________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद बादर पुढविकाय जीव पन्नवणा ન હોય, પણ અનાહારક હોય.'’ આહા૨૫ર્યાપ્તિ વડે અપર્યાપ્ત જીવ વિગ્રહગતિમાં જ હોય છે, પણ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવેલો હોતો નથી. કારણ કે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવેલો જીવ પ્રથમ સમયે જ આહારક હોય છે. તેથી આહા૨૫ર્યાપ્તિનો કાળ એક સમયનો જ છે. જો ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા છતાં પણ આહા૨૫ર્યાપ્ત વડે અપર્યાપ્ત હોત તો ઉત્ત૨સૂત્ર એમ કહેત કે ‘કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય.' જેમ શરીરાદિપર્યાપ્તિઓ વડે અપર્યાપ્ત જીવ કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય–એમ કહ્યું છે.
બધી પર્યાપ્તિઓનો પણ સમાપ્તિકાલ અન્તર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તિઓ જેને હોય તે પર્યાપ્તા કહેવાય છે. એવા સૂક્ષ્મપૃથિવીકાયિકો તે પર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિકો કહેવાય છે. અહીં મૂળમાં આવેલો 'વ' શબ્દ પોતાના લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત રૂપ બે ભેદોનો સૂચક છે. જેઓ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરતા નથી તે અપર્યાપ્તા એવા સૂક્ષ્મ પૃથિવીકાયિકો તે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહેવાય છે. અહીં પણ ‘વ' શબ્દ કરણ અને લબ્ધિનિમિત્તક કરણઅપર્યાપ્તા અને લબ્ધિઅપર્યાપ્તા એવા બે ભેદોનો સૂચક છે, તે આ પ્રમાણે-સૂક્ષ્મપૃથિવીકાયિક અપર્યાપ્ત લબ્ધિ અને કરણ વડે બે પ્રકારના છે. તેમાં જેઓ અપર્યાપ્તાવસ્થામાં જ મરણ પામે છે તે લબ્ધિ અપર્યાપ્તા અને જેઓએ હજી કરણો–શરીર ઇન્દ્રિયાદિ પર્યાપ્તિઓ પૂરી કરી નથી પણ અવશ્ય પૂર્ણ કરશે તેઓ કરણ અપર્યાપ્તા કહેવાય છે. ઉપસંહાર કરે છે — એ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહ્યા. ॥૧૪॥ से किं तं बादरपुढविकाइया? बादरपुढविकाइया दुविहा पन्नत्ता ।
तं जहा-सण्हबादरपुढविकाइया य खरबादरपुढविकाइया य ।। सू० -१५।।
(મૂળ) બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકાર છે? બાદર પૃથિવીકાયિકોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે—શ્લષ્ણ-મૃદુ બાદર પૃથિવીકાયિકો અને ખર–કઠણ બાદર પૃથિવીકાયિકો. ૧૫
(ટી૦) સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહ્યા, હવે બાદર પૃથિવીકાયિકો કહેવાની ઇચ્છાવાળા આચાર્ય તે સંબંધે પ્રશ્નસૂત્ર કહે છે —બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકા૨ે છે? આચાર્ય ઉત્તર આપે છે–બાદર પૃથિવીકાયિકો બે પ્રકારે છે–શ્ર્વક્ષ્ણ બાદર પૃથિવીકાયિકો અને ખર બાદર પૃથિવીકાયિકો. શ્લષ્ણચૂર્ણ થયેલ લોષ્ટ–ઢેફાના જેવી મૃદુ પૃથિવી, તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. અથવા શ્લેષ્ણ-મૃદુ બાદર પૃથિવી જેઓનું શરીર છે તેઓ શ્લણ બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. અહીં સ્વાર્થમાં ‘' પ્રત્યય થયો છે. ‘વ' શબ્દ પોતાના અનેક પેટા ભેદોનો સૂચક છે. ખર–સંઘાત વિશેષ અથવા કઠીનતા વિશેષને પ્રાપ્ત થયેલી પૃથિવી, તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી ખર કહેવાય છે. અથવા પૂર્વની પેઠે ખર બાદર પૃથિવી જેઓનું શરીર છે તેઓ ખર બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. ।।૧૫।
से किं तं सण्हबायरपुढविकाइया? सण्हबायरपुढविकाइया सत्तविहा पन्नत्ता ।
તું નહા-૧ હિમત્તિયા, ૨ નીમત્તિયા, રૂ લોહિયમત્તિયા, ૪ જ્ઞાતિમત્તિયા, · સુક્ષિપ્તમત્તિયા, ૬ પા[T]"કુમત્તિયા, ૭ પળમત્તિયાા તે સં સહનાવવુઢવિાડ્વાસૢ-૬।।
(મૂળ) શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકાર છે? શ્લેષ્ણ બાદર પૃથિવીકાયિકોના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે ૧ કૃષ્ણકૃત્તિકા-કાળી માટી, ૨ નીલમૃત્તિકા, ૩ લોહિતમૃત્તિકા–રાતી માટી, પ હારિદ્રકૃત્તિકા-પીળી માટી, પ શુક્લમૃત્તિકા–ધોળી માટી, ૬ પાંડુસ્મૃત્તિકા અને ૭ પનકમૃત્તિકા. એ પ્રમાણે શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કહ્યા. ।।૧૬।। (ટી૦) શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે—શ્ર્વક્ષ્ણ બાદર પૃથિવીકાયિકો સાત પ્રકારે છે. તે સાત પ્રકાર ‘તેં નહા' ઇત્યાદિ સૂત્ર વડે બતાવે છે–કૃષ્ણમૃત્તિકા-કાળી માટી, નીલમૃત્તિકા-લીલી માટી, રાતી માટી, પીળી માટી અને ધોળી માટી વગેરે. એમ વર્ણના ભેદથી પાંચ પ્રકાર કહ્યા છે. પાંડૂ મૃત્તિકા-અમુક દેશમાં ધૂળરૂપે રહેલી છતાં ‘પાંડૂ’ એ નામે પ્રસિદ્ધ છે. તેવા જીવો પણ અભેદોપચારથી પાંડૂમૃત્તિકારૂપ કહેવાય છે. ‘પનવૃત્તિવ્હા’ ઇતિ. નદી વગેરેના પૂરથી
36
—