________________
[ ૩૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪ થા :
વાણીવડે બીજા પુરુષને બાંધે છે. આ પ્રમાણે પાપી શ્રીઓના સર્વ વ્યાપાર જુદા જુદા જ છે. તથા વિચારા કુ-તિલકસુંદરીએ ઉપચાર( સેવા ) કર્યા છતાં પણ તે પાપણીએ તેના પુત્રનું આવું ભયંકર કાર્ય કર્યું. અકાર્ય કરીને પણ દુ:ખને આધીન થવાથી હૃદયને મધ્યે થાડું પણ ધારણ કરવાને અશક્તિમાન થયેલી તેણીએ તે સર્વ કહ્યું. તેથી સ આ પ્રમાણે કહેવાય છે કે–સ્રીએ તુચ્છ છે, કુટિલ છે, અયેાગ્ય કાર્ય કરવામાં તત્પર છે, કુળ અને શીલને મલિન કરનારી છે, તથા અનર્થની પથારી છે. સાપણુના જેવી ઘણા અનને કરનારી સ્ત્રીઓને જેઓએ દૂરથી ત્યાગી છે, તે સત્પુરુષા ધન્ય છે, તે જ પુરુષા સુખી છે, તે જ ભયંકર ભવરૂપી સમુદ્રના પારને પામ્યા છે, તેએએ જ આ જગતમાં વિજય પત્ર મેળવ્યું છે, તેએ જ આ જગતમાં દેવ અને દાનવાને પશુ વાંઢવા લાયક થયા છે, દુ:ખે કરીને સાધી શકાય તેવું પણ વાંછિત કાર્ય તેને જ સિદ્ધ થયુ' છે, કે જેઓ ગાઢ ચેાગરૂપી ખખ્ખરવડે ચારિત્રરૂપી શરીરનુ` રક્ષણ કરીને વિલાસ સહિત, ચપળ અને સુંદર લેચનવાળી સ્રીઓના વિષયમાં આવ્યા ન હાય (તે જ ધન્ય છે વિગેરે. )” આ પ્રમાણે વિચારીને સાંસારિક વિષયાના સુખની અપેક્ષા રહિત થયેલા રાજા પોતાના મનમાં ધર્મ કરવાને માટે અત્યંત ઉદ્યમવાળા થયા, તેથી કરીને તેણે, મંત્રીઆને મેલાવીને કહ્યું કે–“ તમે વિજયચંદ્ર રાજાની પાસે જા. અને તેવી રીતે કાઇ પણ પ્રકારે તેને કહા, કે જે રીતે તે મહાત્મા અહીં આવીને રાજ્યના મોટા ભારને ઉપાડીને મને ભાર રહિત કરે. ” ત્યારે “ દેવ જેમ આજ્ઞા આપે તેમ અમે કરીએ. ” એ પ્રમાણે મસ્તકવર્ડ તે આજ્ઞાને અંગીકાર કરીને તરત જ સુગુપ્ત અને વામદેવ વિગેરે મંત્રીએ મહાપુરુષ ચહેર સહિત નગરમાંથી નીક્રન્યા. વિલખ રહિત પ્રયાણવડે તેએ પદ્મખડપુરમાં પ્રાપ્ત થયા. તેઓએ રાજાને જોયા. રાજાએ પણ આ પિતાના મંત્રીઓ છે” એમ જાણી તેમનુ સન્માન કર્યું. પછી ઉચિત સમયે તેએએ રાજાના આદેશ કહ્યો, પછી તે રાજ્યને સારી સ્થિતિવાળું કરીને કાર્પેટિક સામત સહિત તથા મોટા હાથી, અશ્વો વિગેરે સામગ્રી સહિત શીઘ્ર ગતિવડે તે હસ્તિનાપુરે પહેાંચ્યા. તેના આવવાવડે અત્યંત હર્ષ પામેલા પુરજાએ વાયુવડે ઉછળતી અનેક પતાકાવડે ભ્યાસ તે નગર કર્યું. ત્રિક, ચતુષ્ક અને ચર્ચોરને વિષે નૃત્યના ઉપચાર પ્રવર્તાવ્યા, અને શુભ તિથિ, મુહૂર્ત અને ચાળને વિષે મેટા વૈભવવડે વિજયચંદ્ર રાજાને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યેા. તેણે પેાતાના પિતાને જોયા, તે રાજાએ અત્યંત સ્નેહથી આલિંગન કરીને પેાતાના ખેાળામાં તેને બેસાડ્યો અને મૂળથી આરંભીને પૃથ્વી પર ભ્રમણુ કરવાના વૃત્તાંત પૂછ્યા. ત્યારે મનમાં હુ પામેલા વિજયચંદ્ર રાજાએ સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારપછી ઉચિત સમયે પદ્મદેવ રાજપુત્રના વિનાશના વૃત્તાંત કહીને વિજયચંદ્રને કહ્યુ` કે-“ હે વત્સ! હવે તારે મારી પ્રાર્થનાના ભંગ કરવા નહીં. હવે તું પૂર્વાંના રાજાએના અનુક્રમે આવેલા આ રાજ્યના મેઢા ભારને અંગીકાર કર. ” તે સાંભળીને વિજયચ' પિતાની ઘરવાસના સંગની ત્યાગબુદ્ધિ જાણીને