SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કલપતિને નમસ્કાર કરી ૨નપુર જાય છે જ્યાં શાંબ નામના શ્રેણીને ત્યાં રહે છે. રાત્રિના સાંબને એક કુવામાં પડેલ મનુષ્યને પોતે અને પોતાની પુત્રી ખેંચી કાઢે છે તેમ સ્વમ આવે છે. પછી શ્રીદત્તને ભજન કરાવી તેની સુંદર આકૃતિ જોઈ તેથી પાસેથી તેને પૂર્વ વૃત્તાંત સાંભળી પોતાની પુત્રી પરણાવે છે. નવમી રાત્રીના તેનું વહાણ ત્યાં આવે છે. માલેક વગરના વહાણના ખલાસીઓ માલેક થતો રાજા પાસે ફરીયાદ થતાં તેની ખાત્રી કરી તે ગામને ચંદ્રપીડ રાજા તેની ખાત્રી કરવા પેટીએ મંગાવે છે. શ્રીદત પૂર્વે લખેલાં વિત્તની સંખ્યાની ગાથાવાળું ભેજપત્ર બતાવે છે. પછી સર્વ ધન વગેરે શ્રીદત્તને રાજા સોંપે છે. શાંબ શ્રેણી તેને મોટા મૂલ્યવાળા વસ્ત્રો, અલંકારાદિ આપે છે અને સન્માન કરાયેલ શ્રીદત્ત ભાર્યા સાથે પોતાના નગરે આવે છે. મિત્રો વગેરેએ ક્ષેમકર કયાં છે તેમ પૂછતાં શ્રી દત્તે નિસાસા નાખતાં જણાવ્યું કે રાત્રિને વિષે હું વહાણમાંથી અચાનક પડવા લાગ્યા ત્યારે ક્ષેમકરે મને હાથ પકડી ખેંચવા જતા અમે બન્ને સમુદ્રમાં પડ્યા અને મને વહાણનું પાટિયું હાથ લાગતાં સમુદ્રને ઉતરી ગયો. ક્ષેમકર ક્યાં ગયો ? થયું? તે હું જાણતો નથી. પછી ક વખત શ્રીદને સર્વ કરીયાણ' વેચી તેનું કાંચન, રત્ન અને દશ યુવાન સ્ત્રીઓને યોગ્ય છે અલંકારે ખરીદ કર્યા અને લાખથી જડેલું તે ભેજપત્ર આ સર્વ નિધાનના કળશમાં નાંખ્યું અને જમીનમાં તે દાટયું. પછી તેની પ્રથમ પરણેલી સ્ત્રીએ સપત્નીના સન્માનને નહિં સહન કરતી શ્રીદત્તને મારવા તાલપુટ વિષ પાણીમાં નાખી શ્રીદત્તને આપવાથી શ્રીદત મરણ પામે છે. લેકેએ પ્રથમ ભાર્યાનું આ દુષ્ટ કામ જાણી તેને કાઢી મૂકવામાં આવે છે. હવે શ્રીદત્ત આર્તધ્યાનવડે મૃત્યુ પામી હરણ થાય છે. એમ કેટલાક ભવ તિર્યંચના થાય છે. (જુઓ કર્મને વિલાસ) (પા. ૨૪૨) તે હું આ જવલન નામને તારે પતિ થયો છું અને નિધિમાં નાંખેલા ભાજપત્રને વાંચી મને જાતિસ્મરણ સાન થયું છે, માટે ભૂતના દેષની શંકા ન કરે અને એ દ્રવ્ય મારું જ છે એમ પિતાની સ્ત્રીને તે જણાવે છે. દ્રવ્ય અવશ્ય નાશ પામવાના સ્વભાવવાળું છે એમ વગેરે વિચારી તે દીન અનાથને આપવા લાગે છે. દરમ્યાન એક દિવસે પ્રતિમાને સાધમેં શોભતાં એક મુનિવર ભિક્ષા અર્થે શ્રીદત્તને ઘેર આવે છે. વલન દાન આપવા ઊભો થતાં મુનિરાજ તે સચિત્ત આહાર જઈ આ અકથ્ય જાણી ત્યાંથી પાછા કરે છે. તે વખતે જવલન તે મુનિવરના પગમાં પડી તે નહિ ગ્રહણ કરવાનું કારણ પૂછતાં કળા સચેત છે અને તારે ત્યાં રાંધેલું અનાજ પણ સચેતના મિશ્રપણાને પામેલ હેઈ સાધુને કહપે નહિ એમ જણાવી મુનિરાજ બીજે ઘેર જાય છે. હવે અહિં જલન સાધુમુનિરાજને આવા પ્રકારના ભાવ ગુણને સમૂહ મેં કઈ સ્થળે જો-દાઠે છે અને પરલકના માર્ગમાં ખરેખર આવા પુરુષે જ સાર્થવાહ છે વગેરે શુદ્ધ ભાવ પ્રગટ થતાં પૂર્વે પિતાને આવેલ સ્વપ્નસૂચક આ પ્રસંગ ગણી તરત જ તેનું જમાં નેત્ર ફરકે છે જેથી તે મુનિમહારાજ પાસે જવલન જાય છે. ત્યાં ગુરુમહારાજ તેને મેક્ષસુખને આપનાર સર્વ સાવધને વર્જવા લાયક સાધુધર્મ જણાવે છે. પૂર્વના સુકૃતને લઈને વૈરાગ્યનો ઉદય થતાં ધર્માનુકાનમાં દ્રવ્યને વ્યય કરી, સ્વજનોને બોધ કરી તે મહાત્મા કે એક દિવસે સાધુદીક્ષા લે છે અને વિવિધ તપનું વિધાન કરતા ગુરુ સાથે વિહાર કરે છે. એક વાર જલન મુનિ ગુરુને પૂછે છે કે આપની આવી રૂપસંપદા વગેરે હોવા છતાં કયા નિમિતે આવી અવસ્થા હોવા છતાં, કાયર મનુષ્યને વ્યાકુળ કરનાર ચારિત્ર આપે ગ્રહણ કર્યું ? ગુરુ “વિતી ગયેલી વરને યાદ કરવાથી લાભ નથી” એમ કહેવા છતાં, હવે જવલનના આગ્રહથી ગમહારાજ પિતાને વૃત્તાંત જણાવે છે કે-વિદેશ નામની નગરીમાં ધન નામના સાર્થવાહનો હું વિજયાનંદ નામને પુત્ર છું. મારે કનકવતી નામની ભાર્યા હતી. તેણીને પૂર્વ કર્મના અશુભ ઉદયે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy