SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જ જયવરાહની મુનિજનને પકિલાભવાની આકાંક્ષા અને ક્ષેત્રપાળે કરી આપેલ જના. [૪૦૫ ] મારે ભેજનવડે સર્યું. આ દુર છવે પહેલાં અનેક વખત ભોજન કર્યું છે, તે પણ અનંત કાળે પણ વાંછાને વિછેર નથી, તે પછી હમણું પોતાના નિયમનું ખંડન કરીને ભજન કરતા આ જીવને (મને ) તે વાંછાને વિછેદ શી રીતે થાય? ક્ષેત્રનાથ! હું તેને (ભજનનો) અથ નથી,” ત્યારે મોટી ભક્તિના પ્રાર્ષથી અસમાન વૃદ્ધિ પામતા પક્ષપાતવાળા ક્ષેત્રાધિપે કહ્યું કે-“હે રાજા ! એમ તું ન ન બેલ. દેહ સાધન વિના રહી શકતું નથી, અને તેનું સાધન આહારાદિક છે, તે(આહાર)થી આશ્રિત થયેલે દેહ ધમીર્થને વિષે સમર્થ થાય છે. વળી તે ધર્માર્થ માટે પુરુષાર્થ છે, તેથી તે ધર્મા જે કોઈપણ પ્રકારે વિસ્તારને પામે, તે પ્રકારે કુશળ પુરુષે સર્વથા ઉદ્યમ કરવો જોઈએ. વળી જે તે કહ્યું કે-“અતિથિને આપ્યા વિના હું કેમ ભેજનકરું?તે ગ્ય કહ્યું છે. તેથી હવે ચાલ, હું તને અતિથિ દેખાડું.” એમ કહીને રાજાને હસ્તતળવડે ગ્રહણ કરીને તે પ્રદેશની પાસે જ તે દેવે સારા સાધુના સમૂહવટે વ્યાપ્ત છેટને વિષે તેને મૂક્યું. તથા ઘણી ખાંડ અને ખાજાંવાળું ભેજન તે દેવે તેને આપ્યું. ત્યારે હર્ષથી રોમાંચ શરીરવાળા રાજાએ ભક્તિથી વાંકીને, મુનિઓને પઠિલાભીને, જગદગુરુનું સ્મરણ કરીને અતિ હર્ષ પામેલા મનવાળા તે રાજાએ ગુરુને આપ્યાથી બાકી રહેલા ભેજનનું વિધાન કર્યું. પછી ભેજન કરેલા રાજાને ક્ષેત્રાધિપે કહ્યું કે-“હે રાજા ! તું ચાલ, કે જેથી તને રાજ્ય ઉપર સ્થાપન કરીને હું પાછો વળું.” રાજાએ કહ્યું કે “હે શ્રેષ્ઠ દેવ! કેઈપણ કુશળ કર્મના ઉદયથી કારાગૃહ જેવા ભયંકર ઘરથી નીકળેલા મારે હવે સંસારસમુદ્રના વહાણરૂપ અને ધીર એવા આ શ્રેષ્ઠ મુનિઓની પાસે મારે રહેવું એગ્ય છે. મને રાજ્યની પ્રાપ્તિ પણ કલ્યાણના કારણ જેવી થઈ છે, કે જેથી આવા પ્રકારના મુનિજનના ચરણકમળના દર્શનને હું પામે.” ત્યારે ક્ષેત્રાધિપે કહ્યું કે-“હે રાજા! મારા હાથવડે તને તારા રાજ્ય ઉપર સ્થાપન કર્યા વિના હું કેઈપણ રીતે રતિને (શાંતિને) નહીં પામું.” આ પ્રમાણે કહીને ક્ષેત્રાધિપ તરત જ રાજાને ઉપાડીને ઉપડ્યો અને જયપુરને પાયે, તથા ત્યાં તેને રાજાને સ્થાને સ્થાપન કરીને તુષ્ટ મનવાળે તે દેવ ઇચ્છિત સ્થાને ગયે. પછી અહીં વધુપન થયું, મંત્રી અને સામતે આવ્યા. તેઓએ પગમાં પડીને કહ્યું કે “હે દેવી! તમે ગયે દિવસે (કાલે) કયાં રહ્યા હતા? તે તમે કહે. અમને મોટું કૌતુક થયું છે. તેવું કઈપણું સ્થાન નથી, કે જ્યાં કોએ સર્વ આદરપૂર્વક તમને જોયા ન હોય, તે પણ તમે કષ્ટિના માર્ગમાં પ્રાપ્ત થયા નહીં.” ત્યારે પોતાનું ચરિત્ર કહેવામાં લજજા આવવાથી નીચી કંધરા રાખીને રાજાએ મંત્રી વિગેરેને કાંઈક કહીને મૌનને આશ્રય કર્યો. આ પ્રમાણે રાજાને વૃત્તાંત શેડે જાણીને, મંગલાદિક કાર્ય કરીને મંત્રી વિગેરે ૧. ખેટ એટલે નિવાસનું અમુક ગામ.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy