SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद सुहुम पुढवी काय जीव पत्रवणा (पर्याप्ति वर्णन) श्री प्रज्ञापना सूत्र भाग १ પુગલો ગ્રહણ કરેલા છે તેમજ પ્રતિસમય ગ્રહણ કરાય છે કે જે તે પુદ્ગલોના સંબન્ધથી તે રૂપે પરિણત થતા જાય છે તે પુદ્ગલોની આહારાદિ પુદ્ગલોને ખલ અને રસરૂપે પરિણમન કરવાની શક્તિ તે પયંતિ. જેમ કે ઉદરમાં રહેલા પુદ્ગલવિશેષની આહારના પુદ્ગલને ખલ અને રસરૂપે પરિણમન કરવાની શક્તિ છે. તે પતિ છ પ્રકારે છે – ૧ આહારપતિ, ૨ શરીરપર્યાપ્તિ, ૩ ઈન્દ્રિયપતિ, ૪ શ્વાસોચ્છવાસપતિ, ૫ ભાષાપતિ અને ૬ મન:પર્યાપ્તિ. જે શક્તિથી બાહ્ય આહારને ગ્રહણ કરી પલ અને રસરૂપે પરિણમન કરે તે આહારપર્યાપ્તિ. જે શક્તિથી રસરૂપે થયેલા આહારને રસ, રુધિર, માંસ, મેદચરબી, અસ્થિ (હાડકા), મજ્જા અને વીર્ય રૂપે સાત ધાતપણે પરિણમન કરે તે શરીરપર્યાપ્તિ. જે શક્તિથી ધાતુરૂપે પરિણાવેલા આહારને ઇન્દ્રિયરૂપે પરિણમન કરે તે ઇન્દ્રિયપતિ. આજ અર્થ બીજે સ્થળે પણ અન્ય પ્રકારે કહેલો છે-“પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી અનાભોગજન્ય-ઉપયોગ સિવાય પ્રવૃત્ત થયેલા વીર્ય વડે ઇન્દ્રિયરૂપે પરિણમન કરવાની શક્તિ તે ઈન્દ્રિયપતિ.” જે શક્તિથી ઉચ્છવાસયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઉચ્છવાસપણે પરિણાવી અવલંબન કરી મૂકે તે ઉચ્છવાસપતિ. જે શક્તિથી ભાષાયોગ્ય પુદ્ગલો લઇને ભાષાપણે પરિણાવી અવલંબન કરીને છોડી દે તે ભાષાપતિ. જે શક્તિથી મનને યોગ્ય પુદ્ગલો લઇને મનપણે પરિણાવી અવલંબન કરીને છોડી દે તે મનઃપયતિ. એકેન્દ્રિય, સંક્ષી સિવાય બેઈક્રિયાદિ, અને સંજ્ઞીને અનુક્રમે ચાર, પાંચ અને છ પતિઓ હોય છે. એ સંબંધી પ્રજ્ઞાપના સૂત્રના મૂલ ટીકાકારે કહ્યું છે કે-“પ્રક્રિયાનાં વસ્ત્રો વિનિયાનાં પ? સન્નિનાં પર્ તિ"“એકેન્દ્રિયોને ચાર, વિકલેન્દ્રિયોને પાંચ, અસંસીને પાંચ અને સંજ્ઞીને છ પતિઓ હોય છે.” ઉત્પત્તિને પ્રથમ સમયે જેને જેટલી પતિઓ યોગ્ય છે તેટલી બધી પથતિઓનો એક સાથે પ્રારંભ થાય છે અને એક પછી એક એમ અનુક્રમે પૂરી થાય છે. તે આ પ્રમાણે-પહેલી આહારપતિ પૂરી થાય છે, ત્યાર પછી શરીરપયામિ, ત્યાર પછી ઈન્દ્રિય પતિ-ઇત્યાદિ ક્રમથી - થાય છે. આહારપથતિ ઉત્પત્તિના પ્રથમ સમયે જ પૂરી થાય છે અને બાકીની પ્રત્યેક પતિઓ અનુક્રમે અન્તર્મુહૂર્ત પૂરી થાય છે. - પ્ર–આહારપયાતિ પ્રથમ સમયે જ પૂરી થાય એમ શાથી જાણી શકાય? ઉ–આહારપદના બીજા ઉદેશકમાં આ સૂત્ર છે – “હે ભગવન! આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્ત જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક સંક્ષેપમાં પર્યાતિનું વર્ણન :- - आहारसरीरिदिय, पज्जती आणापाण भासमणे । चऊ पंच पंच छप्पिय, इग विगला सन्नि सन्नीणं ॥ અર્થ :- આહાર વગેરેના પુદ્ગલગ્રહણપરિણમનહેતુ જે આત્માની શક્તિ તેને પયંતિ કહે છે. : પ્રકાર :- ૧ આહાર પર્યામિ, ૨ શરીર પર્યામિ, ૩ ઇન્દ્રિય પર્યાતિ, અહિં ગાથામાં આ ત્રણની પછી વચ્ચે જે પર્યામિ શબ્દ કહ્યો છે, તેનું કારણ એ છે કે, કોઈ જીવ અપર્યાપ્તો મરણ પામે તો પણ એ ત્રણ પતિ પૂરી કરી મરણ પામે. પણ એ ત્રણ પતિ પૂરી કર્યા વિના કોઈ જીવ મરણ પામે નહીં. તે માટે અહીં ઇન્દ્રિય પદની સાથે પર્યાતિ શબ્દ જોડડ્યો છે. ૪ શ્વાસોશ્વાસ પર્યામિ, ૫. ભાષા પર્યાતિ, મન:પર્યામિ એ સર્વ પતિ ઉપજવાને પહેલે સમયે જે જીવને જેટલી પર્યાપ્તિ કરવાની છે, તે જીવ તેટલી પર્યાપ્તિ સમકાળે કરવા માંડે પછી અનુક્રમે પહેલી પર્યાપ્તિ, તે પછી બીજી શરીર પર્યામિ, એમ સર્વ પતિ યથાયોગ્યપણે કરે. ત્યાં આહાર પથતિ પ્રથમ સમયે જ કરે અને બીજી સર્વ પતિ તે પ્રત્યેક અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્ત કરે. વૈયિ શરીર અને આહારક શરીરવાળા જીવને એક શરીર પથતિ અંતર્મુહર્ત હોય. અને બીજી સર્વ પતિ એકેકે સમયે હોય. આ પ્રમાણે સર્વ મળી અંતર્મુહૂર્ત પ્રમાણ પતિ કાળ જાણવો. 'મેને કેટલી પર્યાપ્તિ હોય? : એકેન્દ્રિય જીવને ચાર પથતિ હોય છે. વિકલેન્દ્રિય જીવને ભાષા સહિત પાંચ પર્યાતિ હોય છે. તથા અસંશી સમૃદ્ઘિમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને એક મન વિના પાંચ પતિ હોય, ત્યાં સંમૂર્છાિમ મત્ય જે સમુદ્રમાં આહારસંશા જાણવી પણ મન સમજવું નહીં, કેમકે અસંસીને પાંચ પર્યાપ્તિ કહી છે. સંજ્ઞી પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ તથા મનુષ્ય, દેવ અને નારકીને મન સહિત છ પતિ જાણવી. જે જીવ પોતાને યોગ્ય પયંતિ પૂર્ણ કર્યા વિના અપર્યાપ્તો મરણ પામે, તે પ્રથમની ત્રણ પર્યાતિ પૂર્ણ કરી પરભવ આયુષ્યનો બંધ કરી * અંતર્મુહૂર્ત અબાધાકાળ જીવીને મરણ પામે. 35
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy