે દેશભેદથી સંખ્યાત જીવો અને ક્યાંઇક અસંખ્યાતા જીવો અને ક્યાંઇક અનન્ત જીવો જાણવા (૮). ‘શંટલ્ય' ઇત્યાદિ. શીંગોડાનો ગુચ્છ અનેકજીવવાળો જાણવો, કારણ કે તેની ત્વચા અને શાખા વગેરે અનેકજીવાત્મક છે. પરન્તુ તેમાં જે પાંદડાં છે તે એક એક જીવવાળા હોય છે. અને એક એક ફળને વિષે બબ્બે જીવો કહ્યા છે (૯). ‘યસ્ય મૂલસ્ય' ઇત્યાદિ. જેનું મૂળ ભાંગવાથી સમભંગ-એટલે એકાન્ત સરખો ચક્રના આકારવાળો ભંગ સ્પષ્ટરૂપે દેખાય તે મૂળ અનન્ત જીવાત્મક જાણવું. તે સિવાયના બીજાં મૂળો જે ભાંગવામાં આવ્યા ન હોય પણ તેવા પ્રકારના– ભાંગેલા મૂળના સરખા હોય તે મૂળો પણ અનન્ત જીવાત્મક જાણવા. એ પ્રમાણે કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજ સંબંધી પણ નવે ગાથાઓનું વ્યાખ્યાન કરવું (૧૦–૧૯). હવે પ્રત્યેકશરીરવાળી વનસ્પતિનું લક્ષણ કહેવાને માટે મૂળકાર દસ ગાથાઓ જણાવે છે—‘યસ્ય' ઇત્યાદિ. જે મૂળને ભાંગવાથી તેના ભંગસ્થળે હીર–વિષમ છેદવાળો ખડબચડો કે પાંચાવાળો ભાગ સ્પષ્ટરૂપે જણાય તે મૂળ પ્રત્યેક જીવાત્મક જાણવું. તે સિવાયના બીજાં મૂળો જે ભાંગેલા નથી પણ તેવા પ્રકારના હીરવાળા (ખાંચાવાળા), ભાંગેલા મૂળના સરખાં હોય તે પ્રત્યેકજીવાત્મક જાણવાં. એમ કન્દ્રાદિના સંબન્ધમાં નવે ગાથાઓ જાણવી. (૨૦–૨૯). હવે મૂલાદિની છાલનું અનન્તકાયિકપણું જાણવા માટે લક્ષણ કહે છે—જે મૂળના કાષ્ઠ-મધ્ય ભાગમાં રહેલા ગર્ભથી તેની છાલ જાડી હોય તે અનન્તજીવાત્મક જાણવી. ‘ને યાવના તહાવિજ્ઞ' અને જે અનન્ત જીવપણે નિશ્ચિત થયેલી છાલથી ૧. દસ લાખ યોનિ પ્રત્યેક વનસ્પતિકાયિકોની અને ચૌદ લાખ યોનિ સાધારણ વનસ્પતિકાયિકોની છે. અને બન્નેની મલીને અઠ્ઠાવીસ લાખ કુલ કોટિ છે. ૨. વનસ્પતિસાતિમાં સમભંગનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે---ખડી વગેરેના ચૂર્ણ વડે બનાવેલી વર્તા-વાટનો ભંગ જેવો બધે સ્થળે સરખો હોય છે તેવો, અથવા કયારાની તરી-પોપડીના જેવો હોય તે સમભંગ જાણવો, જે હમેશાં સમભંગવાળા હોય તે અનન્તકાયિકો સમજવા, પરંતુ જે કોમળપણાથી સમભંગવાળા હોય તે અનન્તકાયિકો ન જાણવા. - જુઓ લોક પ્રકાશ ૫. ૪૦૮ 54
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy