SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭, વિલાસ સહિત, ચપળ, સુંદર લોચનવાળી સ્ત્રીઓના વિષયમાં આવ્યા ન હોય વગેરે. અહિં સ્ત્રીઓના દુથરિત્રનું વર્ણન વાંચવા જેવું (પા. ૩૧૭–૩૬૮ ) માં આવેલ છે. અહિ રાજા ધર્મમાં ઉદ્યમવાળા, અને વૈરાગ્ય વાસિત થતાં પોતાના પુત્ર વિજયચંદ્રને તેડવા મુખ્ય સામતને પાખંડ નગરે મોકલે છે. જેથી કંવર વિજયચંદ્ર કાપેટિક અને રાજયલક્ષ્મી સાથે હસ્તિનાપુર આવે છે રાજા તેને સાકાર કરે છે. પછી રાજા તેને સુવર્ણ કળશવડે અભિષેક કરી રાજા પિતાની ગાદીએ સ્થાપન કરે છે અને પોતે તેમજ સામંત વગેરે નવા રાજાને પ્રણામ કરે છે. રાજા વિજયચંદ્રને શિખામણ આપે છે કે શયન, આસન, ભોજન વગેરે કાર્યોમાં પ્રમાદ રહિત થઈ આત્માનું રક્ષણ કરજે કારણ કે તે મૃત્યુના સ્થાને છે. ધર્મ અર્થને વિષે માટે પ્રયત્ન કરજે, પ્રજાજનનું ૫ણ તથા પ્રકારે કોઈપણ રીતે પાલન કરજે. કારણકે તેને તે નિરંતર આશિર્વાદ આપતા રહેશે, વગેરે શિખામણ આપી રાજા વનવાસમાં જઈ તાપસી દીક્ષા લે છે. ઘણું વષી એ રાજ્યની હટી લક્ષ્મી ભેગવી, પછી પિતાના પુત્રને રાજયને ભાર સેપે છે, અને ધર્મની સન્મુખ મતી થતાં ધર્મનું આચરણ કરે તેમ વિચારી કાર્પટિક મંત્રી સાથે પુરષદત્ત સૂરિ પાસે આવે છે. સરિઝના ધર્મોપદેશવડે પોતાને સંજમ લેવાની ઈચ્છા થતાં તે કાપેટિકને જણાવે છે. કાર્પેટિક વિજયચંદનો વિયોગ સહન ન કરી શકવાથી પિતાની દીક્ષા લેવાની ઈચ્છા જણાવે છે. પછી રાજા પોતાના પુત્રને ગાદીએ સ્થાપન કરી દાન દઈ, જિનાલયની પૂજા કરી શ્રી પુરૂષદત્ત સુરિ પાસે બંને જણે દીક્ષા લે છે. સારી રીતે સંજમની આરાધના કરી ગુરૂ પાસે વિધિપૂર્વક અનશન પ્રહણ કરે છે. છેવટે મૃત્યુ પામી બંને સંધર્મ દેવલોકમાં પુષ્પાવત સક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રને વિષે શ્રાવતી નગરીના રાજાને ત્યાં પુત્રપણે જન્મે છે અને તેનું - જય અને વિજય નામ આપવામાં આવે છે. યૌવનાવસ્થા થયા છતાં વિષયના સંબંધી વિમુખ રહેવાથી મનિના ચરણકમળની આરાધનાના ઉદ્યમી થવાથી ભાવથી જાણે કે સર્વવિરતિ અંગીકાર કરી હોય તેમ ભાવના ભાવવા લાગ્યાં કેટલાક દિવસ પછી સ્વપ્નમાં દેવે કહે છે કે-હે મહાપ્રભાવવાળા ! હવે તમારૂ જીવિત થઇ હોવાથી આશ્રમપદ ઉદ્યાનમાં જઈ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાન પાસે ચાસ્ત્રિ અંગીકાર કરી ગણધર પદવીને પામે. જાગ્રત થતાં આવેલ સ્વપ્નનું ફળ ઉત્તમ જાણી માતપિતાને તે . હકીકત જણાવી, રજા લઈ કેટલાક પ્રધાન પુરૂષ સાથે મારી પાસે આવી પ્રવજ્યા લઈ ગણધરની ઉત્તમ પદવીને પામ્યા. પરમાત્મા અશ્વસેન રાજાને કહે છે કે-રાજા તમારા પૂછવાથી મેં દશે ગણધરના પૂર્વભવના વૃત્તાંત કહ્યાં. હવે અશ્વસેન રાજા પ્રભુને કહે છે કે-આપના જેવું ત્રણ કાળનું યથાસ્થિત સ્વરૂપ બીજો કોણ કહી શકે? ધન્ય છે, પ્રભુ ! આદશ ગણધર ભગવાનને અને આપના ચરણકમળને જોઈ હર્ષ પામીયે છીયે. અમારું જીવિત તે દુર્ગતિના ફળવાળું છે, છતાં સંસારને શીધ્રપણે તજી મનુષ્ય આપની સેવા કરતા નથી. . અહિં પ્રભુની એ રીતે અશ્વસેનરાજા સ્તુતિ કરે છે, તેટલામાં શકેંદ્ર આવી વિનયસહિત મસ્તક નમાવી હર્ષપૂર્વક જણાવવા લાગ્યો કે શઠ અને અત્યંત વૃદ્ધિ પામતાં ઠેષવાળા કમઠે હે નાથ ! આપના ઉપર ભયંકર ઉપસર્ગ કેમ કર્યો ? તે સાંભળી જગદ્દગુરૂ પાર્શ્વનાથ ભગવાને પોતાની પ્રથમ મતિના ભવથી સર્વ હકીકત ઇદ્રને જણૂવી, જેથી ઇંદ્ર વગેરે સાંભળી વૈરને વિપાક જાણી જિનેશ્વર નમી-સ્મરણ કરી સ્વસ્થાને જાય છે. - આ ચોથા પ્રસ્તાવમાં દશ ગણધરના પૂર્વવૃત્તાંતે તથા તીર્થને વિસ્તાર યુક્ત વૃતાંતવાળે ગ્રંથ પરિચય પૂરો થતાં હવે પાંચમા પ્રસ્તાવને ગ્રંથ સાર જણાવીએ છીએ.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy