________________
૫૧
એક વખત રાત્રિના સુખશયામાં સૂતેલી વસંતસેના પ્રભાતસમયે સુંદર આકારવાળે પૂર્ણ કળશ ખાલી પિતાના મુખમાં પ્રવેશ કરતે સ્વપ્નામાં જોવે છે, હર્ષ અને ખેદ સાથે સવારનાં તે અમાત્યને જણાવે છે. તે જાણી અમાત્ય તથા પ્રકારના દેવીનું નિશ્ચયનું સ્મરણ કરીને ધનની અપ્રાપ્તિને પરિવાર જાણ્યા છતાં વસંતસેનાને તે હકીકત જણાવી નહિં. પરિપુર્ણ માસે વસંતસેનાને પરવાળાની જેવા રાતા હાથ પગવાળે, કમળ કાયાવાળ, પુત્ર જનમે, અને બારમે દિવસે તેનું દેવપ્રસાદ નામ પાડ્યું. યોગ્ય સમયે અહિચંદ્ર શેઠની સોમા નામની કન્યા તેને પરણાવે છે. હવે કમે તમે તેના ઘરમાં ધનને નાશ પામવા લાગે છે. દેવીની હકીકતને વારંવાર તે યાદ કરે છે. દરમ્યાન રાજાના આદેશથી તેના હાથમાંથી મુદ્રા લઈ, ઘરનું સર્વસ્વ હરણ કરી રાજસેવકે અમાત્યને કુટુંબ સહિત કેદખાનામાં નાંખી, લધિન કરાવી તર્જન કરે છે તે વખતે અમાત્ય રાજ્યલક્ષ્મી કેવી વિંબના પમાડે છે, રાજાનું સન્માન પણ પ્રથમ મિષ્ટ અને છેવટે તાલપૂટ વિષ જેવું છે વગેરે તેમ વિચારે છે અને રાજા અમાત્યનું ધન ૫ણ લઈ લે છે. પછી રાજા તેને મુક્ત કરતાં તે પિતાના ઘેર જાય છે. જ્યાં તેની સ્ત્રી વસંતસેનાને સંસારની અદભુત લીલા, કાળ પરિવર્તન, કર્મનું સ્વરૂપ અને સજાઓને રિચય કેવો દુષ્કર છે ( પા. રર). વગેરે જણાવી સંતાપ છોડવા ઉપદેશ આપે છે. પછી દેવીએ પૂર્વ વરદાન આપતાં કહેલી હકીકત પોતાની સ્ત્રીને જણાવે છે. અને ભાગ્યમાં જે બનવાનું છે તે બને છેબીજા તે માત્ર નિમિત્તરૂપ છે. જેમ રામચંદ્ર હાથે રાવણનાં મરણનો સંભવ હતા અને સીતાજી તો નિમિત્ત માત્ર થયેલ છે. વગેરે હકીકત અમાત્ય સમજાવે છે. પછી અમાત્ય પિતાના કુટુંબ સહિત ત્યાંથી નીકળી એક પાસેના ગામમાં જઈ ત્યાં આજીવિકા ચલાવે છે. કેટલાક દિવસ પછી અમાય અને તેને પુત્ર પિતાની દુઃખી અવસ્થા જોઈ એક દિવસ પોતાની ઘાસની ઝુંપડીમાંથી નીકળી બહાર જાય છે, ત્યાં કંકેલી વૃક્ષની નીચે રહેલા એક મુનિને પિતાના એક ચરણવડે ઉભા રહી સૂર્ય સામે દષ્ટિ રાખી ધ્યાન સાથે ઉભેલા જોઈ મોટા હર્ષવડે તે બંને તેમના ચરણમાં પડે છે. અવધિજ્ઞાનવડે તેના ગુણને લાભ જાણી મુનિશ્રી તમે આવ્યા તેમ કહે છે. પછી અમાત્ય મુનિને આવા દુષ્કર તપવડે આપના આત્માને કેમ પ્રયાસ આપે છે તે પૂછતાં મુનિરાજ પૂર્વે કરેલા દકત કર્મોને નાશ તપ સિવાય થતું નથી, વળી આ લેકનાં કાર્યો પણ મોટા કલેશ વિના સિદ્ધ થતાં નથી તે આત્યંતિક પરલેકના કાર્યો તપ સિવાય શી રીતે સિદ્ધ થાય ? તમે પણ સત્ત્વપણાએ કરીને દિવસે નિર્ગમન કરતાં કાર્યના તત્વને નહિ જાણીને જ આ પ્રમાણે આત્માને દુઃખી કરે છો, પૂર્વે કરેલા દુષ્કૃત કમેનું પ્રતિવિધાન કેમ કરતા નથી ? વગેરે જણાવી પૂર્વ દુષ્કૃત કર્મના નાશને વિધાન ગુરૂ મહારાજ બતાવે છે. પણ અમાત્ય મુનિને પિતે પૂર્વ ભવે શું દુષ્કૃત કર્મ કર્યું હતું અને આ ભવમાં તેને નાશ કરવા માટે અમો શું કૃત્ય કરીએ? તે કૃપા કરી જણાવે. એમ પૂછવાથી ગુર મહારાજ તેમને પૂર્વ ભવને વૃત્તાંત અહિં જણાવે છે. (પા. ૨૭૪ થી પા. ૨૮૨) જે મનન કરવા જેવું છે. મુનિરાજ આ પૂર્વભવના વૃતાંતમાં સાથે ધર્મધ્યાનને વિધિ બતાવતાં જણાવે છે કે “ ધ્યાન
નાર પવિત્ર થઈ. પલાઠી વાળી, મન વચન કાયાના વ્યાપારને રૂધી, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર રાખી, શ્વાસે શ્વાસને મંદ કરી, પિતાના દુશ્ચારિત્રની નિંદા કરતે, સર્વ પ્રાણીઓને ખમાવતે, પ્રમાદને દુર કરતે, જિનેશ્વરના ધ્યાનમાં એકચિત્તવાળે થઈ, ગણધર ગુરુનું સમરણ કરવું. અહિંયા દેવએ કરેલી સમવસરણની રચનાનું સંક્ષિપ્ત પણ જાણવા યોગ્ય વર્ણન ગુરુ મહારાજ આપે છે. તે સમવસરણમાં પછી પ્રભુ પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને ત્રણ દિશા પ્રતિરૂપ દેવે કરે છે, પ્રભુ કેવળજ્ઞાનવડે સમગ્ર વર્તન પરમાર્થ પ્રગટ કરે છે વગેરે પ્રભુના અસાધારણ ગુણોનું વર્ણન કહેવામાં આવે છે.