SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કઢને વ્યાધિ થશે. તેથી મને જણાવ્યું કે-હે પતિ ! મારું સારું ઈચ્છતા હો તે મને ચતુર્વિધ આહારના ત્યાગવડ અનશન કરાવે. તે અનશનમાં સ્થિર રહેતાં, મેં તેને પંચ નવકારમંત્ર આપ્યો. છેવટે મૃત્યુ સમયે મેં તેણીને કહ્યું કે–જે તું દેવ થા તે મને દર્શન આપજે. પછી તેણી મૃત્યુ પામી સૌધર્મ દેવકને વિષે ઉત્પન્ન થઈ છે અને તરતજ અવધિજ્ઞાનવડે જોઈ મને આપેલ વચન યાદ કરી મારી પાસે આવી મને પોતાની ભાર્યા તરીકે યાદ આપી મનવાંછિત આપવાનું જણાવતાં આ સંસારનું અસ્થિરપણું સમજી ના પાડ્યા. છતાં મારું આયુષ્ય કેટલું છે એમ મેં પૂછતાં તેણે ત્રીશ વર્ષ જણાવ્યા અને મેં ચારિત્ર ગ્રહણ કર્યું. એમ ગુરુમહારાજે પિતાને વૃત્તાંત જણાવી, જવલનને વિશેષ ઉલમવાળો થવા જણાવ્યું. હવે ત્રીસમું વર્ષ આવતાં વિજયાનંદ સાધુ સમાધિપૂર્વક કાળધર્મ પામી સહસ્ત્રાર ક૫ને વિષે દેવ થાય છે. હવે જવલન મુનિ વિહાર કરતા તેમનપુરમાં આવે છે. ત્યાંને જયસુંદર રાજા મૃમલાનો શિકાર કરવા બાણુના સમૂહને ફેંક્ત હતા ત્યારે જવલન મુનિ ત્યાં આવીને ઊભા; તેમને જોઇને તે બોલે છે કે સારું થયું કે મારા બાવડે આ સાધુ હણાતા બચી ગયા. એમ સંતાપ પામતે મુનિને વંદન કરી તેમને કોપ શમાવવા વિનંતિ કરવા લાગ્યો કે-આપ સમાધિમાં છે તેમ નહિં જાણતાં હ . બાણને સમૂહ છોડયે જતો હતો તે મારા અપરાધને ક્ષમા કરે. મુનિ કાયોત્સર્ગ પારી, અભય હે એમ કહી, રાજા સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનાર હોય છે તે તમે બીજાને વધ કેમ કરી શકે તેમજ દયાનું અને અભયદાનનું વિશેષ સ્વરૂપ મુનિ જણાવી રહ્યા બાદ રાજા પ્રતિબોધ પામી મુનિની સેવા તને દુષ્કર તપ તપવાનું કારણ પૂછતાં જવલનમુનિ પૂર્વે કાલ દેશમાં પિતે બ્રાહ્મણ હતા, અને કાત્યાયની દેવીની લક્ષ્મી મેળવવા આરાધન કરવા ગયેલા વગેરે વૃત્તાંત જણાવતાં રાજા કે–તે પુરુષ હુ જ હતે. પછી રાજા પિતાના પુત્રને રાજયાસન પર બેસારી ચારિત્ર લે છે. જવલન મુનિ ચારિત્ર ધર્મ શુદ્ધ રીતે પાળી છેવટે અનશન કરી મરણ પામી સનમાર દેવલોકમાં જાય છે, ત્યાંથી આયુષ્ય ક્ષય થયે એવી જંબદ્વીપના દક્ષિણ ભરતાધ ક્ષેત્રમાં કપીલ્યપુર નગરમાં મહેન્દ્ર રાજાના પુત્ર વિશિષ્ટ થઈને બાલ્યાવસ્થાથી વૈરાગ્ય પામેલ હેવાથી માતપિતાને પ્રતિબોધ કરી, કેટલાક રાજપુત્ર સહિત અહિં આવ્યો અને પ્રવજયા લઈ ત્રીજા ગણધરની પદવી પામ્યો. “હવે ચોથા બ્રહ્મા ગણધરને વૃત્તાંત શ્રી પાર્શ્વનાથ ભગવાન કહે છે. ” આ જંબદ્વીપના ભરતાર્થના વૈતાઢ્ય પર્વત ઉપર ગગનવલ્લભ નામના નગરને વિષે વિજયવેગ વિવારની મધનાસુંદરી નામની રાણું છે. તેને મહાવેગ નામને પુત્ર છે. એક દિવસ રાજા રાજસભામાં બેઠે છે જ્યાં ચિત્રપદિકાને હાથમાં ધારણ કરેલે એક પુરુષ આવે છે. તે જણાવે છે કે-ભાગપુર નગરના ચંડગતિ નામના વિદ્યાધર રાજાની પા નામની કન્યાની આ ચિત્રપદિકા મને આપી આપની પાસેથી આપના કુમાર મહાવેગ કુમારની છબી લાવવા મેક છે, પછી તે ચિત્રપદ્રિકા મહાગ કુંવરને આપે છે. તે ચિત્રપટ્ટિકા લાવનાર પુરુષને લઈ પિતાના મહેલમાં આવે છે. પછી તે પુરુષને આ ઉપકમનું કારણ પૂછતાં તે કહે છે કે-અમારા રાજાની તે કંવરીને પરણવાની વાર્તા ચતી નથી. તેને માટે પિતાએ અનેક ઉપચારો કર્યા, તે પણ તેના ઉપર દ્રષ્ટિ નાખતી નથી. પછી કઈ દિવસ ત્યાં નારદ મુનિ આવ્યા, તેની સામે અમારા રાજા ચિંતાથી ઊભો ન થવાથી પિતાનું અપમાન માની નારદ ત્યાં પાછા જતાં રાજા તેમને ફરી બોલાવી સિંહાસન પર બેસારે છે અને નાદ: ચિંતાનું કારણ પૂછતાં પિતાની પુત્રી સંબંધી વૃત્તાંત જણાવે છે, હવે નારદ મુનિએ જ્ઞાનમાં આપેલા
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy