________________
[૩૬].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ?
શરીરનું શોષણ અંગીકાર કર્યું. ત્યાર પછી જયવરાહ રાજા ચિત્તના વ્યાક્ષેપ રહિત તે સમગ્ર વિચારીને સંસારનો મોટો ભય થવાથી સૂરિના ચરણકમળને નમીને વિજ્ઞપ્તિ કરવા લાગે છે-“હે ભગવાન ! જે એમ છે, તે જીવવધાદિક પાપસ્થાનમાં આસક્ત થયેલા અને નિરંતર પ્રમાદી ચિત્તવાળા અમારી જેવાને આ ભવસમુદ્રને ઉતાર શી રીતે થશે?” ત્યારે સૂરિએ કહ્યું કે-“હે પૃથ્વીનાથ ! આ સંસારસમુદ્ર ઉતારવામાં અહીં સમ્યકત્વ જ પહેલું ઉત્તમ કારણ કહ્યું છે.–
વળી તે (સમ્યકત્વ) જીવાદિક તત્વાર્થની શ્રદ્ધારૂપ, કદાગ્રહના સમૂહથી રહિત અને શંકાદિક દોષથી વિશુદ્ધ કહ્યું છે. અને તેમાં શાસ્ત્રના અર્થના શ્રવણમાં પ્રતિબંધવડે વ્યાપ્ત બુદ્ધિ થાય છે, ધર્મનો અનુરાગ પણ ભાયથકી પણ વધારે થાય છે. તથા જિનેશ્વરના ચરણકમળની પૂજાવડે તે પ્રતિબંધ દઢ થાય છે. અને ગુરુની વૈયાવચ્ચને વિષે શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. તેમાં જિનેશ્વરની પૂજા ધૂપ ૧, અક્ષત ૨, વાસ ૩, દીપ ૪, પુષ્પ ૫, ફળ ૬, ભય(નવેદ્ય) ૭ અને વારિપાત્ર ૮ (કળશ) વડે વર્ણન કરી છે. એક એક(વસ્તુ)વડે પણ જિનનાથની કરેલી પૂજા ક્યા વાંછિતને અવશ્ય નથી આપતી? તે પછી તે આઠેવડે કરેલી પૂજાનું શું કહેવું? સંસાર સમુદ્રમાં પડતા પ્રાણીઓનું રક્ષણ કરનાર આ (પૂજા) જ છે, તથા મનવાંછિત આપવામાં મોટા ચિંતામણિરૂપ પણ આ જ છે. આદરથી કરેલા આટલા માત્રથી જ ધીર પુરુષો સંસારમાં ઉત્પન્ન થયેલા દુઃખને જલાંજલિ આપે છે. તેમાં શું આશ્ચર્ય છે? ઔષધ, ભક, પાન અને વિશ્રામણાદિક કાર્યવડે ગુરુની પણ જે મોટી પ્રતિપત્તિ(ભક્તિ) કરવી, તે પણ સમક્તિનું લિંગ (ચિન્હ) છે. આવા પ્રકારના લિંગવાળું આ સમક્તિ જેના હૃદયપીઠને વિષે સારી રીતે સ્થાપન કરેલું રહે છે, તેને સંસારને ભય દૂર નાશી જાય છે અને તેને સંસારસમુદ્ર ગાયના પગલા જેટલે જ થાય છે, પરંતુ પરમાર્થથી ભય પામેલા અન્ય તીથિકે પણ પતંગની જેમ જરા પણ તેમના મનને ક્ષોભ કરતા નથી. આ સમકિત પ્રાપ્ત થયે સતે જે કોઈ પણ પ્રકારે મોટા શુભ કર્મના ઉદયવડે નિરવદ્ય વિરતિની મતિ ઉત્પન્ન થાય, તે શું સિદ્ધ ન થાય? તે વિરતિ પાંચ અણુવ્રતરૂપ, ત્રણ ગુણવ્રત પ્રધાનવાળી અને ચાર શિક્ષા વ્રતના સારવાળી (બાર પ્રકારની) સાંસારિક દુઃખને મથન કરનારી છે. કેટલાક જીને યક્ત સમકિતરૂપી રત્નને લાભ થયા છતાં પણ મોટા પુણ્યના સમૂહના રહિતપણુથી
આ વિરતિને સંભવ થતો નથી, પરંતુ ધન્ય જીવોને જ આ વિરતિ ગુરુ આપે છે, અને ધન્ય છ જ આના પારને પામે છે. પણ ગુરૂકમી છે પાર પામતા નથી. કોઈ પણ પ્રકારે જેઓ અતિચારરૂપી પંક રહિત આ વિરતિના પારને પામ્યા છે, તે કૃતપુણ્ય છે. દુઃખના પારને અત્યંત પામ્યા છે, તેથી હે રાજા ! પહેલાં જે તેં કહ્યું હતું ક-નિરંતર
૧ આસક્તિ.