SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પિપટ પુનઃ ઊડીને મલયગિરિ પર ગયો. ત્યાં રાજષિને સર્વ વૃત્તાંત સંભળાવ્યું એટલે સોમિલ સાથે ત્યાં આવી સંતડને પ્રતિબધી દીક્ષા આપી. નિરતિચારપણે ચારિત્ર પાળતાં પિતાને અંતસમય નજીક જાણી સંતો અનશન સ્વીકાર્યું અને કાળધર્મ પામી પ્રાણુત ક૫માં દેવ થયો. ત્યાંથી વી પતનપુરમાં સમરસિંહ રાજવીની પલા નામની રાણીની કક્ષિમાં ભદ્રયશ પુત્ર તરીકે જન્મ્યા, કમેક્રમે દેહવડે વૃદ્ધિ પામતા કુમારપણુને પામે. એક વખત સમાન વયવાળા રાજકુમારો સાથે ક્રીડા કરવા જતાં મતકુંજર નામના ઉદ્યાનમાં આવે છે જ્યાં તેણે હાથ-પગે ખીલા જડેલા કોઈએક પુરુષને જોયો એટલે તેના છિદ્રોમાંથી ખીલા વિગેરે કાઢી, તેને સ્વરથ કરી તેનું કારણ પૂછતાં તેણે પિતાનું આત્મવૃત્તાંત કહેવું શરૂ કર્યું. વૈતાઢ૧ પર્વતના પૂર્વ ભાગમાં ભેગપુર નગરમાં સમર વિદ્યાધર રાજાને સાગર નામને હું અને સદેવ નામને બીજો એમ બે પુત્રો છીયે. તે નાને મારો ભાઇ મારા છિદ્રો જોવા લાગે, અને મારી નાની ભૂલને મોટી કરી પિતાને જણાવવા લાગે ત્યારે મારા પિતાએ જાણ્યું કે-અદેવ આને પૂર્વભવનો શત્ર છે. તેવામાં હું માદ પડ્યો ત્યારે તે માટે વિરુદ્ધ ઔષધોપચાર કરવા લાગ્યો એટલે પિતાએ તેને કાઢી મૂકો અને મારા પિતા જ મારી શુશ્રષા કરવા લાગ્યા. હું નિરોગી થતાં પિતાએ શિખામણ આપી કે-દ્ધદેવથી તું ચેતતો રહેજે. દેવને ૫ણ આ હકીકતની ખબર પડી એટલે તે પણ કપટથી મારી સાથે પ્રીતિ વધારવા લાગ્યો, એક દિવસ અમે બંને પુષ્પાવતસક ઉધાનમાં ગયા. ત્યાં તેણે એક લતાજમાં શામલ શ્રેણીની મલયસુંદરી નામની પુત્રી જોઈ એટલે મને હેરાન કરવાના આશયથી કહ્યું કે તું આ લતાકુંજમાં વિશ્રાંતિ લે, હું હમણાં જ આવી પહોંચું છું. હું તે ભેળાભાવે લતાકુંજમાં ગયે એટલે તેણે થોડે આંતરે ઉભા રહીને બૂમ પાડી કે સામલ શ્રેણીની પુત્રીને કોઈક હેરાન કરે છે, એમ મારા માથે આળ મુકવાથી શસ્ત્રાસ્ત્રધારી લેકે દેડી આવ્યા પણ મને જોઈ વિલખા બની ગયા. પછી હું ઘરે આવ્યો ત્યારે દેવે મને પૂછયું કે-તમે કયાં ગયા હતા ? છેવટે જ્યારે પિતાએ મને તેનું કાવત્રુ સમજાવ્યું ત્યારે હું ચેતી ગયો, એકદા દેવે મારી પાસે આવી પોતાના પૂર્વના દરિત્રને પશ્ચાત્તાપ કર્યો અને મને વિશેષ વિશ્વાસ પમાડ્યો. કેટલાક સમય વીત્યા બાદ તેણે મને જંબૂદીપની દક્ષિણની પાવર વેદિકા જેવા જેવાં કહ્યું અને અમે બંને નીકળ્યા. ફરતાં ફરતાં આ ઉપવન પાસે આવતાં અમે અહીં વિશ્રાંતિ લીધી. અને નિદ્રા આવી જતાં તેણે મને ખીલાઓ જડી દીધા, અને હે મહાનુભાવ! તમે મારા પર ઉપકાર કરી ખીલા કાઢથા આ મારો વૃત્તાંત છે. એક જ ઉદરમાં ઉત્પન્ન થયેલા જ્યાં આવું અયુક્ત આચરણ કરે ત્યાં બીજી વાત શી કરવી ? આવા પ્રકારને વ્યતિકર કહેવાથી બીજા સાંભળનારના હૃદયને આઘાત લાગે તે પછી સારા કલમાં ઉત્પન્ન થયેલા લોકમાં પ્રસિદ્ધિ પામેલા થોડા અપવાદના સ્થાનમાં લજા પામનારા અને વ્હીકણુ એવા મારા જેવાનું હદય સો કકડાવાળું થાય તેમાં શું કહેવું અને મને કેટલું દુખ થાય ? એક દિવસ શ્રી યામાય નામના તપસ્વી સાધુ ત્યાં આવતાં મારા પિતા નગરના લેક સાથે વાંદવા ગયા. ત્યાં મુનિશ્રીએ પાંચ મહાવતવાળે સર્વ કહે ધર્મ કે જે મિથ્યાત્વના ત્યાગ અને વિશહ પરિણામવાળે ધર્મ ઇચ્છીત સુખને ઈછનારાએ તેવા ધર્મ માટે ઉત્તમ કર વગેરે ધર્મનું સુંદર સ્વરૂપ સંક્ષિપ્તમાં સંભળાવવાથી મારા પિતા વૈરાગ્ય વાસિત થતાં રૂદ્રદેવને વિશ્વાસ કઈ વખત કરીશ નહિ તેમ જણાવી મારા પિતા તે આચાર્ય પાસે ચારિત્રવાળા થયા.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy