SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बायर वणस्सइकाय जीव पत्रवणा શ્લેષ્માતક—ગુંદો, સલ્લકી (સાલરી), મોચકી (શેમળો), માલુક (કૃષ્ણ તુલસી), બકુલ–બોરસળી, પલાશ–ખાખરો, કરંજ, પુત્રંજીવ, અરીષ્ટ–અરીઠા, બહેડા, હરિતક–હરડે, ભીલામા, ઉબેરિકા, ક્ષીરિણી (ગંભારી), ધાતકી–ધાવડી, પ્રિયાલ–રાયણ, પૂતિનિબકરંજ–(પૂતિકરંજ) કાંચકાનું ઝાડ, સુઠ્ઠા-શ્ર્લષ્ણા, શિશપા-શીશમ, અસન–બીયો, પુન્નાગ– નાગકેસર, નાગવૃક્ષ (વછનાગ), શ્રીપર્ણી–સીવણ, અશોક અને તે સિવાય બીજા તેવા પ્રકારના વૃક્ષો. એઓના મૂલો, કંદો, સ્કંધો—થડો, ત્વચા, શાખા અને પ્રવાલો (નાના પાંદડાં) અસંખ્યાતબીજવાળા હોય છે. પાંદડાં પ્રત્યેકબીજવાળાં, પુષ્પો અનેક જીવવાળાં, અને ફ્લો એક બીજવાળાં છે. એમ એકબીજવાળાં વૃક્ષો કહ્યાં. ।।૩૨।। (ટી૦) હવે એક બીજવાળા વૃક્ષોનું પ્રતિપાદન કરવા પ્રશ્ન કરે છે ‘એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે? એક બીજવાળા વૃક્ષો અનેક પ્રકારના કહ્યા છે. જેમકે-‘ણિંબંબ’ ઇત્યાદિ ત્રણ ગાથાઓ છે. તેમાં લીંબડો, આંબો, જાંબુ અને કોશંબ પ્રસિદ્ધ છે. શાલ–સર્જતરુ, રાળ, ‘અંકોલ્લ’–અંકોઠ, પ્રાકૃત હોવાથી સૂત્રમાં ‘ઠ’ નો ‘લ’ થયો છે. પીલુ-પ્રસિદ્ધ છે, શેલ—શ્લેષ્માતક–ગુંદો, સલ્લકી–આ વનસ્પતિ હાથીને બહુ પ્રિય છે. મોચકી અને માલુક એ બન્ને અમુક દેશમાં પ્રસિદ્ધ વનસ્પતિ છે. બકુલ–બો૨સળી, પલાશ–કેસુડો, કરંજ–કણજીઓ, પુત્રંજીવક દેશવિશેષમાં પ્રસિદ્ધ છે, 'અરિષ્ટ–પિચુમન્ત અરીઠા, બિભીતક–બહેડા, ભલ્લાતકભીલામાનું ઝાડ–જેના ભીલામા નામના ફળો લોકપ્રસિદ્ધ છે. ઉંબેભરિકા, ક્ષીરિણી-ગંભારી, ધાતકી, પ્રિયાલ–રાયણનું વૃક્ષ, પૂતિનિંબકરંજ, શ્લષ્ણા (સુસ્ના) શિંશષા-શીશમ, અસન–બીયાનું ઝાડ, પુન્નાગ-નાગકેસર, નાગ, શ્રીપર્ણી–સીવણ અને અશોક એ લોકપ્રસિદ્ધ છે. તે સિવાય બીજા પણ તેવા પ્રકારના તે તે દેશમાં થનારા વૃક્ષો હોય તે બધાય એકાસ્થિ-એક બીજવાળા વૃક્ષો જાણવા. એઓના મૂળો પણ અસંખ્ય જીવવાળા એટલે–અસંખ્યાતા પ્રત્યેકશ૨ી૨ી જીવવાળા છે. એમ કન્દો, સ્કંધો–થડો, ત્વચા, શાખા અને પ્રવાલ–પલ્લવો પણ દરેક અસંખ્ય પ્રત્યેકશરીરી જીવવાળા જાણવા. તેમાં જે કંદની નીચે રહેલા અને ભૂમિની અંદર ચોતરફ ફેલાયેલા હોય છે તે મૂળો, અને તે મૂળના ઉપ૨ કન્દ હોય છે તે લોકપ્રસિદ્ધ છે. સ્કન્ધ-થડ, ત્વચાછાલ, પ્રવાલ–પલ્લવાંકુર અને પાંદડા–પ્રત્યેક જીવવાળા છે એટલે એક એક પાંદડાને આશ્રયી એક એક જીવ રહેલો છે. ‘પુષ્પો અનેક જીવવાળા છે,’ કારણ કે ઘણું કરી પુષ્પની દરેક પાંખડીએ એક એક જીવ હોય છે. ફળો એકબીજવાળાં છે. ઉપસંહાર કહે છે–‘એ પ્રમાણે એકાસ્થિક વૃક્ષો કહ્યા.’ II૩૨॥ સંજિત વહુવીયા? વહુવીયા અને વિજ્ઞાપનત્તા તંનહા-અસ્થિય-તેંડુ-વિદેગવાડ-માનiિવિજ્ઞેયા આમના[આIIII]-ાસ-વાહિમ-બમોટ્ટેબાસોત્થ] સંગ-વડેય।।।।ો[ોિ.]-તિરુવàપિપ્પરી सयरी पिलुक्खरुक्खे[ पिलुक्खुरु] य। काउंबरि[ कत्थंभरि] कुत्थंभरि बोद्धव्वा देवदाली यं ॥ २ ॥ तिलए 'लउ છત્તોષ-સિરીને સત્તવન્ન-હિવશે। લો-ધવ ચંતા-ખુળ-ળીમે ડર્યંને યાાાાને યાવડને તહપ્પાII તેસિ ાં મૂલાનિ અસંવેગ્નનીવિયા, વિ, અંધા વિ, તથા વિ, સાતા વિ, પવાના વિા પત્તા પજ્ઞેયનીવિયાા પુખ્ખા અને નીવિયાા ના વહુવીયા સે સું વહુવીયા સે સં વા।।સૂ॰-૩૩।। (મૂળ) બહુબીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે? બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે–૧ અસ્થિક, (અગસ્તિક?), ૨ તિન્દુક-ટીંબરુ, ૩ કપિત્થક-કોઠા, ૪ 'અંબાડક, ૫ માતુલિંગ (બીજોરું), ૬ બિલ્વ (બીલા), ૧. ટીકાકાર અરિષ્ટનો પર્યાયશબ્દ ‘પિન્નુમન્ત્ર' મૂકે છે, પણ પિચુમન્દનો અર્થ લીંબડો થાય છે, અને પહેલાં જ આવી ગયેલ છે. માટે અહીં અરીઠાનું ઝાડ લેવું એમ સંભવે છે. ૨. માયગિરિાયૈત્ર ટીાયાં 'નવ' કૃતિ નામ નિêિષ્ટમિતિ, પ્રતિષુ તુ હ્રણ્ કૃત્યેવ પાડો વર્તતા ૩. અસ્થિ – એ નામની વનસ્પતિ અત્યારે ઉપલબ્ધ નથી. કદાચ અસ્થિય (અગસ્તિક) અગથીયો હોય. ૪. અનાડા એ આધ્રાત નું પ્રાકૃત રૂપ છે, તેને અંબાડો અથવા અંભેડો કહેવામાં આવે છે, હિન્દીમાં અંબાડા કહે છે. ‘આમ્રત આપ્રાત:' તેનું ફળ આંબાના જેવું અને કદમાં સોપારીના જેવડું હોય છે. પણ તેને એક બીજ હોય છે, અને અહીં બહુબીજવાળા વૃક્ષોમાં તેની ગણના કરવામાં આવી છે. માટે આમ્રાતક-અંબાડક કોઈ બીજી વનસ્પતિ હોવી જોઈએ. અથવા કોઈ દેશમાં આમળાની પેઠે બહુબીજવાળું પણ આધ્રાતક હોય. 44
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy