________________
७२
આ પ્રમાણે તપધ` મે કહ્યો, હવે શીલધનું વર્ણન દૃષ્ટાંત સહિત કહું છું. તે સાંભળેા. 'હવે શૂરવીરવડે શીલધમ' કહેવાય છે, અને શીલ એટલે મનની વિશુદ્ધિ, અથવા પ્રાણીહિ'સાદિક પાપના સ્થાના ત્યાગ, અથવા ક્ષાંતિ, માવ વગેરે વડે ક્રોધાદિકના નિગ્રહ, ક્ષગ્ લવતા પ્રતિબંધ, ઉત્તમ શ્રદ્ઘા અને સવેગ, સર્વ જીવાને વિષે ઇચ્છા રહિતપણે મૈત્રી કરી, અથવા કલંક રહિત બ્રહ્મ પાળવું, તે શીલ કહેવાય છે. આ શીલ પુરૂષને માટી શેશભા કરનારૂં આભરણુ કહ્યું છે. આ શીલ રહિત પુરૂષા સારી વિભૂષાવાળા હૈાય તે પણ શાભાને પામતા નથી. જે કાઇ જીવા અહીં મેક્ષમાં જાય છે, ગયા છે અને જશે તે સર્વે નિર્મળ શીલ પાળવાના પ્રસાદથી અવશ્ય જાણેા. તપ વિના અતે દાન વિના પણ એક શીલ પાળવામાં જ ઉદ્યમવાળા મનુષ્યો સુરેન્દ્રદત્તની જેમ અવસ્ય માટા ઉદયને પામે છે. હવે ( પા. ૪૧૦-થી પા ૪૨૩ )માં જણાવવામાં આવેલ છે. કથામાં જણાવ્યા પ્રમાણે એક શીલ જ સદ્દ રૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં મેધરૂપ છે, મનેવાંછિત સિદ્ધ કરવામાં અનુકૂળ, સંસારના ભયને મસ્તકના ફૂલ સમાન, ઘણા પ્રકારના ગુણરૂપી ધાન્યના સંચય કરવામાં મૂશળરૂપ, અને અધમ કુકતે પીલનાર છે. આવા ઉત્તમ શીલવ્રતને જે ધારણ કરે છે તે મનેાસત્ત્વવાળા છે.
શીલ ધર્મોનું સ્વરૂપ તે ઉપર સુરેન્દ્રદત્તની
કથા.
આ પ્રમાણે ઉદાહરણ સહિત શીલ ધર્માંતે સારી રીતે કહીને હવે હું ઉદાહરણુ સહિત ભાવના ( ભાવ ) ધમ કહું છું.
જે વિશુદ્ધ ચેષ્ટાવડે જીવ ભવાય છે( ભાવિત કરાય છે ) અને વાસિત કરાય છે, તે ભાવના કહેવાય છે, અને તે જ્ઞાનાદિકના વિષયવાળી ઘણા પ્રકારની છે. કાષ્ટ જીવ જ્ઞાનવર્ડ, દનવડે અને ચારિત્રવર્ડ તથા તીર્થંકરની ભક્તિવડે અવશ્ય આ જગતમાં અત્યંત ભાવનાવાળા થાય છે. આ જગતમાં કાઇક જીવ સંસારની દુગ'છાવડે, કામની વિરતિવર્ડ, સાધુની સેવાવર્ડ અને જિનધની પ્રભાવનાવડ ભાવિત થાય છે, કૈાઈ માક્ષસ્થાનના શુભ અનુરાગવડે અને સારા સગવડે ભાવિત થાય છે. કાઇ મેાક્ષના અર્થી જીવ અનુચિત્તની અપ્રવૃત્તિવર્ડ, નિંદાવર્ડ અને ગાઁવડે ભાવિત થાય છે, જે જીવ જે કાઇ કુશળ કર્માંવડે નિશ્ચે ભાવિત થાય છે, તે ભાવના તેને જ ધમ ઉત્પન્ન કરનારી થાય છે. ભરત ચક્રવર્તી શરીરના નિઃસારપણાએ કરીને, ભગવાન ચિલાતિપુત્ર પણ વાંસના અગ્રભાગે લાગ્યા છતાં પણુ વિષયના અત્યંત વિરાગપણાએ કરીને, વળી મરુદેવી માતા ઋષભદેવ જિનેશ્વરની ઋદ્ધિ જોવાથી ઉત્પન્ન થયેલા મોટા હવડે કરીને સંસારરૂપી વનના અગ્નિ સમાન ભાવનાને પામ્યા હતા, તેમ સભળાય છે. ઘણા પ્રકારે જીવાને તે તે ( જુદા જુદા )ભાવ ઉત્પન્ન થવાથી પરમાવડે ભાવનાનું ચત્તાપરિમાણુ કરવાને ડાહ્યા પુરૂષો પણ સમ* નથી. લવણુ રહિત ભાજનની જેમ અને હૃદયમાં પ્રીતિ રહિત સ્ત્રીની જેમ ભાવના રહિત માટા વિધિ પણ શ્લાધા પામતા નથી. સિદ્ધાંતને વિષે સંભળાય છે કે—નવપ્રૈવેયકને વિષે અભન્ય જીવાએ પશુ અનત શરીર મૂકયા છે, પરંતુ જ્ઞાનાદિક ભાવના વિરહને લીધે મોટી તપશ્ચર્યા કર્યા છતાં પણુ મેાક્ષના સુખતા લાભ થયા નથી, કેમકે થોડી
૧ આલાપણ એવું માપ.
ભાવના ( ભાવ ) ધર્મનું સ્વરૂપ તે ઉપર
બ્રહ્મદત્તનુ દૃષ્ટાંત.