SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ અને નગરની બહાર નિવાસ માટે ઉદ્યાનમાં આવે છે જ્યાં સ્વાધ્યાય કરતાં મુતિએને જોવે છે તેને જ્ઞાનરૂપી નેત્રવાળા સુધ સૂરિએ જોઇ, હું નરવાહન રાજા ! તુ આવ્યા ? ગુરૂને ઓળખાણુ પૂછ્યાં સરિમહારાજ તેને કહે છે ઃ-પેાતાના દેશમાંથી વિદાય કરતાં તે પાતે જ પેાતાને ઓળખાયેા છે. જે સાંભળી તે લજ્જા પામે છે. અહિ' સૂરિજી ધર્મોપદેશ આપતા જણાવે છે કે કાઇ કુસ્તિક સુકૃતના ઉદયવડે રાજ્યાદિ પામી, ધમ અને તેના વિવેકને નહિં જાણુનારા નાસ્તિકપણાની બુદ્ધિવડે અનના સમૂહને અવશ્ય પામે છે. વગેરે ઉપદેશ સાંભળી રાજાને પશ્ચાત્તાપ થતાં તેના પૂછવાથી રાજાને અનર્થના સમૂહવશ થયેલ ભૂતકાલની હકીકત જણાવે છે અને પુણ્ય, પાપના ો, તપસ્યાદિકવડે જ્ઞાનપ્રાપ્તિ શુભ અશુભ સ્વભાવવાળુ કમ વગેરે સંબધી ઉપદેશ આપી તેને સારે માગે પ્રવૃત્તિ કરવા અને જીવહિંસાદિ પાપસ્થાનેવર્ડ પ્રાણીઓના અનિષ્ટના વિચાર કર્ એમ કહ્યું. પાંચ અત્રતાનું સેવન કરવાથી પ્રાણીએ કેટલી વિડમ્બના પામે છે વગેરે ઉપદેશ આપવાથી રાજા નરવાહનને પશ્ચાત્તાપ થાય છે ( પા. ૨૬૦, ૨૬૧, ૨૬૨ ) તરત જ મિથ્યાત્વની વાસના નાશ પામતાં ગુરૂના ચરણમાં પડે છે, અને કરેલાં પાપા યાદ કરી આત્માને નિર્દ છે. ગુરૂના તે માટે ઉપકાર માને છે. અને ગુરુમહારાજ તેને જિ ંદગી પર્યંત સમકિતનું આરેપણુ કરાવે છે, પછી પેાતાના નગરમાં આવી પાતાનું રાજ્ય પામે છે. પછી ગ્ર ંથકાર મહારાજ સદ્ગુરૂનાં ઉપદેશનું અહિં માહાત્મ્ય જણાવે છે. ( પા. ૨૬૩) વિજયવેગ વિદ્યાધર અને મહાવેગ કુમારના પૂવાથી નરવાહન રાજાનું આખ્યાન અહિં ગુરૂમહારાજ પૂર્ણ કરે છે. ) પછી બીજે દિવસે ગુરુ પાસે આવી શકાવાલા રાજપુત્રે ગુરૂને પૂછ્યું કે મારી શ્રી જોઇ બીજાને પડતા મૂકી મને જાણ્યા વિના પદ્મા રાજપુત્રી મારા વિષે અનુરાગવાળી કેમ થઈ અને આપે વિક્ષેપ કર્યાં તેનુ' શું કારણ તેમ પૂછતાં સૂરિમહારાજે અવધિજ્ઞાનવર્ડ પૂર્વ ભવના સર્વ વૃત્તાંત કહે છે. આ જખૂદ્બીપને વિષે અર્ધ ઐરવતક્ષેત્ર વિષે હિનપુર નગરમાં અર્જુન નામના બ્રાહ્મણ હતા જેને સુષેણા નામની ભાર્યાં અને કેલિદત્ત નામના મિત્ર હતા. કેવળ અર્જુન જ બ્રાહ્મણુ અત્યંત કાપવાળા અને ઇર્ષાયુક્ત હતા. સુષેણા શીન્નવાળી અને કિલિદત નિળ સ્વભાવવાળા હતો. એક વખત રાત્રિએ પ્રથમ પહેારને છેડે અર્જુન અને કેલિદત્ત ધરમાં પ્રવેશ કરતાં એક ચાર પુરૂષને કંઇ વસ્તુ લઇ વંડી ટપીને જતા જોતાં અર્જુન પેાતાની ભાયંના સકેત કરેલા કાષ્ઠ પુરૂષ છે એમ વિચારી કાપ પામેલા તેણે ભૂજારૂપી અČલા ગ્રહણ કરી, પોતાની સ્ત્રીને પૂછે છે-આ કાણુ છે ? ત્યારે તસ્કરને નહિં જાણતી સુષેણા ક્રાણુ કર્યા છે ? એમ કહેતાં કાપ પામેલા તેણે સુષેણાની ઉપર ભૂજારૂપી અલાના ધા કરતાં કલિદત્ત વચ્ચે પડતાં તેને મસ્થાનમાં બ્રા પડવાથી તત્કાળ મરણ પામે છે. અને વ્યંતર થાય છે, અને ફરી બ્રાહ્મણી થાય છે. અર્જુન લેાક્રામાં ફીટકાર પામતા મૃત્યુ પામી પ્રથમ નરકમાં જાય છે. સુષેણા પણ બ્રાહ્મણી થઇ નાની ઉંમરમાં વિધવા થઇ ત્યાં તાપસી દીક્ષા લે છે. ત્યાં ધાર તપ કરી ત્યાંથી પ્રથમ દેવલોકમાં જાય છે. કેલિદત્ત પણ વ્યંતરના ભવમાંથી ચ્યવી સિંહપુર નગરના સાગર નામના વિષ્ણુપુત્ર થાય છે. ત્યાં વૈરાગ્ય પામી કઠોર તપ કરી પ્રથમ દેવલાકમાં જાય છે. અર્જુન નરકમાંથી નીકળી તિર્યંચ થઇ મરીને શુખપાલિકા ગામમાં શખ નામે ગ્રામપુરના પુત્ર થઇ ધનશર્મા સાધુ પાસે દીક્ષા લઇ ચારિત્રનું પાલન કરી ત્યાંથી સૌધર્મ દેવલાકમાં દેવ થાય છે. હવે કૅલિદત્તને જીવ ફ્રી દેવલાકમાં જાય છે. યાંથી ચ્યવી આ ગગનવલ્લભનગરમાં આ મહાવેગ નામનેા તું રાજપુત્ર થયો. તે સુષેણા દેવલાકમાંથી વી રાજગૃહ નગરમાં કુબેર શ્રેષ્ઠિની શામા નામની પુત્રી થાય છે. અર્જુન પણ તે જ નગરમાં ધન નામના શેઠનેા પુત્ર થાય છે. તેની સાથે શામાના વિવાહ થાય છે. ત્યાં ७
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy