________________
પ્રસ્તાવ પાંચમે-(પા. ૩૭૩ થી પ૦ ૪૫૭ સુધી)
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મેક્ષ ગમનરૂપ ધર્મકથાનું વર્ણન | મંથકત્ત આચાર્ય મહારાજ આ પ્રસ્તાવમાં તેનું વર્ણન આપે છે. હવે શ્રી પાર્શ્વનાથ ભગવાન અશ્વસેન રાજા વગેરે પ્રધાનજનોની અનુજ્ઞા લઈ સપરિવાર આશ્રમપદ ઉદ્યાનમાંથી બહાર નીકળે છે. પ્રભુ ચોત્રીશ અતિશયવડે બિરાજમાન હોવાથી માર્ગમાં ધર્મચક્ર આગળ ચાલે છે, મસ્તક ઉપર છત્ર શોભે છે, ચામર વિજાય છે, આકાશમાં દેવદુંદુભિ વાગે છે, મણિના પાદપીઠ સહિત સિંહાસન આકાશમાં . સાથે ચાલે છે, વાયુ અનુકૂળ વાય છે, માર્ગમાં આવતાં તરૂવર નમે છે, મનુષ્યના મહામારી, દુર્ભિક્ષ, અતિવૃષ્ટિ, વગેરે અનેક દુઃખોના સમૂહને માહામ્યવડે દૂર કરતાં વિચરે છે. વગેરે ભગવંતના અતિશયેવડે શું શું બને છે તેનું વર્ણન અહિં (પા. ૩૭૩ મે) આપેલ છે.
રસ્તામાં દરેક સ્થળે રાજા વગેરે અનેક મનુષ્યને પ્રતિબોધ કરતાં પરમાત્મા મથુરા નગરીમાં . પધારે છે. આ નગરીમાં કે જ્યાં શ્રી સુપાશ્વનાથ ભગવાનના તીર્થની પ્રવૃત્તિવડે દેવોએ બનાવે મનહર શુભ અને મથુરા નગરીનું વર્ણન (પા. ૩૭૪) જાણવા જેવું આપેલ છે. આ નગરીની પૂર્વ દિશામાં દેવે સમવસરણની સુંદર રચના કરે છે. (પા. ૩૭૪ ) .
પછી ચોત્રીશ અતિશય, ક્ષીરાવ લબ્ધિઓ, પાંત્રીસ પ્રકારની મનહર વાણીવડે યુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવંત માલકોશ રાગથી યુક્ત, સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષા સમજે તેમ દેશના આપે છે. પરમાત્માની દિવ્યવાણી, સુધાવર્ષણ, સંસારતારણી, અનેક આત્માઓનું કલ્યાણું કરનારી છે. એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુએ છોના અજ્ઞાનરૂપી અંધકારને મિટાવી જેમણે અનેક ભવ્યાત્માઓને સમ્યક્ત્વને માર્ગ બતાવ્યો, અનેક પ્રાણીઓને દેશવિરતિ ધર્મ આપ્યો, અનેક પ્રાણીઓને સર્વવિરતિ ધર્મ પ્રહણ કરાવ્યો, અનેક આત્માઓને સ્વર્ગ લક્ષમી આપી અને અનેક ભવ્યાત્માઓને મેક્ષમાર્ગના પથિક કર્યા છે; પ્રભુ દેશનાની અમૃત વાણીને આ મહાન પ્રતાપ છે.
આ ચરિત્રના આગલા ચાર પ્રસ્તાવોમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભવે તથા દશ ગણધર ભગવાનના પૂર્વભવના વૃત્તાંત એટલા બધા રસિક અને ખાસ મનન કરવા જેવા હતા. જેથી તે માંહેના બોધપાઠ, કથાઓ વિવિધ વર્ણનેને સંક્ષિપ્તમાં ગ્રંથપરિચય કરાવ્યો છે, તેમ આ પાંચમા પ્રસ્તાવને સંક્ષિપ્ત ગ્રંથસાર આપવાની જરૂર લાગતી નથી, કારણ કે દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાને સમવસરણમાં બિરાજમાન થઈ જે ધર્મદેશના આપી છે એ સર્વ પ્રભુની અમૃત તુલ્ય વાણી હોવાથી આ પ્રસ્તાવમાં તે સંપૂર્ણ વાંચતા વાચકને પ્રમાદ ન થાય, મનનપૂર્વક વાંચી આત્મિક આનંદનો સંપૂર્ણ લાભ લે, તેમજ તે દેશનાના મધુરા રસમાં કંઈ પણ ક્ષતિ ન પહેર્ચ માટે અહિ માત્ર તેમાં આવેલ વિષયે સંક્ષિપ્તમાં આપવા સાથે કથાઓને નામનિશ જ કરીએ છીએ, જેથી વાંચકને તે છેલ્લા (પાંચમા ) પ્રસ્તાવ મનનપૂર્વક સંપૂર્ણ વાંચી જવા ભલામણ કરીએ છીએ. પરમાત્માએ સમવસરણમાં બિરાજમાન થઈ ભવ્યાત્માઓનું કલ્યાણ કરવા જે દીય દેશના આપી છે તેમજ ત્યારપછી પ્રથમ ગણધર ભગવાન શુભદતે પિતાની મધુર અને શાંત રસભરિત દેશનામાં લોકોને ધર્મ કહે છે તે સર્વ અક્ષરશઃ એકાગ્ર ચિત્ત શ્રદ્ધાપૂર્વક વિચિત આ મકવાણુ થવા સાથે ગણધર ભગવાન અને આ ગ્રંથના કર્તા વિદ્વાન આચાર્ય