________________
નવમા તથા દશમા ગણધરને વૃત્તાંત.
[ ૩૭૧ ]
પણ રીતે પાંચ પ્રકારના આચારની આરાધના કરવા લાગ્યા, કે જે રીતે તેમનું શરીર અને કર્મરૂપી શત્રુને સમૂહ અત્યંત ક્ષીણ . ત્યાર પછી ગુરુની આજ્ઞા લઈને તે બન્નેએ લેખના કરવાપૂર્વક અને આરંભ કરેલ આરાધનાની વિધિ કરવાપૂર્વક અનશન ગ્રહણ કર્યું. ત્યાર પછી આયુષ્યને ક્ષય થયે ત્યારે કાઉંટિક મુનિ અને વિજય ચંદ્ર રાજર્ષિ મરણ પામીને સૌધર્મ દેવલોકમાં પુષ્પાવત સક નામના વિમાનમાં બને દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં પિતાનું આયુષ્ય પાળીને ત્યાંથી આવીને આ જ ભરતક્ષેત્રને વિષે શ્રાવસ્તિ નગરીના રાજાના અને પુત્ર થયા.
તેમાં પહેલાનું નામ જય અને બીજાનું વિજય. ધર્મમાં તત્પર તે બને કુમારપણાને પામ્યા અને પરસ્પર દઢ પ્રેમવાળા થયા. સાથે જ શાકને ભણ્યા, સાથે જ કળાના સમૂહને શીખ્યા, સાથે જ શયન, ભજન અને ફરવા વિગેરેમાં વર્તવા લાગ્યા. મોટા યોવનરૂપી ગુણ ઉપર આરૂઢ થયા, તે પણ વિષયના સંબંધથી અત્યંત વિમુખ થયા, નિરંતર મુનિના ચરણકમળની આરાધનામાં ઉદ્યમી થયા, સ્ત્રી પરિગ્રહના વિષયવાળી કથાને પણ સાંભળવાને અસમર્થ થયા, અને ભાવથી જાણે સર્વવિરતિ અંગીકાર કરી હેય તેમ ભાવના ભાવવા લાગ્યા. આ રીતે એક ચિત્તવાળા તે બન્નેએ કેટલાક દિવસે નિર્ગમન કર્યા, તેટલામાં તેમને સ્વપ્નમાં દેવતાએ ફુટ વાણીવડે આ પ્રમાણે કહ્યું, કે
હે ! હે ! મહાપ્રભાવવાળા ! હવે તમારું જીવિત થોડું રહ્યું છે, તેથી આશ્રમપદને વિષે જઈને કેવળજ્ઞાનરૂપી લક્ષમીવડે સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણુની પાસે દીક્ષા અંગીકાર કરીને સુર અને અસુરને પણ માનવા લાયક ઉત્તમ ગણધર પદવીને ભજે.” ત્યારપછી તરત જ નિદ્રાના વિકારનો નાશ થવાથી તે બન્ને વિચારવા લાગ્યા કે-- “નહીં જોયેલું અને નહીં સાંભળેલું આ એક સરખું સ્વપ્ન અમે કેમ જોયું? આવું જેવાથી તેનું સારું વિશિષ્ટ ફળ હોવું જોઈએ.” એ પ્રમાણે વિચાર કરતા તેઓ સ્વપનમાં કહેલા છેડા આયુષ્યને જાણીને, આ સ્વપ્નને વૃત્તાંત માતાપિતાને કહીને ઉત્તમ આચારવાળા તે અને કેટલાક પ્રધાન પુરુષ સહિત આશ્રમપદને વિષે પ્રાપ્ત થયા. અને મારા પાદમૂલને વિષે નિર્વઘ પ્રવજ્યાને પામ્યા. તથા તે બને ગણધરના ગ્રહણની ઉત્તમ પદવીને પામ્યા છે. આ પ્રમાણે હે અશ્વસેન રાજા ! દશે ગણધરને પૂર્વે થયેલે કથાનો સમૂહ જે તે મને પ્રથમ પૂછયે હતા, તે સમગ્ર મેં તને કહ્યો.” તે સાંભળીને પિતાના કપાળ ઉપર બે હસ્તપુટરૂપી કમળકેશને ધારણ કરતા તે રાજા બોલે કે–
હે નાથ! એમજ છે. બુદ્ધિમાન પણ કે પુરુષ આવું સમ્યફ પ્રકારે કહેવાને સમર્થ હોય? અથવા હે પ્રભુ! કાલેકને પ્રકાશ કરનારા જ્ઞાનવાળા તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન વૃત્તાંતને જાણનારા તમેએ આ જે કહ્યું તે થોડું જ છે. તે મોટા પ્રભુ! મહાસત્ત્વવાળા આ દશે ગણધરો ધન્ય છે, કે જે તમારા ચરણકમળ જોઈને હર્ષ