________________
[ ૪૦૬ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ?
જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. રાજા પણ તે કાળને ઉચિત કાર્ય કરીને, હાથી, અવ વિગેરે રાજ્યના અંગની સંભાળ કરીને, તથા પ્રેક્ષક(નાટક) આદિ કાર્ય સમય પ્રમાણે કરીને, તે કાર્ય વિદાય કરીને પછી સુર્ય અસ્ત પામે ત્યારે જિનપૂજા, વંદન અને સ્વાધ્યાય વિગેરે કાર્ય કરીને શયામાં બેઠો. અને ત્યાં વારંવાર પૂર્વે કરેલા દુષ્કૃતના કટુક વિપાકની ભાવના ભાવત, ક્ષેત્રાધિપતિના કપટરહિત નેહના અનુબંધવડે વ્યાસપણાને ચિંતવતે, અને તપના મોટા માહાભ્યને જેતે કોઈપણ પ્રકારે નિદ્રા પ્રાપ્ત થવાથી રાત્રિને વિષે સૂતાં. પછી અનુક્રમે પ્રભાત સમય થયે ત્યારે સાધુજનની પર્ય પાસના કરવાને ઈચ્છો તે રાજા રાજ પાટિકાના વ્યપદેશ( મિષ )થી કેટલાક સેંકડો રાજપુત્રવડે પરિવરીને અશ્વ ઉપર ચડીને ઘેરથી નીકળે. પછી તે તે પ્રદેશમાં ક્ષણ માત્ર અશ્વ વાહન કરીને નંદન ઉદ્યાનમાં ગયે. અને ત્યાં તે જ વખતે આવેલા ત્રણ .. કાળના સમૂહને જોવામાં (જાણવામાં) પ્રધાન અવધિજ્ઞાન વડે સર્વ ભાવને જાણનારા ભવદેવ નામના શ્રેષ્ઠ મુનિને જોયા. વૃદ્ધિ પામતા મોટા સંતોષવાળા રાજાએ તેને તથા બીજા મુનિઓને વાંદ્યા. ગુરુએ તેને ધર્મલાભ આપે ત્યારે તે રાજા ઉચિત આસને બેઠો. પછી જ્ઞાનના અતિશય વડે પૂર્વભવને વૃત્તાંત જાણીને મુનિએ સનેહવાળી ચક્ષુ નાંખવાપૂર્વક રાજાને કહ્યું કે-“ હે મહાભાગ્યવાન! તેં બહુ સારું કર્યું, કે પૌષધપવાસ ગ્રહણ કરીને મેટા પ્રચારવાળા મનરૂપી મર્કટ( વાનર )ને રૂંધીને , ભયંકર વેતાલે કરેલા હલબેલાદિક કદર્થનાવડે ભય પમાડયા છતાં પણ અને દુષ્ટ દષ્ટિથી વિસ્તારેલા તીક્ષણ ભાલાવાળા ભિલરૂપી રીંછવડે ભયંકર સમુદ્રને કાંઠે નાંખ્યા છતાં પણ તું આરંભેલા વિશુદ્ધ ધર્મના અનુષ્ઠાનથી જરા પણ ક્ષોભ પાપે નહીં. તેથી કરીને જ મહાસત્ત્વવાળા પુરુષ જ આ ધર્મના અધિકારી હોય છે. ક્ષુદ્ર પ્રાણીઓ કદાપિ ધર્મના ભારને વહન કરી શકતા નથી. તીર્થકર, ચક્રવર્તી અને બળદેવ વિગેરે પ્રધાન પુરુષોએ જે (ભાર) વહન કર્યો છે, તે સદ્ધર્મને ભાર બીજા પ્રાણીઓ શી રીતે વહન કરવા સમર્થ થાય? જેઓ ઉપાડેલા(ભાર)ને મોક્ષ પમાડે છે, તેઓ આ જગતમાં “લાવા પામે છે. અને ઉપાડેલાને તજી દેવાવાળા તૃણની જેમ નિસારપણાને પામે છે. આ પ્રમાણે સદ્ધર્મને વિષે નિશ્ચળતા થોડા પુણ્યવાળાને સંભવતી નથી, પરંતુ જેમને મોક્ષાદિકનો લાભ પાસે પ્રાપ્ત થયો હોય તેવા પુરુષોને જ સંભવે છે.” આ પ્રમાણે લાઘા કરેલ (ઉત્સાહ પમાડે ) તે રાજા મોટા હર્ષને પામીને મુનિરાજના ચરણને નમીને આ પ્રમાણે પૂછવા લા, કે-“હે ભગવાન! સર્વ પ્રકારે કહે, કે નિર્જર નહીં પામેલે મારા પૂર્વભવના કર્મને સમૂહ કેટલા વિપાકવાળો અને કેટલા ચિરકાળ સુધી હજુ રહેશે?” ત્યારે મુનીશ્વરે કહ્યું કે-“હે મેટા રાજા! મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વિગેરે કારણ વડે અતિક્રાંત (ગયેલા-ભૂતકાળના) અનંત કાળવડે ઉપાર્જન કરેલા ઘણા પાપકર્મની નિર્જરા થઈ છે, અને ચારિત્રાવરણને ભાવવડે પરાભવ કરતું ઘણું પાપકર્મ હજુ રહેલું છે.”