________________
પર
તેવા પ્રભુ પિતાની પાસે જ છે એવો ભાસ થાય ત્યાંસુધી નિશ્ચલ ધ્યાન કરવા જણાવે છે; પછી ભૂમિ ઉપર જાને રાખી મસ્તકને નમાવી જિનેશ્વરના ચરણને સ્પર્શ કરતાં પિતાના આત્માને માન અને જિનેશ્વરે રક્ષણ માટે આ અંગીકાર કર્યું છે એમ ચિંતવવું. પછી પ્રભુ પાસેજ વર્તે છે તેમ ધારી ગંધાદિકવડે પ્રભુની સર્વાગપૂજા કરવી, સ્તુતિ કરવી, અને બેધિલાભાદિકની પ્રાર્થના કરવી. આ પ્રમાણે નિત્ય અભ્યાસ કરવાથી જિનેશ્વરના ગુણ અને રૂપાદિકને સમ્યફ પ્રતિભાસ થાય છે. સંવેગ થવાથી કર્મક્ષય થાય છે. રોગાદિકની શાંતિ થાય છે વગેરે વર્ણન ધ્યાન કરવા માટે ગુરુમહારાજ જણાવી છેવટે ઉપદેશ છે કે આ પ્રમાણે હમેશા સમવસરણમાં રહેલા જિનેશ્વરનું સ્મરણ કરી અને ધ્યાનને સંવર કરી ઉચિત કાર્યમાં પ્રવર્તવું વગેરે હકીકત ગુરુ મહારાજે (અહિ પા. ૨૮૨–૨૮૩ માં) બતાવેલ છે તે ખાસ વાંચવા આદરવા ભલામણ કરીએ છીએ. આ ગ્રંથકર્તાશ્રીનું અપરિમિત વિદ્વત્તાપૂર્ણ જ્ઞાન, સુંદર શૈલીની અપૂર્વ રચના, વાંચતા વાચકને આત્મિક આનંદ ઉત્પન્ન કરે છે. આ કાળમાં પણ ભવિ પ્રાણીઓ મેક્ષ પ્રાપ્ત કરવા, આત્મિક લાભ અને વ્યવહારિક સુખ પ્રાપ્ત કરવા, આવી રીતે જિનેશ્વરનું ધ્યાન દઢ શ્રદ્ધા, શાંતિ અને વગર કષ્ટ કરી શકે છે. આવા દેવાધિદેના વિદ્વાન પૂર્વાચાર્યોના રચેલાં ચરિત્ર મનનપૂર્વક વાંચવાથી પ્રાણીને કેટલે આનંદ થાય છે, લાભ મેળવી : ' શકે છે. પૂર્વ કાળમાં કેવલજ્ઞાની વગેરે મહાન પુરૂષ વિદ્યમાન હતા જેથી મનુષ્યને તેમને પૂર્વ ભવ જ્ઞાનવ જણાવતાં, પ્રાણી તેઓશ્રીના ઉપદેશવડે ધર્મ પામતાં, કેવા કેવા શુભાશુમ કમને કેવો વિપાક પ્રાણીઓને ભગવો પડતો તે સહજ જણાતું; પરંતુ આજે તેવા જ્ઞાની મહાત્માને વર્તમાન કાળમાં યોગ નહિ હોવાથી આવા સુંદર ચરિત્રોના શ્રદ્ધાપૂર્વકના અધ્યયનથી જ આમા, કર્મનું ફળ, તેનું નિવારણ અને દુનિયામાં દેખાતા એક સુખી એક દુઃખી, રોગી, નિરોગી, વગેરે પુષ્ય, પાપ, શુભ અશુભ કર્મના ફળ જોઈ શકાય છે. આત્મા અને કર્મને સંબંધ, મેક્ષ મેળવવા માટે સંવર. નિર્જરા અને મોક્ષ પ્રાપ્ત કરવાના, જ્ઞાન, દર્શન ચારિત્ર તપ વગેરે ઉત્તમ સાધનો જાણી આદરી મોક્ષપ્રાપ્તિ મનુષ્ય કરી શકે છે. આત્મા અને કર્મનું સ્વરૂપ મેક્ષ મેળવવાના સાધને નવત કર્મગ્રંથ વગેરે તત્વજ્ઞાનના ગ્રંથોમાં જે જોવાય છે તે જૈન દર્શન સિવાય અન્ય કોઈ દર્શનમાં જોવાતા નથી જેથી આવા ચરિત્રો વાંચી વિચારી (મનનપૂર્વક) ધ્યાનને નિરંતર અભ્યાસ ક્રમે કર્મ કરવાની પ્રાણીને જરૂર છે.
હવે અહિં ગુરૂ મહારાજને દયાનને ઉપદેશ સાંભળી શિવા, દેવપ્રસાદ અને અમાત્ય વગેરેએ જિન ધર્મ અંગીકાર કરે છે. પછી અમાત્ય વગેરેના કર્મ ક્ષીણ થવાથી રાજવૈભવ પ્રાપ્ત થાય છે એને દેવપ્રસાદે સંસારનું અસ્થિર સ્વરૂપ વિચારી છેવટે શ્રમણસિંહ નામના મુનિની પાસે દક્ષા અંગીકાર કરે છે. તિક્ષણ સાધુની ક્રિયા પાળી સમાધિપૂર્વક મૃત્યુ પામી સન્તકુમાર દેવલોકમાં જાય છે ત્યાંથી
એવી ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં મહીધર રાજાની રેવતી ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થતાં તેનું ત્યાં સેમ નામ પાડે છે. યુવાવસ્થાને પામ્યા છતાં કામદેવના દે, ઇંદ્રિયના વિકારો અને વિરૂદ્ધ આચરણને ત્યાગ કરીને રહે છે તે વખતે તેના પિતા લગ્ન કરવા. રાજ્ય લક્ષમી ભોગવવા પછી ઉચિત કાર્ય કરવા જણાવે છે, પરંતુ અસ્થિર સંસાર કેવો છે? વગેરે વચન વડે આત્મહિત કરવા સંબંધી તે પિતાને જણાવે છે. પછી પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરવા વિચારી પિતાની રૂચી જણાવતાં પિતા સામત રાજા પુરૂષસિંહની પુત્રી ચંપકમાલ સાથે લમનું નકકી કરી શુભ મુહુર્તે લગ્ન કરવા ચંપકમાલાને મોકલવા તેના પિતાને જણાવતાં અચાનક વિઘ આવી પડવાનું છે તેને વિચાર નહિં કરતાં ચંપકમાલાને ત્યાં મોકલે છે જ્યાં રસ્તામાં દૂત દ્વારા જાણી શતદાર નગરના રાજા કર્તવીર્ય તેણીનું હરણ કરે છે. બને રાજાઓ તે સાંભળી ક્રોધ પામી કાર્તવીર્ય તરફ જાય છે. ત્યાં કુંવર તેના પિતાને પગે પડી જણાવે છે કે મને