SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बायर पुढविकाय जीव पन्नवणा શર્કરા-નાના પત્થરના કકડા, ૩ વાલુકા-રેતી, ૪ ઉપલ-ટાંકણા વગેરે ઉપકરણથી ઘડવા લાયક પત્થર, ૫ શિલા-દેવમંદિરની પીઠાદિને ઉપયોગી મોટો પત્થર. ૬ લવણ-સમુદ્રાદિના પાણીથી બનેલું મીઠું, ઊષ-ખારો, જેનાથી ઊખર જમીન કહેવાય છે. ૮ લોઢું ૯ તાંબુ, ૧૦ જસત, ૧૧ સીસું, ૧૨ રૂપું, ૧૩ સુવર્ણ' એ પ્રસિદ્ધ છે. ૧૪ વજ-હીરો, ૧૫ હડતાળ, ૧૬ હિંગલો અને ૧૭ મણસીલ પ્રસિદ્ધ છે. ૧૮ સાસગ-પારો, ૧૯ અંજન-સૌવીરાજેન-સુરમો વગેરે, ૨૦ પ્રવાલ-પરવાળાં, ર૧ અભ્રપટલ (અબરખ) પ્રસિદ્ધ છે. ૨૨ અભ્રવાલુકા-અબરખના કણથી મિશ્રિત થયેલી રેતી, આ ખર બાદર પૃથિવીકાયના ભેદો છે. મણિના ભેદો પણ બાદર પૃથિવીકાયના ભેદરૂપે જાણવા તે મણિના ભેદો બતાવે છે. “ગોમેધ્યક' ઇત્યાદિ. ૨૩ ગોમેધ્યક, ૨૪ ચક, ૨૫ અંક, ૨૬ સ્ફટિક, ૨૭ લોહિતાક્ષ, ૨૮ મરકત-નીલમ, ૨૯ મસારગલ્લ, ૩૦ ભુજમોચક, ૩૧ ઇન્દ્રનીલ, ૩૨ ચંદન, ૩૩ ગરિક, ૩૪ હંસગર્ભ, ૩૫ પુલક, ૩૬ સૌગન્ધિક, ૩૭ ચંદ્રપ્રભ, ૩૮ વૈડૂર્ય, ૩૯ જલકાન્ત અને ૪૦ સૂર્યકાન્ત. એ પ્રમાણે પહેલી ગાથાથી પૃથિવ્યાદિ ચૌદ ભેદો, બીજી ગાથાથી હડતાળ વગેરે આઠ ભેદો, ત્રીજી ગાથાથી ગોમેધ્યકાદિ મણિના નવ ભેદો અને ચોથી ગાથાથી બાકીના નવ ભેદો. એમ બધા મળીને ચાળીશ ભેદો ખરબાદરપૃથિવીકાયિકના કહ્યા. તે સિવાય બીજા તેવા પ્રકારના પદ્મરાગાદિ મણિના ભેદો હોય તે ખરબાદર પૃથિવીકાયપણે જાણવા. તે સામાન્યરૂપે બાદર પૃથિવીકાયિકો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે અસંપ્રાપ્ત-સ્વયોગ્ય બધી પક્ષિઓને પ્રાપ્ત થયેલા નથી. અથવા અસંપ્રાપ્ત એટલે વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તે આ પ્રમાણે–વણદિના ભેદની વિવક્ષા કરવામાં આવે તો તેઓનો કૃષ્ણાદિ વર્ણરૂપે વ્યવહાર કરી શકાતો નથી. કારણ કે શરીરાદિ પયક્તિઓ પૂરી થયા પછી બાદર જીવોમાં વણદિનો વિભાગ પ્રકટ થાય છે, પણ અપૂર્ણ હોય ત્યારે થતો નથી. તે અપર્યાપ્તા જીવો ઉચ્છવાસ પર્યાપ્તિ પૂરી કર્યા સિવાય જ મરણ પામે છે, માટે તેઓમાં સ્પષ્ટ વણદિનો વિભાગ હોતો નથી માટે ‘સંપ્રાસ'–વણદિને નહિ પ્રાપ્ત થયેલા કહ્યા છે. ' V૦–અપર્યાપ્ત જીવ શરીર અને ઇન્દ્રિય પતિ પૂરી થયા બાદ ઉચ્છવાસ પયતિ અપૂર્ણ હોય ત્યારે કેમ મરણ પામે છે, પણ શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ અપૂર્ણ હોય ત્યારે કેમ મરણ પામતા નથી? : ઉ૦- બધા પ્રાણીઓ આવતા ભવનું આયુષ્ય બાંધીને જ મરણ પામે છે, આયુષ્ય બાંધ્યા સિવાય મરણ પામતા નથી. અને આયુષ્યનો બન્ધ શરીર અને ઇન્દ્રિય પતિ પૂરી થયા પછી જ થાય છે, તે સિવાય થતો નથી. માટે શરીર અને ઇન્દ્રિય પતિ પૂર્ણ થાય, અને ઉચ્છવાસાયપ્તિ અપૂર્ણ હોય ત્યારે અપર્યાપ્ત જીવો મરણ પામે છે. અન્ય આચાર્ય કહે છે કે “અસંપ્રાપ્ત એટલે સામાન્ય રીતે વણદિને નહિ પ્રાપ્ત થયેલા એ અર્થ યુક્ત નથી. કારણ કે શરીરની સાથે જ વદિ હોય છે, અને શરીર તો શરીરપતિ વડે જ થયેલું છે. તેમાં જે પર્યાપ્તા છે એટલે જેઓએ સ્વયોગ્ય બધી પતિઓ પૂર્ણ કરેલી છે તેઓના વદેશથી-વર્ણના ભેદની વિવલાથી, એમ ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પશદેશથી હજારો ભેદો થાય છે. જેમકે વર્ણ કૃષ્ણાદિ ભેદથી પાંચ પ્રકારે છે. ગબ્ધ સુગન્ધ અને દુર્ગન્ધ એમ બે પ્રકારે છે, રસ કડવો વગેરે પાંચ પ્રકારે છે. સ્પર્શ મૃદુ, કર્કશ વગેરે આઠ પ્રકારનો છે. વળી એક એક વણદિના તારતમ્ય ભેદથી અનેક પેટા ભેદો થાય છે. જેમકે, ભ્રમર, કોયલ અને કાજળમાં અનુક્રમે કૃષ્ણ વર્ણનો તરતમભાવ હોવાથી તેના કૃષ્ણ, કૃષ્ણતર અને કૃષ્ણતમ-ઇત્યાદિ રૂપે અનેક ભેદો થાય છે. એ પ્રમાણે નીલાદિવર્ણને વિષે પણ યોજના કરવી. એમ ગબ્ધ, રસ અને સ્પર્શને વિષે પણ જાણવું. તથા વર્ગોના પરસ્પર સંયોગથી ધૂસર (ભૂખરો) કાબરચિતરો વગેરે અનેક ભેદો થાય છે. એમ ગધાદિના પણ પરસ્પર ગન્ધાદિના યોગથી ઘણા ભેદો થાય છે, માટે વણદિની વિરક્ષા કરતા હજારો ભેદો થાય છે, અને સંખ્યાતા લાખ યોનિપ્રમુખ-યોનિદ્વારા થાય છે. તે આ પ્રમાણેપૃથિવીકાયિકોની એક એક વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શને વિષે સંવૃત યોનિ હોય છે. તેના વળી ત્રણ પ્રકાર છે-સચિત્ત, અચિત્તા અને મિશ્ર. તેના વળી ત્રણ પ્રકાર છે-શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. પ્રત્યેક શીતાદિના પણ તરતમભાવથી અનેક ભેદો થાય છે. ૧. આ ધાતુઓ જ્યારે અગ્નિકાયના સંયોગમાં આવે ત્યારે આ ધાતુઓ તેઉકાય કહેવાય છે. એવું કથન “તત્ત્વવિચાર' પુસ્તકમાં પૃષ્ઠ ૪માં કરેલ છે. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજી. 38
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy