SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ જયવરાહ રાજાને સૂરિએ કહેલ ધર્મનું સ્વરૂપ. [ ૩૯૫ ] શરીરને વિષે બાધા પામેલ તે વિરસ રૂદન કરતે મરી ગયે. પછી અનેક પચેંદ્ધિના વિનાશ કરવાથી ઉત્પન્ન થયેલ મોટા પાપવડે ઉપાર્જન કરેલા કિલષ્ટ કર્મના ઉદયવડે તે સાતમી નરકપૃથ્વીમાં અપ્રતિષિત નામના મોટા નરકાવાસમાં પાંચસો ધનુષ્ય ઊંચા શરીરવાળો તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે. * તથા વળી ત્રણ ભુવનના તામસ (કાળા) અશુભ પગલવડે જાણે તેના અંગે પાંગ ઉત્પન્ન થયા હોય, વચનના વિષયમાં ન આવે તેવા અતિ મોટા તીક્ષણ દુઃખના સમૂહની જાણે ખાણ હેય, દુષ્કર્મ પ્રકૃતિરૂપી નરના પટકને જાણે અતિ રૂદ્ર (ભયંકર) રંગપ્રદેશ (નાટકને પ્રદેશ) હોય તે, ભયંકરને પણ ભય ઉત્પન્ન કરનાર, અને સાંભળવાથી પણ ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, આવા પ્રકારને તે પાપી નિરંતર મોટા દાહથી તાપ પામીને હા ! હા! હા ! હા ! એમ આકંદના શબ્દના રવવડે પાતાળને ભરી દેત, આયુષ્યના પર્યત સુધી દુસહ મટી વેદનાથી હણાયેલે ત્યાં રહીને પછી ત્યાંથી કોઈ પણ પ્રકારે નીકળીને તિર્યચપણને પામ્યા. ત્યાં પણ પિતાના આયુષ્યના અંત સુધી વિવિધ પ્રકારની આપત્તિના સમૂહને ભેગવીને ફરીથી નરકમાં, પાછો ફરીથી તિર્યંચમાં અરઘટ(રેટ)ની ઘડીના ન્યાયવડે અસંખ્ય કાળ સુધી દુખેને અનુભવીને પૂર્વે કરેલા દુષ્કૃતના અવશેષવડે હાલમાં તે પૂર્વ કાળના શંખ વણિકનો જીવ આ તું રોર કુળમાં અનેક રોગની ખાણુરૂપ થયે છે, તેથી હે મહાનુભાવ! કેમ કંઠ છૂટો મૂકીને રુદન કરે છે ? અને વિલાપ કરે છે? હે ભદ્ર! રુદનવડે કે વિલાપવડે પૂર્વે કરેલા ભયંકર પાપકર્મને છેડે પણ આધારવાળો વિરહ થતો નથી, પરંતુ અત્યંત કઠેર છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે અતિ મોટા તપ કરવાવડે વિરહ થાય છે, તેથી જો તું દુઃખના ક્ષયને ઈચ્છતો હોય, તો તે તપને વિષે ઉદ્યમ કર.” આ પ્રમાણે મુનિ પતિએ કહ્યું ત્યારે જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી પ્રત્યક્ષ અનુભવેલા પૂર્વ કાળના સર્વ અર્થ(વૃત્તાંત)ની વિભાવનાવડે ઉત્પન્ન થયેલા મોટા ભયથી આતુર મનવાળે તે પુરુષ ગુરુના પગમાં પડીને કહેવા લાગે કે-“હે ભગવાન ! જેમ તમે કહ્યું, તેમ જ પાપકર્મવાળા, પિતાના જ વેરી અને આવવાના દુઃખના સમૂહને નહીં વિચારતા મેં જીવહિંસાદિક કારણવડે ઘણું દુઃખ ઉપાર્જન કર્યું છે. હવે તેનું મથન (નાશ) કરવા માટે શું ઉપાય કરું ? જે તમારી આજ્ઞા હય, તે ગિરિના શિખર ઉપરથી પડવા વિગેરેવડે આવા પ્રકારના મોટા પાપ કરનારા આ મારા આત્માને હું હણું, અથવા બીજા કોઈ પ્રકારે કરીને આત્માનો ત્યાગ કરું. સર્વથા મારે આ આત્માનું પ્રયોજન નથી.” ત્યારે મુનિ પતિએ કહ્યું કે-“હે મહાનુભાવ ! આ નિઃસાર (નિષ્ફળ) એવા ગિરિશિખર ઉપરથી પડીને મરવા વિગેરેવડે શું ? પરંતુ વિચિત્ર પ્રકારના તપવિશેષરૂપી અગ્નિવડે કંચનની જેમ આત્માને કર્મરૂપી કલંકને દૂર કરવાવડે વિશુદ્ધ કર.” આ પ્રમાણે સાંભળીને તે રોગીએ કહ્યું કે “તમે જે આજ્ઞા આપે, તે જ હું કરું.” એમ કહીને તેણે પક્ષ પક્ષના નિરંતર તપ કર્મ વડે મરણ પર્યત અભિગ્રહ કરવાપૂર્વક
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy