SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ (W) •' તાપસના મુખથી જયદેવે સાંભળે લોકપ્રવાદ, [ ૩૭૯ ] પામેલું થયું તેથી વિજયના અભિલાષવાળો પણ હું અસહાય (એકલો) શું કરું? શું હું શીધ્રપણે વૈરીરૂપી અગ્નિને વિષે પતંગની જેમ પડું ? અથવા તે આ પળ પુરુષોના ચિત્તને સંતોષ ઉત્પન્ન કરવાવડે શું ? કદાચ જીવતે માણસ અવશ્ય કલ્યાણને પામે છે. તેથી મારે આ યુદ્ધભૂમિમાંથી પલાયન કરવું એગ્ય છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને શીવ્ર ગતિવાળા અશ્વ ઉપર ચડીને રાજપુત્ર જયદેવ એક દિશામાં પલાયન કરી ગયા અને મોટા કષ્ટથી એક તાપસના આશ્રમમાં પહોંચે. ત્યાં અશ્વ ઉપરથી નીચે ઊતર્યો. તાપસે તેની સમુખ ઊભા થયા, અને “ આ ચારે આશ્રમનો ગુરુ છે.” એમ જાણીને તેઓએ મોટા આદરથી તેની પૂજા કરી. કંદમૂળ વગેરેનું ભેજન કરાવ્યું. કેલીના પલવડે શયા રચી. તેમાં તે રાજપુત્રને વિશ્રાંતિ કરાવી. ઉચિતતા પ્રમાણે તાપસ કુમારોએ તેની સંવાહના કરી, તેથી તે કંઈક શરીરની આકુળતા રહિત થયા અને પાંચ રાત્રિ સુધી ત્યાં જ રહ્યો. પછી બીજે દિવસે દેશાંતરથી એક તાપસ ત્યાં આવ્યું. તેને જયદેવ કુમારની સમક્ષ જ કુળપતિએ પૂછયું કે “હે ઉત્તમ મુનિ ! તું કયાંથી આવ્યું છે? અથવા ત્યાં લેકપ્રવાદ શો છે?” ત્યારે તે આવેલા તાપસે કહ્યું કે –“હું જયંતી નગરીની સમીપથી આવ્યો છું. ત્યાં પ્રવાદ અત્યંત અસદશ સંભળાય છે, કે જયસૂર નામના રાજાએ પિતાના બને રાજપુત્રને “પરસ્પર કલહ કરતા ઘરમાં રહે છે, તે શું પ્રયજન સાધી શકશે ?” એમ વિચારીને જયદેવ નામના રાજપુત્રને અરિદમન નામના સીમાડાના રાજાને દમન કરવા (જીતવા) મક, અને બીજે દેવધર નામને રાજપુત્ર છે, તેને સિંધુસૌવીર દેશના રાજા સાથે યુદ્ધ કરવા મોકલ્યો. તેમાં તેણે સિંધુસીવીરના રાજાને છે અને બાંધીને ગ્રહણ કર્યો, તેની સાતે અંગવાળી લીમી પ્રાપ્ત કરી, તથા મોટા હર્ષને અને કીર્તિના સમૂહને તે પામ્યા. તથા જયદેવ રાજપુત્ર કોઈ પણ કારણથી સંગ્રામમાં શત્રુનો વિજય નહી * પામવાથી પિતાના સૈન્યનું દલન કરાવીને પલાયન કરી ગયે, અને કયાં ગયા ? તે જણાતું નથી તેથી સર્વત્ર તેના માટે અપયશ વિસ્તાર પામ્યું. વાયની જેમ સર્વ દિશાઓમાં આ લોકપ્રવાદ પ્રસર્યો છે. આ પ્રમાણે સાંભળીને તે જયદેવ રાજપુત્ર મોટા અપયશરૂપી કલંકના ભાજનરૂપ પિતાને માનતે વિચારવા લાગ્યા, કે- “ હવે મારે સર્વથા પ્રકારે અહીંથી પોતાના ઘર તરફ જવું એગ્ય નથી. કેમકે ત્યાં ગયેલા મને શત્રવડે પરાભવ પામેલે જાણીને નગરની સ્ત્રીઓ આંગળીઓ વડે દેખાડશે, દુર્જન હાંસી કરશે, સર્વદા અમર્ષવાળો દેવધર રાજ પુત્ર હીલના કરશે, પિતા મારો પરાભવ કરશે, માતા અવાસ્તવિક બુદ્ધિથી જેશે, સાધુઓ અનુકંપા કરશે અને સજજને શોક કરશે, તેથી અહીંથી દેશાંતરમાં જવું યોગ્ય છે.” એમ વિચારીને કુળપતિને પિતાને અભિપ્રાય જણાવીને તે આશ્રમથી નીકળી ગયો. શીધ્ર ચાલવાથી ખેદ પામેલો અશ્વ મરી ગયો. પછી રાજપુત્ર પગવડે પણ ચાલવા લાગે. કાળના કેમે કરીને પૃષચંપા નગરીએ પહોંચે. ત્યાં કેઇક નામના ઉદ્યાનમાં નિર્જન પ્રદેશમાં રહેલા અને સ્વાધ્યાય ધ્યાન કરવામાં લાલસાવાળા સંગમસિંહ નામના
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy