SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પછી પિતાની પાસેથી થોડું ભાતું કાઉંટિકને આપી વિશેષ કંઈ નથી, પરંતુ વિજયચંદ્ર નામને રાજકમાર સમૃદ્ધિ પામ્યો છે તેમ સાંભળો ત્યારે મને દર્શન આપવા આવજે. એમ જણાવી રાજકુમાર પૂર્વ દેશ તરફ :પાટલીખંડ નગરમાં આવે છે અને બહાર અશોકવૃક્ષ નીચે મૂકે છે, જ્યાં તેને “મારા ઉદરમાંથી નીકળેલ અત્યંત, વિરતાર પામેલ આંતરડાવડે પાટલીખંડ નગર તરફથી વીંટળાઈ ગયું ” એવું શુભ સ્વપ્ન જુએ છે. હવે આ નગરનો રાજા અપુત્ર મૃત્યુ પામેલ હોવાથી પંચ દિવ્ય તૈયાર કરી જેના ઉપર કળશ ઢળશે તે આ ગામને રાજા થશે એ પ્રજાએ નિર્ણય કરી ત્યાંના સામંત પ્રધાન પુરુષ સાથે ગામમાં તેને ફેરવતાં નિર્ણય ન થવાથી શહેર બહાર જયાં વિજયચંદ્ર સુતો છે ત્યાં સર્વ આવે છે. પૂર્વના પૂણ્ય યોગે હાથી ત્યાં ગજરવ કરી સુંઢવડે કુમારને પિતાના અંધ ઉપર બેસારે છે, અશ્વ હેવાર કરે છે. વાજિંત્રો વાગે છે, ચામર છત્ર ધરાય છે જેથી તે કુમાર રાજ્યલક્ષ્મી પામે છે. તે રાજ્યને સુરસેન નામને સામંત રાજાને નિંદતે અને નમસ્કાર નહિં કરતા હોવાથી પ્રતિહાર તેના કુકમથી તેના મસ્તક ઉપર દંડ મારી તેને બધી વિજયચંદ્ર રાજાની પાસે લાવી અપરાધની ક્ષમા માંગવા માટે સામતે કહેતાં રાજાની પછી ઘણી જ પ્રશંસા કરતાં પિતાના અપરાધની ક્ષમા માગવાથી તેને બંધન મુક્ત કરી સ્વસ્થાને જવાની રજા આપે છે. કેટલાક દિવસ પછી રાજા વિજયચંદ્ર અશ્વારૂઢ થઈ અશ્વક્રીડા માટે નગર બહાર ઘણે દૂર જાય છે ત્યાં ચોરવડે જેને બંદીજન તરીકે પકડી લઈ જતાં તે પૂર્વનાં ઉપકારી કાપટિકને જોવે છે. અને રાજા તે ચેર લેકેને પકડવા જતાં ચાર લે કે નાશી જાય છે. કાર્પેટિકને પૂછતાં તે જણાવે છે કે હું વિજયચંદ્ર રાજાના દર્શન માટે જતો હતો ત્યાં તે રાજાએ મને આપેલું ધન તે ચોરોએ લઈ લીધું અને મને બંદીવાન કરી લઈ જતા હતા, પરંતુ સુકૃતના વશથી આપ સન્મુખ થતાં મારો છુટકારો થયો છે. રાજા સમજે કે હજી આ મને ઓળખતે નથી, તેમ જાણી રાજા કહે છે કે તમે વિજયચંદ્ર રાજાને શું ઉપચાર કર્યો હતે? રાજાને તે હકીકત જણાવે છે અને તે કુંવરની ઘણી પ્રશંસા કરે છે. હવે રાજપુરૂષ ત્યાં આવતાં રાજા કાર્પેટિકને સાથે લઈ રાજધાનીમાં જાય છે. રાજા કાર્પેટિકનું સન્માન કરે છે જેથી રાજા મને કેમ આટલું માન આપે છે તે સંબંધી પૂછી શકતા નથી. છેવટે જણાવે છે કે-“મારે વિજયચંદ્ર રાજાના દર્શન માટે જવું છે માટે રજા આપે.” તેમ કાઉંટિક કહેતાં છેવટે વિજયચંદ્ર રાજા પોતે કહે છે કે તે જ હું પોતે છું અને તમારા પ્રભાવથી રાજ્યલક્ષ્મી પામે છું. પછી કાર્પેટિકને સામંતની પદવી રાજા આપે છે. આ તરફ વિજયબળ રાજાના બીજા પુત્ર દેવને હેટા વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તેની મા સૌભાગ્યસુંદરી ઘણું ઉપચારો કર્યા છતાં આરામ નહિં થવાથી વિચારે છે કે વિજયચંદ્રને કામણ કાગવડે તેવી અવસ્થાને પહોંચાડ્યો હતો તેને જ આ પ્રગટ વિપાક છે” એમ વિચારે છે, અને રાજ સહિત તેણી પદ્ધદેવની છેલ્લી સ્થિતિ જોઈ કલ્પાંત કરે છે, કુમાર મૃત્યુ પામે છે. મંત્રીઓ સંસારનું સ્વરૂપ રાજાને સમજાવે છે. દરમ્યાન મંત્રીઓ રાજાને જણાવે છે કે-બંદીખાનાનો ઉપરી બંધુમિત્ર જણાવે છે કે–મેં વિજયચંદ્રને પબ્રાખંડ નગરના રાજા તરીકે રાજયલક્ષ્મી ભગવતે જોયે છે, એ સાંભળી રાજા તેની ખાત્રી કરવા મંત્રીઓને ત્યાં મોકલે છે. અહિં રાણી રાજાને શેક કરતાં કહે છે કે-હું હેટા પાપ કરનારી ધર્મની વૈરી છું એમ જણાવી પશ્ચાતાપ કરે છે. રાજા તેને કહે છે કે તેં શું તેવું પાપ કર્યુ” છે. રાણી વિજયચંદ્રને ઝેર આપ્યાની હકીક્ત કહે છે. રાજા રાજકુમાર વિજયચંદ્ર જીવે છેરાજ્યલક્ષ્મી ભોગવે છે તેમ જણાવતાં રાણી દેદીપ્યમાન થાય છે. પછી રાજા પિતાના ભુવને આવી સ્ત્રીઓ કેવી હોય છે? તેના ચરિત્રો કેવા હોય છે વિગેરેને વિચાર કરે છે તે હકીકત (પા. ૩૬૭૬૮) જાણવા જેવી છે. અને તેથી જ પુરૂષોને ધન્ય છે કે ચારિત્રરૂપી શરીરનું રક્ષણ કરવા
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy