SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મનવાંછિત કરવામાં નિપુણ એક સર્વાને ધર્મ છે. શીલામતીએ તે કહેવાનું કહેતાં સમ્યકત્વપૂર્વક બાર વતને અધિકાર ગુરુમહારાજે સંભળાવવાથી આદરપૂર્વક તેણી અંગીકાર કરે છે. કુળદેવતાની પૂજા કરવી કે કેમ તે પૂછતાં ગુરુદેવ કહે છે કે-જિનેશ્વરદેવની પૂજા કરવાથી બીજી પૂજાવડે શું? તે સાંભળી સ્વસ્થાને આવી તેણી ગૃહી ધમનું પાલન અને માત્ર એક જ જિનેશ્વરની ત્રણ કાળ પૂજા વગેરે કરે છે. દરમ્યાન એક સાંઝે તેની કુલદેવતા જોધપૂર્વક ત્યાં આવી. તેની પૂજા કેમ કરતી નથી? તેમ કહેતા તેને ચળાવવાને અનેક ઉપસર્ગો કરે છે, છતાં શીલમતી ચલાયમાન થતી નથી. છેવટે તેનું સરવશીલપણું જેમાં કુલદેવતા તુષ્ટમાન થઈ પુત્રપ્રાપ્તિ માટે અગ્યાર ગુટિકા શીલમતીને ખાવા આપે છે. તે ગુટિકા એક સાથે ખાવાથી તેને દુઃખ ઉત્પન્ન થતાં કળ દેવતા આવી ઠપકો આપી તેને શાંતિ કરે છે વળી યોગ્ય સમયે અગ્યાર પુત્રો જન્મે છે. તેના ધનદેવ વગેરે નામે સ્થાપે છે. તે પુત્રો યોગ્ય વય પામતાં વ્યાપારમાં જોડાય છે. એક વખતે તેમની માતાએ ધમને વિશે ઉદ્યમ કરવાનું જણાવતાં પુત્રો ધર્મ માં જોડાય છે. પછી પોતાને ઘરે શ્રી શાંતિનાથ પ્રભુની હેટા મૂલ્યવાળી પ્રતિમા બનાવી સૂરસૂરિએ ભણેલા મંત્રવડે પ્રતિષ્ઠા કરી ગૃહમંદિરમાં પધરાવે છે. તે પુત્રો એક સાથે કેવી રીતે પૂજા કરે છે જે વાંચવા યોગ્ય છે. (પા. ૪૫૧). હવે તે ગામમાં શ્રી મુનિચંદ્ર નામના કેવળી ભગવાન સપરિવાર પધારતાં આ શ્રેષ્ઠી કુટુંબ પણ વંદન કરવા જાય છે. શ્રેણીની વિનંતિથી કેવલી ભગવાન અહિં ગૃહીધર્મનું (બાર વતનું) સ્વરૂપ વિસ્તારથી જણાવે છે જે મનનીય છે. (૪૫). - હવે તે શ્રેષીપુત્ર વ્રતના ભંગના વિરવિપાકને જાણનારા હોવા છતાં તે કોઈ કોઈ વ્રતનો અતિચાર કરવા લાગ્યા. કયા પુત્રે શું શું અતિચાર લગાડ્યા તે અહિં જણાવેલ છે. (પા. ૪૫૭ ) તે પુત્રો આ ભવે તારા પુત્રો થયા છે તેમજ પૂર્વભવમાં વ્રતમાં લગાડેલ કયા અતિત્યારથી આ ભવમાં તે તારા ક્યાં પુત્રનું કેવા પ્રકારનું વિલક્ષણપણું થયું છે તે પરમાત્મા શ્રી પાર્શ્વનાથદેવ નંદ નામના શ્રેષ્ઠીને વિસ્તારપૂર્વક જણાવે છે. (પા. ૪૫૪). ત્રિકયદીપક શ્રી પાર્શ્વનાથ ભગવંત પાસે પૂર્વભવને વૃત્તાંત સાંભળી તે શ્રેણીના પુત્રને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ભગવંત શ્રી પાર્શ્વનાથપ્રભુના ચરણકમળમાં પડી અમારે સંસારસમુદ્ર શી રીતે તરો? તેમ પૂછતાં પરમાત્મા દેશવિરતિ અથવા સર્વવિરતિ પાળવા માટે જણાવે છે. પુત્રને વૈરાગ્ય ઉછળવાથી માતાપિતા પાસે આવી ચારિત્ર લેવા આજ્ઞા માંગે છે. માતપિતા પોતાના જીવિત પછી લેવા જણાવે છે, જેથી ફરી શ્રી પાર્શ્વનાથ ભગવંત પાસે આવી નમી દેશવિરતિ અને સર્વવિરતિ સિવાય અન્ય બીજો કોઈ વિધિ છે તેમ પૂછતાં પરમાત્મા કહે છે કે હે શ્રાવક પુત્ર ! એ બંને ધર્મના મધ્યભાગમાં વતતે અગ્યાર પ્રતિમાને વિધાનને પ્રધાન કાર્ય વિધિપૂર્વક સારી ક્રિયા કરનાર ગૃહીજનોને યોગ્ય છે. તે વિધિને કરતાં પાણીમાં થોડા કાળમાં સંયમમાં સમર્થ થાય છે જેથી તમે તે અગ્યાર પ્રતિમાનું સ્વરૂપ સાંભળે. અહિં શ્રી પાર્શ્વનાથ ભગવંત અગ્યાર પ્રતિમાનું સ્વરૂપ વિધિ વિધાન સહિત જણાવે છે. પા૦ (૪૫૫ થી ૪૫૭). પછી અંતર્યામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ જણાવે છે કે શ્રાવક વ્રત ધર્મની ક્રિયાના મુગટ જેવું આ અનુષ્ઠાનનું જે આરાધના કરે છે તેનાથી પ્રાણીઓને શું શું આત્મિક લાભ થાય છે તે જણાવે છે. પછી તે શ્રેષ્ઠીપુત્રો
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy