SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ) • રાજા અને તપથી સુવર્ણ સદશ થયેલ શરીરવાળા કુછીને મિલાપ. [ ૩૭ ] પાપમાં આસકત અમારી જેવાને આ ભવસમુદ્રથી મોક્ષ કેવી રીતે થાય તેમાં જિનેશ્વરીએ સંસારથી મૂકાવવામાં સમર્થ હતુરૂપ સમકિત મૂળવાળો અને વિરતિપ્રધાન આ માટે ધર્મ કહ્યો છે. જેમ લાકડાને માટે ટ પણ અગ્નિના એક કણિયાવડે પણ બળી જાય છે, તેમ આ વિરતિવડે માટે પણ પાપને સમૂહ અવશ્ય વિનાશ પામે છે. હે રાજા ! જે તું પાપરૂપી પંકને નાશ કરનાર જિનેશ્વરના શાસનને વહન કરે છે (માને છે), તે કહેલા સ્વરૂપવાળા તે શાસનને તું આદરથી ગ્રહણ કર.” આ પ્રમાણે કહેવાથી મોટા હર્ષના સમૂહવડે ઉછળતા માંચવાળે તે રાજા જેમ નદીના પાણીના પૂરવડે હરણ કરાતે (તણાતે) માણસ કાંઠે રહેલા વૃક્ષના આલંબનને પામે, જેમ મોટા દોર્ગત્યથી ચંપાયેલ માણસ કલ્પવૃક્ષને પામે, તથા જેમ વેરીના સમૂહવડે રૂંધાયેલે માણસ મોટા નાયકને પામે, તેમ દેશવિરતિ ધર્મને પાયે, ત્યારપછી કેટલાક દિવસ સુધી અતિચારના ભેદના વિષયવાળા બારે વ્રતના યથાત સૂક્ષમ વિચારના સારને જાણીને તે રાજા તેનું પાલન કરવામાં ઉદ્યમી થયે. સૂરિએ પણ અન્યત્ર વિહાર કર્યો. હવે પૂર્વે કહેલ કઢના રેગથી નાશ પામેલા શરીરવાળો તે પુરુષ નિરંતર પક્ષક્ષમણ તપવડે પૂર્વે કરેલા દુષ્કર્મના સમૂહને ક્ષીણ કરવાથી જાત્ય સુવર્ણના જેવી સ્વચ્છ શરીરની કાંતિવડે શોભતે, સર્વ રોગના સમૂહવડે મૂકાયેલ, અતિ કઠોર તપવિશેષવડે રંજિત થયેલા દેવ દાન જેનું પ્રતિહારપણું કરતા હતા તેવો, તથા ગુરુની જેમ અને દેવની જેમ લેકવડે સેવા કરાતો હતું, તેને એક વખત રાજપાટીમાં નીકળેલા રાજાએ જોયે. ત્યારે તરુણ સૂર્યની જેવા ઉદાર શરીરના દર્શનથી વિસ્મય પામેલા રાજાએ પાસે રહેલા માણસને પૂછયું કે-“હે! હે! કોણ આ મહાનુભાવ તપસ્વીરૂપે નહીં છતાં પણ તપસ્વીની જેમ ગૌરવથી કેવડે પૂજાય છે?” ત્યારે તે પરિજને (નોકરે ) કહ્યું કે-“હે દેવ! શું તમે આને નથી જાણતા?” રાજાએ કહ્યું-“નથી જાણતો.” પરિજને કહ્યું-“તે આ કેઢ વિગેરે વિવિધ રેગથી આતુર શરીરવાળે પુરુષ છે, કે જે મુનિની પાસે તમે ધર્મ સાંભળતા હતા ત્યારે આવીને દુઃખ સહિત રુદનને પિકાર કરીને, મુનિ પાસેથી પૂર્વજન્મને વૃત્તાંત સાંભળીને, પક્ષક્ષમણને છેડે ભેજનને નિશ્ચય કરીને, જિન ધર્મ અંગીકાર કરીને જેમ આવ્યા હતા તેમ પાછો ગયા હતા. પછી પક્ષક્ષમણ તપના માહાખ્યવડે તેના સર્વ રેગને સમૂહ નાશ પામે, તેથી કરીને જ નિરંતર દેવ, દાનવ અને મનુષ્યના સમૂહવડે નમસ્કાર કરાતો આ પ્રમાણે વર્તે છે.” આ સાંભળીને વિસ્મય પામેલે રાજા વિચારવા લાગે કે-“અહો ! તપકર્મનું માહાતમ્ય અચિંત્ય છે, કે જેથી આવા પ્રકારના અત્યંત અસંભવિત ભાવ (પદાર્થો) દેખાય છે. વળી આ સત્ય કહેવાય છે કે – જે દૂર હોય છે, જે સાધ્ય હોય છે અને જે અત્યંત દુર્લભ હોય છે, તે સર્વે ૧ ઢગલે. ૨ શાસ્ત્રમાં કહેલા.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy