SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયચંદ્ર રાજવીની ધર્મભાવના, [ ૩૯ ] શરીરમાં અપ્રીતિવડે વ્યાસ થઇ શેક કરવા લાગ્યા, તેને રાજાએ મધુર વચનવડે સ્થાપન કરીને ( શાંત કરીને ) તત્કાળ તૈયાર કરેલા તીર્થના જળથી ભરેલા સુવર્ણ ના કળશે। વડે નહીં ઇચ્છતા છતાં પણ અભિષેક કરીને તેને રાજાને સ્થાને સ્થાપન કર્યા. અને મંત્રી, સામત વિગેરે પ્રધાન જનાવર્ડ પરિવરેલા રાજાએ તેને પ્રણામ કર્યા, અને કહ્યું કે“ હું વત્સ.! પહેલાં જ રાજલક્ષ્મીને પામેલે હાવાથી સર્વ કાર્યને જાણનારા તને થાડું પણ શીખવવા જેવુ નથી, તે પણ તને આ કહું છું, કે-થાડા પણ ધનના વિષય પાતાના મરણ પ`ત ( સુધી ) વિઘ્ન કરનાર છે, તેા પછી ચિત્તના વ્યાક્ષેપ ઉત્પન્ન કરવામાં તત્પર એવી રાજલક્ષ્મી વિઘ્ન કરનાર કેમ ન હેાય ? તેથી હે વત્સ ! શયન, આસન અને લેાજન વિગેરે કાર્યોમાં પ્રમાદ રહિત ( સાવધાન ) થઈને પેાતાના આત્માનું રક્ષણ કરજે, કેમકે તે મૃત્યુના સ્થામા છે. તથા ધોÒને વિષે ક્ષણ માત્ર પશુ માટે પ્રયત્ન કરશે. કેમકે ધર્મ રહિત પુરુષા રાજ્યલક્ષ્મીને ઊગવવા સમર્થ થતા નથી. તથા હે વત્સ ! આ પ્રજાજનનું પણ તથાપ્રકારે કાઇ પણ રીતે તારે પાલન કરવું, કે જેથી તે હુંમેશાં તને આશીર્વાદ આપવામાં વાચાળ મુખવાળા થાય. ” પુત્રને આ વિગેરે ઘણી શિખામણ આપીને રાજા વનવાસને પામ્યા. ત્યાં તાપસની દીક્ષા ગ્રહણ કરીને તેના ધર્મકાર્ય માંદ્યમવાળા થયે।. સૌભાગ્યસુંદરી વિજયચંદ્ર રાજાની માટી રાજલક્ષ્મી જોઇને હૃદયમાં તેવા કાઇ આઘાતને પામી, કે જેથી તરતજ મરણ પામી. વિજયચંદ્ર રાજા પશુ કે રાજ્યની પ્રાપ્તિથી વૃદ્ધિ પામતા માટા કાશ અને કેાઠારવાળા થવાથી બીજા રાજાઓ કરતાં અધિક રાજલક્ષ્મીના વિસ્તારવાળા થયેા. તેણે ચિરકાળ સુધી વિષયસુખને લાગયું, પછી સમગ્ર કળામાં કુશળ પેાતાના પુત્રને વિષે રાજયની ચિંતા સ્થાપન કરીને કાઇક દિવસ ધર્મની સન્મુખ મતિ થવાથી તે વિચારવા લાગ્યું કે પૂર્વ ભવે ઉપાન કરેલા કોઇપણ મારા પુણ્યના સમૂહ છે, કે જેના વશથી પ્રતિકૂળ વસ્તુ પણ અનુકૂળપણે પરિણમે છે, તેથી હવે ફરીને પણ પરલેાકના સુખને વહન કરનાર ધર્મનું આચરણુ કરું: ” એમ વિચારીને તે વાત તેણે કાર્પેટિક સામંતને કહી. તેણે પણ “ બહુ સારું.” એમ કહીને તે 'ગીકાર કર્યું. ત્યારપછી ધર્મને વિશેષ જાણવાની ઇચ્છાથી તે બન્ને પુરુષદત્તસૂરિની પાસે ગયા. તે સુરિએ પણ સદ્ધર્મને વિષે બંધાયેલી બુદ્ધિવાળા તેમને સ'સારના ઉદ્દેગને ( વૈરાગ્યને ) : ઉત્પન્ન કરનારી ધર્માંકથા તથાપ્રકારે કાઇ પણ રીતે કહી, કે જેથી કરીને તત્કાળ જ દુષ્કર્મ રૂપી ગાઢ નિગડ ( મેડી ) પણ તૂટી ગઈ, તત્ત્વનું અવલેાકન કરવામાં કુશળ એવી દ્રષ્ટિ તત્કાળ ઉઘડી ગઈ, તથા વિષયના પ્રસંગ વિગેરે પ્રમાદના સ્થાનવી ઘણા ભવમાં ભમવાનું ઉત્પન્ન કરનાર સામર્થ્યવાળુ દુષ્ટ સ્થાન પાતાની બુદ્ધિના વિષયને પામ્યું. તથા ગૃહવાસની વાસનાથી વિમુખ (રહિત ) બુદ્ધિના પ્રક પ્રગટ થયા, અને આ સંસારનું સ્વરૂપ માયા અને ઇંદ્રજાળનો જેવુ જાણ્યુ, મિત્ર અને સ્વજનાદિકની ઉપ. Yo
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy