SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ જ છે : રને નેહ કરવો તે પણ બંધન જેવો છે એમ નિશ્ચય કર્યો. આ સમગ્ર ત્રણ લેક પણ પરમાર્થથી દુઃખી જ જોયું, તથા આ જનસમૂહને શરણ રહિત, અજ્ઞાની, જુદી જુદી આવી પડતી અપત્તિના સમૂહવાળો અને અસત્ ચેષ્ટામાં પ્રવર્તે છે. ત્યાર પછી તે બને અને ધર્મના મોટા અનુરાગવાળા થયા, રાગદ્વેષરૂપી અગ્નિવડે બળતા પ્રાણીઓના સમૂહને જાણીને (જેઈને) પિતાના તે અગ્નિને શમાવવામાં અમૃત જેવા દીક્ષાવિધિને કરવા માટે તૈયાર થયા. પછી સૂરિને નમીને પિતાને ઘેર ગયા. ત્યાં પોતાના પુત્રને રાજ્ય આપવા વડે પૃથ્વીનું રક્ષણ કરીને વિજયચંદ્ર રાજાએ પોતાના બે હાથ જોડીને કાઈટિક સામંતને કહ્યું કે-“હે મહાભાગ્યશાળી ! પરમાર્થના વિચારવડે કહીએ તે હું જે આ આટલી બધી વિભૂતિના સમૂહને પામે, તે આ સર્વ તારા પ્રસાદને જ વિલાસ છે. અને હવે પરલેકમાં હિત કરનાર અનુદાન(ક્રિયા)ની સન્મુખ ચિત્તની વૃત્તિ થવાથી તૃણની જેવા નિઃસાર સંસારસ્વરૂપને અવધારણ કરતા અમે ધર્મધુરાને ઉદ્ધાર કરવા ઈચ્છીએ છીએ. જે તું કહે, તે પદ્દમખંઠ નગરને આપવાવડે તને રાજપદે સ્થાપન કરું, અથવા અને રાજ્યના વ્યાપારની સંભાળ માટે નિરૂપણ કરું, અથવા બીજું જે કાંઈ તને રુચતું હોય તે હું તને આપું, તેથી સર્વથા પ્રકારે મનવાંછિતને પ્રગટ કર.” આવા પ્રકારનું વચન સાંભળવાથી ઉત્પન્ન થયેલા મોટા કપના સમૂહવડે ઝરતા અશ્રુજળથી વ્યાપ્ત લેચનવાળા કાઉંટિક સામતે કપટ રહિતપણે કહ્યું કે-“હે દેવ ! આવું અગ્યા સંભાવનાવાળું વચન તમે કેમ છેલ છો ? શું હું તમારા ચરણકમળના વિયેગવાળો એક મુહૂર્ત માત્ર પણ રહેવાને ઉત્સાહવાળો છું? અથવા તે તમારા મુખને જોવા રહિત નિઃસાર રાજ્યના લાભ વિગેરેથી શું ફળ છે? વળી હે મહારાજા ! મને આશ્રીને તમે જે કહ્યું કે “જે તને મનવાંછિત હોય તે કહે, કે જેથી તે પણ આપું.” એમ જે કહ્યું, તે પણ હે દેવ ! તમારાં વિરહમાં કેમ સંભવે ? કેમકે મોટા સારવાળા પાણીના વરસવાથી પણ પર્વતના શિખર ઉપર તે પાણી કાંઈપણ અવસ્થાનને (રહેવાને) પામતું નથી. તેમ તમારા સમીપપણાથી ઉત્પન્ન થયેલ સમૃદ્ધિને સમૂહ અમારી જેવા નિપુણ્યને સ્વતંત્રપણે થવાને કેમ લાયક હોય? તેથી કરીને હે દેવ! જેમ ગૃહવાસને વિષે તમારા ચરણકમળના મહાયથી લક્ષમી પ્રાપ્ત થઈ, તેમ પરલેકને વિષે પણ તમારા સમીપપણાથી તે લક્ષમી મને પ્રાપ્ત થાઓ,-આ પ્રમાણે હે દેવ ! દુષ્કર કાર્ય પણ તમારી સાથે જ હોવાથી મને પ્રાપ્ત થયું છે, અથવા આ કહેવાથી શું ? મારું જીવિત અને મરણ તમારી સાથે જ છે.” આ પ્રમાણે તેને નિશ્ચય જાણીને દીન અને અનાથ વિગેરે લેકેને મનને આનંદ કરનાર મોટું દાન અપાવીને, કેદખાના વિગેરેમાં રૂંધેલા અપરાધી મનુષ્યના સમૂહને મુક્ત કરાવીને તથા સંઘ અને જિનાલયની પૂજા કરીને કેટલાક રાજપુત્ર સહિત કાર્પેટિક સામંતની સાથે પુરુષદત્તસૂરિની પાસે વિજયચંદ્રરાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી મુનિધર્મની ક્રિયાને જાણીને તે બને તે પ્રકારે કઈ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy