SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તચર આવી ચડયા અને વિકમસેનને જણાવવા લાગ્યા કે- “ પિતાનું રાજ પુત્રો લઈ લેશે ” એવી આશંકાથી બળવર્ધન રાજા પિતાના પુત્રોને નાશ કરતા હતા તેવામાં એક દેવરાજ નામના પુત્રને મંત્રીઓએ ગુપ્તરૂપે મોકલી આપે, રાજાને ખબર પડતાં તે મંત્રીઓને હણવાને હુકમ આપવાથી તે મંત્રીઓ પોતપોતાના પરિવાર સાથે નાશી ગયા અને દેવરાજ કુમારને મળી ગયા. હાલમાં તે દેવરાજકુમાર આપની મિત્રાચારી ઇછે છે. વિક્રમસેને દેવરાજને બોલાવ્યો. દેવરાજે પોતાના પિતા સામે યુધેિ ચઢવાની ઈચ્છા જાહેર કરતાં વિક્રમસેને બળવર્ધનને કેદ કરી કુમાર પાસે આ. જુઓ સંસારની વિચિત્રતા ! “ સ્વાર્થ માટે પિતા પુત્રને હણે અને પુત્ર પિતાને કેદ કરે.” આવી સંસાર વિચિત્રતાને વિચાર કરતાં કરતાં વિમસેન કુમારને પ્રધાન પુરુષે તેને જણાવ્યું કે-આપની સમીપે કેદ કરાયેલ બળવર્ધન ભૂપતિ આવેલ છે, તેણે દેવરાજકુમારને રાજા બનાવ્યો અને બળવર્ધનને મુકત કર્યો. બળવર્ધને પછી તાપસી દીક્ષા અંગીકાર કરી. પાછા વળતાં કૌસંખપુરની પાસે શરવન નામના આશ્રમમાં સમરભસૂરિને જોયા તેમને વિધિપૂર્વક વંદન કરી પૂછયું કે-કથા કમને ઉદયથી મારી કર પ્રકૃતિ થઈ ? કેવળી ભગવતે તેને પૂર્વભવ જણાવતાં કહ્યું કે-કુસુમખંડ નામના નગરમાં કુળચંદ્ર શ્રેષ્ઠીને ગુણશેખર નામને પુત્ર હતું, તે અત્યંત વ્યાધિથી પીડાવા લાગે. ધર્મસચિ નામના મુનિવર ગોચરી અર્થે ત્યાં આવ્યા. કુળચંદ્ર શ્રેણીઓ કેદપણ પ્રકારે પિતાના પુત્રને નિરોગી કરવાનું કહેતાં તેઓએ જણાવ્યું કે-જો તે દીક્ષા અંગીકાર કરે, તે નિરોગી કરું. શ્રેષ્ઠીએ અને ગુણશેખરે પણ ત્રણવાર સેગનપૂર્વક તે કબૂલ કરાવ્યું એટલે મુનિવરે મંત્રજાપ કર્યો કે તરત જ તેના દેહમાં રહેલી વ્યંતરી નાશી ગઈ અને ગુણશેખર પૂર્વવત નિરોગી બન્યું. તેને દીક્ષા આપવા માટે ધર્મચિ મુનિવર એક માસ ત્યાં રહ્યા. દીક્ષા આપ્યા બાદ વિહાર કર્યો, પણ ભુલકપણાને કારણે ગુણશેખર સંયમ ધર્મનું બરાબર પાલન કરતું ન હતું. આ સંબંધમાં ધમરુચિએ તેને વારંવાર શિખામણ આપી છતાં તે સમયે નહીં ત્યારે તેને પૂર્વની જેમ વ્યાધિગ્રસ્ત બનાવી દીધે અને ગુરુશેખરે પશ્ચાત્તાપ કરવાથી પુનઃ તેને નિરોગી બનાવવામાં આવ્યું. પછી શુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરી, કાળધર્મ પામી તે સૈધર્મ ક૫માં દેવ થયા અને ત્યાંથી ચ્યવી વૈતાઢ્ય પર્વત પર દક્ષીણ શ્રેણિને વિષે ભેગપુર નગરમાં રામ વિદ્યાધરને પવનવેગ નામને પુત્ર થયે. પૂર્વના અભ્યાસથી તેને ચારિત્ર સ્વીકારવાનો ભાવ થયો. એકદા એક સુંદર નામને કુલપુત્ર તેની પાસે આવે છે, તેને વસુંધરી નામની (બહારથી દેખાતી સુંદર શીલવાળા ) અંદરથી શીલ સ્ત્રી તેના મિત્ર બાલચંદે જણાવવાથી તેની પરીક્ષા કરવા ખારગામ જવાનું બહાનું કાઢી ગુપ્તરીતે ઘરમાં સંતાઈ ગયો. અને તેની સ્ત્રી તેના પાડોશી સાથે વિલાસ કરતી જોઈ અને સુંદરને ખાંસી આવતાં ઓળખાઈ જવાથી તે બંને જણાએ સુંદરનું ગળું દબાઈ મરેલે જાણી શહેર બહાર ફેંકી દીધો સવારના સવસ્થ થતાં રાજા પાસે ફરીયાદ કરતાં તે જારને મારી નાંખે વસંધરીના નાક કાન કાપી કાઢી મુકી. (જુઓ સંસારનું વિષમ પણું. નારીનું નિધ હૃદય અને દુશીલપણું.) આ પ્રમાણે તેને વૃત્તાંત સાંભળી પવનવેગે વૈરાગ્ય પામી, સિંહ રથ નામના રાજર્ષિ-મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી, પણ દુષ્કર્મના વેગે પ્રમાદશીલ બને એટલે ગુરુએ પ્રમાદ ત્યાગવા ઉપદેશ આપતાં પ્રમાદના ભયંકરપણાને જણાવતાં ગુરુમહારાજ તેને ઉપદેશ આપતાં કહે છે કે “દપૂર્વી, આહારક મન:જ્ઞાની વગેરે, મહાપુરૂષ પ્રમાદવશ થતાં ત્યાંથી પડ્યા છતાં તે જન્મ પછીના તરતના બીજા ભવમાં
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy