________________
૨૫
કુટુંબ નાશ પામ્યું તેને શેક તને કાંઈ નથી. અને જે મહાનુભાવે સંસારનું ક્ષણભંગુરપણું જાણીને અને “ધર્મ સાધવામાં તત્પર એવું મરણ પણ સારું છે ” એમ ભાવના ભાવી દીક્ષા અંગીકાર કરે છે તેને તું આ પ્રમાણે શેક કરે છે. ધર્મ રહિત જે મરણ પામે તેને શેક કર વ્યાજબી છે. પરંતુ જે ધર્મ પામ્યા હોય તે જીવિતમાં અને મરણ-બનેમાં કીર્તિના સ્થાનને પામે છે. તારું મોહનું મહાભ્ય કેવું છે ? નિરંતરના જન્મ, જરા, મુત્ય રોગ અને શોક ૨૫ અગ્નિવડે બળતે જ છે તેમાંથી નીકળતા જીવને જે નિવારણ કરે તે માટે શત્ર છે. આ પ્રમાણે સાંભળી બંધ પામેલા દેવલ બોલ કે-હે રાજા ! મારો મોહરૂપી અંધકારને નાશ થવાથી મારા પુત્રે ગ્રહણ કરેલા માર્ગે જવા મારું મન ઇચ્છે છે જેથી તે તથા રાજા પણ કામાદિકથી ચિત્તમાં વૈરાગ્ય પામેલ હેવાથી ગુરુના દર્શનને ઇચ્છતે હાથી ઉપર બેસી પ્રધાન પુરુષે સહિત દેવલ સાથે નંદન ઉદ્યાનમાં આવે છે ત્યાં હાથી પરથી ઉતરી ગુરુને વાંદે છે; પછી ગુરુ ધર્મકથા પ્રારંભતા ધર્મનું શું ફળ છે અને ધર્મ
ગના ઉપદેશો સંભવે છે અને તેથી યથાસ્થિત અર્થના જ્ઞાનથી, વ્યાપ્ત સમકિત શ્રદ્ધા )રૂપી જ્ઞાનવાળું અનુષ્ઠાન (ક્રિયા) અતુલ ફળવાળું બને છે વગેરે છે, જેથી હે રાજા ! આ સામગ્રી પામીને પ્રમાદરૂપી મદિરાના મદનો ત્યાગ કરીને સહમના કાર્યના અત્યંત ઉદામવાળો થા. શુભ કર્મને પામીને પણ કકમના દોષથી કેટલાક અજ્ઞાની છ નાગદત્તની જેમ ફરીથી પણ મિથ્યાત્વને પામે છે. રાજાની વિનંતિથી સૂરિમહારાજ નાગદત્તની કથા કહે છે –
માગધ દેશમાં દેવરાપુર નામના નગરમાં રામ નામે વણિકપુત્ર અને નાગદત્ત નામે વાહ્મણ પુત્ર બન્ને મિત્રો છે. તે ગામમાં એક વખત રાજાને અભાવ થતાં ત્યાંના લેકે દુઃખી થવાથી બન્ને મિત્રો દક્ષિણ દેશમાં જાય છે. ત્યાં એક દિવસ નગર બહાર લાકડાં કાપવા જતાં ત્યાં કાયોત્સર્ગે રહેલા મહાબલ નામના એક સાધુને જોતાં હર્ષ પામી ફરી ફરીને તેમની સામે જુએ છે. તે દરમ્યાન મેટી ફિણાવાળો એક મોટો સપ ડાબી બાજુની ગુફામાંથી નીકળી તે મુનિરાજને ઠસી ગુફામાં પિસી જાય છે;
છતાં પણ મુનિને વિષ તે ન ચડયું પરંતુ ધર્મધ્યાનથી ચલાયમાન પણ થયા નહિં. તે જોઈ બને મિત્રો વિચાર કરવા લાગ્યા કે આ ભગવાન અતિશયવંત કલ્પવૃક્ષ જેવાં છે જેથી આમનું અવલંબન કરવું યોગ્ય છે. પછી કાત્સર્ય પારેલા તે મુનિની પાસે જઈ આતાપ, શીત વગેરેવડે આપ કેમ બાધા પામતા નથી ? એમ વિનંતિપૂર્વક પૂછતાં મુનિવરે જણાવ્યું કે-ધ્યાનની સીમાને પામેલા સાધુઓ તેનાથી બાધા પામતા નથી. તે સાંભળી વિચારવા લાગ્યા કે આ પ્રત્યક્ષ ચિંતામણીને આરાધવાથી રોગ, ઉપદ્રવ, દારિદ્ર વગેરે નાશ થાય છે. પછી તે બન્ને રાત્રે મુનિની પાસે સુવે છે. રાત્રિના સમયે તેમની નિંદ્રા નાશ પામી અને તેટલામાં જુએ છે તે નૃત્ય, વાત્ર ગીત વગેરેવડે ભગવાનની ગુણ
તુતિ કરવામાં તત્પર દેના સમૂહને જોઈ વિસ્મય પામી સવારના ભગવાનને વિનંતિપૂર્વક જણાવવા લાગ્યા કે રત્નના નિધિ એવા અમે આપના ચરણકમળની આરાધના કરવા માંગીએ છીએ. પછી ભગવાનને પ્રવજ્યા ગ્રહણ કરવા જણાવતાં તે બનેએ પ્રવજ્યા અંગીકાર કરી. પછી એક વખત તે સાધુએ દિક્ષાને મહિમા જણાવતાં કહ્યું કે (પા. ર૯૯) આ ચારિત્ર સફળ મનવાંછિતને આપનારા ચક્કી, ઈશ્વર, ગણધર અને છેવટે તીર્થંકરની પદવી લબ્ધિઓ સર્વે પ્રયત્ન વગર પ્રાપ્ત કરાવે છે અને સર્વ દુઃખને નાશ કરનાર છે, છેવટે મેક્ષ આપનાર છે માટે એક ક્ષણ માત્ર ૫ણું પ્રમાદનું આચરણ ન કરવું. તે સાંભળી બન્નેએ તે વાત અંગીકાર કરી, પરંતુ નાગદત્તને બ્રાહ્મણ જાતિ સાથે શુચિપણારૂપ પિશાચાદિકના કારણથી મુનિના આચારો રચતા હતા અને રામને મુનિ આચારે અમૃતની જેમ પરિણમ્યા હતા. ઘણુ કાળ સુધી ચારિત્રનું પાલન કરી મરણ પામી બને સૈધર્મદેવલોકને વિષે પુષ્પાવત સક