SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૫ મે ઃ જ્ઞાનદાનનું સ્વરૂપ કહ્યું. હવે હું અભયદાનને કહું છું, અને તે પૃથિવ્યાદિક જીવાના રક્ષણવડે થાય છે. તેમાં પૃથ્વીકાય, અપ્કાય, વનસ્પતિકાય, વાયુકાય અને અગ્નિકાય ( એ પાંચ એકેદ્રિય) તથા ઢીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને પચેંદ્રિય જવાની હિંસાને જે વજે છે, તેને ડાહ્યા માણસા અભયદાન કહે છે. વળી તે અહિં'સા મન, વચન અને કાયાવડે જીવની રક્ષા કરવાથી, શત્રુ મિત્રપણાની સમાનતાથી અને મેટી ભાવની વિશુદ્ધિથી હાય છે. પરંતુ આવા પ્રકારનું ઉત્તમ અને અન્ને લેાકમાં હિતને ઉત્પન્ન કરનાર અભયદાન શિવલક્ષ્મીએ જોયેલા વિશેષ પ્રકારના જીવાને સભવે છે, જેથી કરીને સર્વ જીવા મેટી આપત્તિમાં પડયા છતાં પણ પાતાના વિતનેજ ઇચ્છે છે. તેથી કરીને આ અભયદાન જ કુશળ પુરુષે આપવા લાયક છે. મરણના ભયથી વ્યાકુળ હૃદયવાળા કયા કયા પુરુષા પાતાના જીવિતને માટે રાજયાદિક સ’પદાના ત્યાગ કરીને માતંગપણાને નથી પામ્યા ? જેથી કરીને રાજ્યાંગ સમગ્ર પૃથ્વીની સમૃદ્ધિ આપવાથી પણ આ જવિતદાન અત્યંત પ્રિય છે, તેથી કરીને તે ( જીવિત ) જ આપવા લાયક છે. આ સંસારમાં જે દી` આયુષ્ય, રાગ રહિતપણું અને લેાકના લેાચનને આનંદ આપનારું રૂપ થાય છે, તે અભયદાનનું ફળ જાણવું. આ પ્રમાણે અભયદાન પ્રકાશ કર્યું. (કહ્યુ') હવે હું ધર્માપગ્રહ દાનની પ્રરૂપણા કરૂ છું. ( જણાવું છું). વળી તે ( ધીપગ્રહ દાન ) જ્ઞાનાદિકવડે યુક્ત, પાત્રરૂપ, બ્રહ્મચારી અને સ્વાધ્યાય ધ્યાનમાં સ્થાપન કરેલા ચિત્તવાળા સારા સાધુને વિષે નવ કાટિશુદ્ધ અન્ન, પાન અને વસ્ત્રાદિ દ્રવ્ય વડે જે સારી રીતે ઉપગ્રહર કરવા, તે અહીં ઉપગ્રહ કરનારું દાન કહ્યું છે. વળી તે ચાર પ્રકારે શુદ્ધ હાય તા કેમ કલ્યાણને ઉત્પન્ન ન કરે ? ( ચાર પ્રકાર આ પ્રમાણે )—દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ. આ પ્રમાણે વિચારીને આપેલું તે દાન શીઘ્રપણે પાપની નિર્દેશ કરે છે. જ્યાં દાતા શ્રાવક મદ રહિત હૈાય, સમુદ્રની જેમ નિર્વાણુ રહિત હૈાય અને કલ્પ્ય તથા અકલ્પ્સની વિધિને જાણતા હાય, તે દાયકવિશુદ્ધ કહેવાય છે. ક્ષાંત્યાદિ ગુણવર્ડ યુક્ત, ગુરુની ભક્તિવાળા અને ચારિત્રવાળા સાધુ જ્યાં અતિથિ થાય, તેને ગ્રાહકશુદ્ધ કહે છે. તથા ઉચિત સમયને વિષે જે અપાય, તે કાળવિશુદ્ધ કહેવાય છે, અને હૃદયની વિશુદ્ધિવડે જે અપાય તે ભાવશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે મેાક્ષના અથી ડાહ્યા પુરુષાને આ ચાર વિશુદ્ધિવાળું દાન ( જિનેશ્વરાએ ) કહ્યું છે, તથા વળી અનુકંપા દાનનેા જિનેશ્વરાએ કદી નિષેધ કર્યા નથી, આ પ્રમાણે ત્રણ પ્રકારનું દાન જે લેાકેા ચિત્તની અત્યંત શુદ્ધિવર્ડ આપે છે, તે આ સંસારસમુદ્રને ગાયના પગલાની જેમ લીલાવર્ડ કરીને એળગે છે. મેટા દુ`તિરૂપી દ્વારના કપિધાન ( ઢાંકવા ) જેવું આવા પ્રકારનું દાન સંસારવાસથી વિરક્ત થયેલા કાઇકને જ પુષ્પવર્ડ પ્રાપ્ત થાય છે. કલ્પવૃક્ષ વિગેરે પરિમિત અને આ લેાક સંબંધી જ કાંઇક મનવાંછિત ફળ આપે છે, પરંતુ આવા પ્રકારનુ દાન તા જે ન આપે, તે કાઇ પણ ફળ નથી. આ ત્રણ ૧ ચાળપણાને. ૨ા-આશ્રય.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy