SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૭૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો વરીસિંહ રાજા પૃથ્વીને પરાભવ કરે છે. આ પ્રમાણે હેવાથી–જીવતા છતાં પણ જે રાજાની ભાર્યા જેવી પૃથ્વીને શત્રુઓ પરાભવ કરે છે અને કર લે છે, અથવા ભેગવટામાં પાડે છે, તે તે પણ શું સ્વામી કહેવાય? તે મરીને શું સદગતિને પામે? અત્યંત અધમ ચેષ્ટાવાળા તેના નામને પણ કોણ ગ્રહણ કરે ? તેથી હે વત્સ! તે બન્નેના એક સમયે જ વિજયને માટે આ સેન્યની તૈયારી કરવાનો આરંભ કર્યો છે. ” ત્યારે રાજપુત્રોએ કહ્યું કે હે પિતાજી! એમ છે, તે પ્રસાદ કરીને અમને આદેશ આપ. અમે બને જઈને તેમને નિગ્રહ કરીએ. ” ત્યારે મોટા સંતોષને ધારણ કરતાં રાજાએ કપૂરની પારી (વાટકી) સહિત પાન બીડા આપવાપૂર્વક અરિદમનને આશ્રીને જયદેવ રાજપુત્રને કર્યો અને સિંધુસવીર દેશ તરફ દેવધર રાજપુત્રને મેક. ત્યારપછી યુદ્ધમાં નિપુણ પુરુષના ઉત્સાહ પામતા મોટા ફેરદ્ધના સમૂહ વડે ઊચા કરેલા તીક્ષણ ખોની કાંતિની છટાવડે વીજળીના વિલાસને પ્રગટ કરતા, પ્રલયકાળના વાયુએ ઉછાળેલા અંજન પર્વતના શિખર જેવા મોટા " હાથીના સમૂહરૂપી (અથવા સમૂહવડે) મેઘના આડંબરવાળા, નિરંતર નીકળતા સામંતના છત્રના સમૂહવડે સૂર્યના કિરણના વિસ્તારને નિવારણ કરનારા, પવનવડે ઉછળતા રથના ઉજવળ ધ્વજ પટરૂપી પ્રગટ થયેલી બલાકાની પંક્તિ વડે મનહર અને વર્ષાકાળની કમી (શોભા) જેવા અને રાજપુત્રોના ચતુરંગ સેન્ચે તૈયાર થયા. ત્યારપછી વાગતા ચાર પ્રકારના વાજિંત્રના શબ્દવડે ભુવનની અંદર રહેલા પ્રાણીઓના સમૂહને લેભ પમાડતા જયદેવ રાજપુત્ર અને બીજો દેવધર રાજપુત્ર એ બન્ને પ્રયાણમાં રહ્યા. પછી મોટા સૈન્ય સહિત જયદેવ રાજપુત્ર જલદીથી અરિદમન રાજાના દેશની સંધિ(સીમા)એ જઈને રહ્યો. અરિદમન રાજા પણ સમગ્ર સૈન્ય અને વાહન સહિત, મોટા આરંભવાળ તથા સામંત અને દંડનાયક સહિત તેની સન્મુખ થયે. પછી બંદીજનના કહેવાથી ઉત્સાહ પામેલા સુભટોના સમૂહે મૂકેલા બાણના વિસ્તારવાળું અને નાશી જતા કાયર માણસવાળું તેમનું મોટું યુદ્ધ થયું. તે વખતે વિઘટિત (જુદા પાડેલ) હાથીના સમૂહવડે ભયંકર, યુદ્ધ કરતા રાજાને અપહસ્તિત કરનાર, વિખરાયેલા અશ્વના સમૂહવાળું, ઘાત કરવાથી પાછા વળેલા સામંતવાળું તથા પિતાના પક્ષના મોટા વીર પુરુષના ખંડિત માહાઓવાળું અને કેટલાક અવશેષ માણસોવાળું પિતાનું સૈન્ય જોઈને તત્કાળ રાજપુત્ર ક્ષેભ પામે. અરે રે! હું સાક્ષાત પરાક્રમ પ્રમાણે સંગ્રામ કરતા છતાં પણ એકદમ આ સમગ્ર સૈન્ય કેમ હીન (એ) થઈ ગયું ? આ મારા સામેતાદિક પણ કેમ એકદમ પલાયન કરી ગયા? અથવા આ અશ્વના સમૂહ એકદમ કેમ ફાટી ગયા (મરી ગયા-નાશી ગયા)? આ સેનાપતિઓ પણ પિતાના દેહની રક્ષા કરવા માટે સારા તપસ્વીની જેમ ગુપ્ત વૃત્તિવડે (રહેવાવડે) કેમ કાળનું નિર્ગમન કરે છે ? આ પ્રમાણે સર્વ સૈન્ય અગ્ય વ્યાપારને ૩ પરાક્રમ, પુકાર. * હાથ પકડીને બહાર કાઢી મુકેલ.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy