SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પૂર્વ ભવનાં વેરભાવથી તેને જોઇ વિવાહ પૂર્ણ થતાં પહેલા રાત્રિના તેણી નાશી જઇ મહેન્દ્રપુર જઈ સાધ્વીમહારાજ પાસે પ્રત્રજયા લઇ જ્યાતિષ્કને વિષે દેવી થાય છે. ત્યાંથી ચ્યવી ભાગપુર નગરમાં ચ'ડગતિ વિદ્યાધર રાજાની પદ્મા નામની પુત્રી થાય છે, અને પૂર્વ ભવે પતિના દ્વેષ કરવાથી પુરૂષ ઉપર દ્વેષ કરનારી થઇ છે. સુષેણાના ભવમાં અલાના આડે। શ્વા તે ઝીલ્યેા હતેા તેથી તેણીનું ચિત્ત જે તે વશ કરેલુ તેના વશથી હે મહાવેગ ! તને તેણીએ પતિ તરીકે 'ગીકાર કર્યાં. જે અર્જુન હતા તે હું અનંગકેતુ થયા, પૂર્વ ભવના વેરથી તેણીએ મારા ત્યાગ કર્યાં. તે પૂર્વભવની હકીકત સાંભળી મહાવેગને તેમજ પદ્માને ત્યાં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થતાં ધર્મમાં લીન થાય છે. ઉપર પ્રમાણે સાંભળી રાજાની દીક્ષા લેવાની ઇચ્છા થતાં મહાવેગને ગાદી સોંપી દીક્ષા લે છે અને દેવલેાકમાં જાય છે. હવે મહાવેગને કેટલાક વખત પછી અશુભ કમનાં ઉધ્યથી મહારેગ ઉત્પન્ન થાય છે. ઉપચારા કરતાં રાગ નહિ... મટતો હાવાથી કર્મનું સ્વરૂપ વિચારે છે, દરમ્યાન એક વિદ્યાધર વૈદ્ય રાગની શાંતિ માટે તેની પાસે આવે છે, હકીકત જાણી તે વૈદ્ય પશુના આહાર કરવાની ભલામણ કરતાં મહાવેગ જીવને ધાત કરી રાગની શાંતિ કરવા ના કહે છે અને સમ્યક્ પ્રકારે દુઃખ સહન કરતાં એક રાત્રિને · વિષે રાગની શાંતિ થશે તે તેા હુ. રાજ્યલક્ષ્મીને તજી પ્રત્રજ્યા લઇશ. પ્રાતઃકાલ થતાં રોગની શાંતિ થતાં પેાતાના પુત્ર કનકવેગને ગાદીએ બેસારી સાઠે વિદ્યાધર રાજપુત્ર સહિત મેધાષર પાસે દીક્ષા ગ્રહણ કરી, ચારિત્ર પાળી છેવટે બ્રહ્મલોક કલ્પમાં દેવ થાય છે, ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રને વિષે સુરપુર નગરમાં કનકકેતુ રાજા અને તેની શાંતિમતી રાણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થતાં ત્યાં તેનું બ્રહ્મ નામ આપવામાં આવે છે. ત્યાં યુવાવસ્થા થતાં પૂર્વભવમાં અનુભવેલ ચારિત્ર ગુણવર્ડ સ્ત્રીના પરિગ્રહથી વિરકત મનવાળા થઇ કેટલાક મિત્ર સાથે મારા દેવલજ્ઞાનને મહિમા જાણી અહિ આવી પ્રવ્રજ્યા અને ગણુધરની લક્ષ્મીને પામ્યા છે. પાંચમા ગણધર સામના (પૂર્વ ભવના વૃતાંત. ) દેવાધિદેવ પાર્શ્વનાથ ભગવત દેશનામાં પ્રકાશે છે. આ જખૂદ્બીપને વિષે ભરતક્ષેત્રમાં અંગદેશમાં ચ’પા નામની નગરી ને જિતારી નામના રાજા છે. તેને શિવત્ત નામના અમાત્ય અને તેને વસંતસેના નામની સ્ત્રી છે. તેણીએ અનેક મત્ર તંત્રા ઉપાયો કર્યાં પણ પુત્રપ્રાપ્તિ નહિં થવાથી છેવટે આભૂષણા વગેરેના ત્યાગ કરી ઉદાસ થઇ બેઠી છે ત્યાં અમાત્ય તેનુ કારણ પૂછતાં પુત્રવિરહનું દુઃખ જણાવે છે. અમાત્ય તેને પુરુષાર્થ વડે કાર્યસિદ્ધિ થાય છે તેમ જણાવી પછી જિતારી રાજાને તે હકીકત ખાનગી જણાવી દશ દિવસ દેવીની આરાધના કરવા માટે અમાત્યે એક મદિર તૈયાર કરાવી એક ભૂમિશુદ્ધિ કરાવી ધરા નામની દેવતાની સ્થાપના કરી–ડે દેવી ! તું મને વરદાન આપીશ ત્યારે ભાજન કરીશ એમ જણાવી પગમાં પડી, સ્તુતિ કરી, તેનામાં એક ચિત્તવાળા થાય છે. દરમ્યાન સાતમા અહારાત્ર (દિવસ) થતાં દેવીએ તેની પરીક્ષા કરવા અનેક પ્રકારના ઉપસર્ગી કરવાના પ્રારંભ કર્યાં. કાઇ પણ પ્રકારે અમાત્ય ક્ષેાભ નહિં પામવાથી આવા પ્રાણીઓને શું અસાધ્ય હાય ? છેવટે દેવી તુષ્ટમાન થતાં પ્રત્યક્ષ થઇ જણાવે છે કે-કાઇ કર્મના વથી તને પુત્ર થશે પરંતુ તે તારા ધરમાં મેટા દારિાને ઉત્પન્ન કરશે એ સાંભળી પુત્ર જ આપવાની માંગણી કરે છે. દેવી વરદાન આપવા સાથે દેવ, ગુરૂની પૂજા વિશેષ પ્રકારે કરવાની જણાવી, દેવી અદૃશ્ય થતાં અમાત્ય પેાતાને ઘેર જઇ વસંતસેનાના પૂછવાથી પુત્ર થશે તેમ જણાવે છે.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy