________________
શ્વાસ-ચંદ્રનાડી, સૂર્યનાડી અને સુષુમણું વગેરે નાડીમાંથી શ્વાસનું આવવું જવું, અને રોગીના મરણુજીવન વગેરેનો તેની સાથેનો સંબંધ વગેરે સ્વરોદય જ્ઞાન સંબંધી સંરક્ષપ્તિમાં ભૈરવ જણાવે છે. તે વિષેની હકીકત કર્તા આચાર્ય મહારાજ અહિં (પ, ૩૫૧-૩૫૨) જણાવે છે. હવે ભૈરવ બીજી રીતે એક કુમારિકાને રેશમી વસ્ત્ર પહેરાવી મંડળ આલેખી તેમાં બેસારી આવેશ પ્રગટાવે છે, તે કુમારિકાને રોગ સંબંધી પૂછતાં જણાવે છે કે રાણીને હવે માત્ર ધર્મરૂપી જ ઔષધ કરવાની જરૂર છે. આ સાંભળી રાજા અતિ ખેદ પામે છે. શાસ્ત્રો જણાવે છે કે – “પૂર્વભવે રાગદ્વેષવડે દૂષિત અને અજ્ઞાનવડે
વ્યાપ્ત થયેલ છએ અનિષ્ટ ફળવાળું કર્મ બાંધ્યું હોય તે ગમે તેવા ઔષધ, દેવ, દાન પણ દૂર કરવાને અશક્ત છે, કે જે પોતાના શરીરવડે ભેગવે જ છુટકે છે, જુઓ કર્મનું
સ્વરૂ૫ પિતાની રાણીએ પૂર્વભવે શું કર્યું હતું તે પૂછવાથી તે આવેશ યુક્ત કુમારિકા કહે છે કે-બંગાલ દેશમાં પદ્મખંડ નગર અભયકુમાર શેઠને શાંતિમતી નામની સ્ત્રી હતી જે જૈનધર્મી હતા. એક દિવસ શાંતિમતીએ બનાવેલું ભજન કે જે વિરસ થયેલું તેને શું કરવું તેનો વિચાર કરતી હતી, દરમ્યાન ધર્મશ નામના મુનિરાજ ભિક્ષા માટે ત્યાં આવતા તેમને વહેરાવે છે. મુનિ પોતાના સ્થાને જઈ તેના ગુરૂ તથા પોતે તે આહાર કરે છે. દરમ્યાન સૂરિજીને જવર અતિસાર વગેરે રોગો ઉત્પન્ન થતાં, ઉપચારો વડે વ્યાધિ શાંત થાય છે, પરંતુ શાંતિમતી તે અત્યંત વિરોધી ભોજનદાનના આપવાવડે બાંધેલ પાપથી મૃત્યુ પામી, નિદવા લાયક અનેક જાતિમાં ઉત્પન્ન થઈ, દુઃખ પામતી પામતી કંઇ લધુ કર્મ થતાં કોઈ દરિદ્ર કુટુંબમાં કન્યા થાય છે, ત્યાં તેને કાઈ નહિ પરણવાથી (પૂર્વે બાંધેલા પાપના વિનાશ માટે ) કોઈ મુનિ પાસે જતાં ત્યાં ધર્મ પામી, તપ કરી, ત્યાંથી મૃત્યુ પામી હે રાજા ! તારી રાણી તરીકે ઉત્પન્ન થઈ છે અને પૂર્વના તે પાપના ઉદયવલે હવે તે જલદી મૃત્યુ પામશે. પછી રાજા તેની રાણી પાસે જઈ આ વૃત્તાંત જણાવે છે. તે સાંભળતાં રાણીને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી આત્માને નિંદતી, દાન પુણ્ય કરતી, ધર્મનું સ્મરણ કરતી, સર્વને ખમાવતી અને સૌભાગ્યસુંદરીને બોલાવી પિતાના પુત્રની ભલામણ કરતી પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી મૃત્યુ પામી દેવલોકમાં જાય છે.
રાજા પણ તેણીના પુત્રને માતા માટે ઓછું ન આવે માટે વસ્ત્રાલંકાર વિશેષ આપતા જોઈ સૌભાગ્યસુંદરીને ઇર્ષા થાય છે. એક વખત કાળસેન ભિલપતિ સીમાડે બહુ રંજાડ કરતે હતો તેને કુમાર વિજયચંદ્ર પકડી બાંધી તેના ધનમાલ સાથે રાજા પાસે લાવવાથી તેને યુવરાજપદ આપે છે વગેરે જઈ સૌભાગ્યસુંદરી લાગ જોઈ કુંવરનો નાશ કરવા પાણી સાથે ઝેરનું મિશ્રણ કરી પીવા આપતાં વિજયચંદ્રને દાહ વગેરે રોગો ઉત્પન્ન થાય છે. તેના ઉપચાર કર્યા છતાં નહિ મટવાથી અહિં રહેવું યોગ્ય નથી તેમ વિચારી પિતાના શુભંકર નામના મિત્રને બેલાવી ઝુંપાપાત ગિરિ વગેરે પરથી પડવું, આપઘાત કે બીજું કોઈ તેમાંથી કયું મરણ સારું તે વાત કોઈ મુનિની પાસે જઈ પૂછવા મેકલે છે, શુભંકર એક ક્ષેમદત્ત નામના મુનીશ્વર પાસે જઈ તે પૂછતાં મુનિશ્રી કહે છે કે–“ તપ, નિયમ સંયમના ઉમવાળું મરણ શ્રેષ્ઠ કહેવાય છે. તે સાંભળી સ્વસ્થાને આવતાં શુભંકર પત્રાલય ગામમાં જતાં ત્યાં એક કાપેટિકા (કાપડી) મળે છે. કાર્પેટિકના પૂછતાં શુભંકર રોગ ક્યાંથી થયો તે જાણતા નથી, જેથી કાપટિક કહે છે કે વિજયચંદ્રની ઓરમાન (સપની) માતા પિતાના પુત્રના ઇછિત અર્થના વિનાશની શંકા થવાથી ઝેર આપેલ છે. પછી કાપેટિકા તેની સાથે જઈ કુમાર ઉપર ઉપકાર કરવા માટે પિતાના મસ્તકના વેણીદંડમાંથી એક ગુટિકા કાઢી તેનું ચૂર્ણ કરી તેને ત્રણ વર્ષની જૂની છાશ સાથે કુમારને ખવરાવે છે જેથી કમારને વમન, વિરેચન થયા બાદ ક્ષીર ખવરાવે છે તેમ ત્રણ દિવસ કરતાં રોગની શાંતિ થાય છે.